સંજય રાઉતે કેમ કહ્યું- PM મોદીએ જલદી શપથ લેવા જોઈએ, હું મીઠાઈ વહેચીશ

ચૂંટણી પરિણામો બાદ NDAની બેઠકમાં PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા. આ બેઠકમાં આજે જ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે આ વાત પર ઝાટકણી કાઢી છે.

NDA ગઠબંધનના નેતાઓએ PM નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કર્યા છે અને તેમને PM બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ગઠબંધનની બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે, PM નરેન્દ્ર મોદી આગામી PM હશે અને ત્રીજી વખત શપથ લેશે. હાલમાં, પદ પરથી રાજીનામું આપ્યા પછી, તેઓ કાર્યકારી PM છે અને તેમની શપથ ગ્રહણ 8 જૂને થઈ શકે છે. NDAની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિને મળશે અને PM બનવાનો દાવો રજૂ કરશે. આ નિવેદન પર શિવસેના UBTના નેતા સંજય રાઉતે કહ્યું કે, PM મોદીએ બને તેટલી વહેલી તકે PM તરીકેના શપથ લઇ લેવા જોઈએ અને હું તો મીઠાઈ વહેંચીશ.

લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP)ના અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શન પછી શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે જો કંઈપણ એવી પરિસ્થિતિ ઉભી થાય તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના PM બનવાના વિચારને સમર્થન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું, 'જો રાહુલ ગાંધી નેતૃત્વ સ્વીકારવા તૈયાર છે, તો અમને કોઈ વાંધો કેમ હોય? તેમણે ઘણી વખત પોતાને રાષ્ટ્રીય નેતા તરીકે સાબિત કર્યા છે. તેઓ લોકપ્રિય નેતાઓમાંના એક છે. અમે બધા તેમને માન આપીએ છીએ અને તેમને પ્રેમ કરીએ છીએ. ગઠબંધનમાં કોઈ વાંધો કે મતભેદ નથી.' સંજય રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતી વખતે કહ્યું કે, તેમને એમ પૂછવામાં આવ્યું હતું કે, જો શક્યતાઓ ઉભી થાય તો, શું તેઓ રાહુલ ગાંધીને PM તરીકે સ્વીકાર કરશે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.