સંજય રાઉતે કેમ કહ્યું- PM મોદીએ જલદી શપથ લેવા જોઈએ, હું મીઠાઈ વહેચીશ

ચૂંટણી પરિણામો બાદ NDAની બેઠકમાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા. આ બેઠકમાં આજે જ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ વાત પર ઝાટકણી કાઢી છે.

NDA ગઠબંધનના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેમને PM બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઠબંધનની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, PM નરેન્દ્ર મોદી આગામી PM હશે અને ત્રીજી વખત શપથ લેશે. હાલમાં, પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેઓ કાર્યકારી PM છે અને તેમની શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે. NDAની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિને મળશે અને PM બનવાનો દાવો રજૂ કરશે. આ નિવેદન પર શિવસેના UBTના નેતા સંજય રાઉતે કહ્યું કે, PM મોદીએ બને તેટલી વહેલી તકે PM તરીકેના શપથ લઇ લેવા જોઈએ અને હું તો મીઠાઈ વહેંચીશ.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શન પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જો કંઈપણ એવી પરિસ્થિતિ ઉભી થાય તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના PM બનવાના વિચારને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું, 'જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે, તો અમને કોઈ વાંધો કેમ હોય? તેમણે ઘણી વખત પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સાબિત કર્યા છે. તેઓ લોકપ્રિય નેતાઓમાંના એક છે. અમે બધા તેમને માન આપીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ગઠબંધનમાં કોઈ વાંધો કે મતભેદ નથી.' સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, તેમને એમ પૂછવામાં આવ્યું હતું કે, જો શક્યતાઓ ઉભી થાય તો, શું તેઓ રાહુલ ગાંધીને PM તરીકે સ્વીકાર કરશે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-06-2025 દિવસ: ગુરુવાર મેષ:  તમારે મની ટ્રાન્સફરની લેવડદેવડ સાવધાનીથી કરવી પડશે.  તમને કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવાની તક મળશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.