સંજય રાઉતે કેમ કહ્યું- PM મોદીએ જલદી શપથ લેવા જોઈએ, હું મીઠાઈ વહેચીશ

On

ચૂંટણી પરિણામો બાદ NDAની બેઠકમાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા. આ બેઠકમાં આજે જ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ વાત પર ઝાટકણી કાઢી છે.

NDA ગઠબંધનના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેમને PM બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઠબંધનની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, PM નરેન્દ્ર મોદી આગામી PM હશે અને ત્રીજી વખત શપથ લેશે. હાલમાં, પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેઓ કાર્યકારી PM છે અને તેમની શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે. NDAની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિને મળશે અને PM બનવાનો દાવો રજૂ કરશે. આ નિવેદન પર શિવસેના UBTના નેતા સંજય રાઉતે કહ્યું કે, PM મોદીએ બને તેટલી વહેલી તકે PM તરીકેના શપથ લઇ લેવા જોઈએ અને હું તો મીઠાઈ વહેંચીશ.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શન પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જો કંઈપણ એવી પરિસ્થિતિ ઉભી થાય તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના PM બનવાના વિચારને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું, 'જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે, તો અમને કોઈ વાંધો કેમ હોય? તેમણે ઘણી વખત પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સાબિત કર્યા છે. તેઓ લોકપ્રિય નેતાઓમાંના એક છે. અમે બધા તેમને માન આપીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ગઠબંધનમાં કોઈ વાંધો કે મતભેદ નથી.' સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, તેમને એમ પૂછવામાં આવ્યું હતું કે, જો શક્યતાઓ ઉભી થાય તો, શું તેઓ રાહુલ ગાંધીને PM તરીકે સ્વીકાર કરશે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.