સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગૃહ અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, કોઈપણ સભ્યનું વર્તન ગૃહની ગરિમા અનુસાર હોવું જોઈએ. સ્પીકરે કહ્યું હતું કે, આવા ઘણા કિસ્સા મારા ધ્યાનમાં આવ્યા છે, જેમાં સભ્યોનું વર્તન ગૃહની ગરિમાને અનુરૂપ ન હતું. આ ગૃહમાં પિતા અને પુત્રી, માતા અને પુત્રી અને પતિ અને પત્ની પણ સભ્યો તરીકે બેસે છે. તેથી, વિરોધ પક્ષના નેતા પાસેથી ગૃહના નિયમ 349 અનુસાર વર્તન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.

Om Birla
galgotiastimes.com

રાહુલ ગાંધીએ તેમની ટિપ્પણીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, મેં એવું કંઈ જ નથી કર્યું અને ગૃહને અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. લોકસભા સ્પીકર બિરલાએ બુધવારે શૂન્ય કાળ પછી વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું કે, તેમણે ગૃહના નિયમો અને પરંપરાઓ અનુસાર વર્તવું જોઈએ અને તેમની પાસેથી પણ આ અપેક્ષા રાખવામાં આવે છે. આ પછી તેમણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. ગૃહ સ્થગિત થયા પછી, કોંગ્રેસના સાંસદો બિરલાને મળ્યા અને 'વિપક્ષના નેતાને બોલવાની તક ન આપવા' બદલ પોતાનો વિરોધ નોંધાવ્યો. સંસદ પરિસરમાં જ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, 'લોકસભા સ્પીકરે મારા વિશે કંઈક કહ્યું. જ્યારે હું ઉભો થયો, ત્યારે તેઓ ઉભા થઈને ચાલ્યા ગયા અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી.'

તેમણે દાવો કર્યો, 'જ્યારે પણ હું ગૃહમાં બોલવા માટે ઉભો થાઉં છું, ત્યારે મને બોલવાની મંજૂરી નથી અપાતી, જ્યારે કે એ પરંપરા રહી છે કે જો વિપક્ષના નેતા ઉભા થાય છે, તો તેમને બોલવાની મંજૂરી આપવી જોઈએ. મને ખબર નથી કે ગૃહ કઈ રીતે ચાલી રહ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું, 'મેં કંઈ કર્યું નથી. હું શાંતિથી બેઠો હતો. હું છેલ્લા સાત-આઠ દિવસથી કંઈ જ બોલ્યો નથી. લોકશાહીમાં સરકાર અને વિપક્ષ બંને માટે સ્થાન છે, પરંતુ અહીં લોકશાહી માટે કોઈ સ્થાન નથી. ખબર નથી કે લોકસભા સ્પીકર શું વિચારે છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગૃહ અલોકતાંત્રિક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

Rahul Gandhi
tv9hindi.com

ગૃહમાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે, વિપક્ષના નેતાને બોલવાની તક આપવામાં આવતી નથી. તેમણે દાવો કર્યો હતો કે, જો કોઈ BJP સાંસદ કે મંત્રી ફક્ત ઉભા પણ થાય છે, તો તેમને બોલવાની સ્વતંત્રતા મળે છે. ગોગોઈએ કહ્યું, 'આપણે બધાએ જોયું છે કે, સુષ્મા સ્વરાજ જ્યારે વિપક્ષના નેતા હતા ત્યારે તેમને લોકસભામાં કેટલું સન્માન મળ્યું હતું.' તેમણે કહ્યું, 'અમે લોકસભા સ્પીકરને મળ્યા અને અમારો વાંધો નોંધાવ્યો અને તેમને વિપક્ષના નેતાની ગરિમાનું અપમાન કરવામાં આવી રહ્યું છે તે અંગે જણાવ્યું.' તેમણે કહ્યું કે લોકસભા સ્પીકર તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ગોગોઈએ કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે ગૃહ કાર્યરત રહે, પરંતુ આ ગૃહનું વાતાવરણ બગાડવાનું કાવતરું છે.'

Related Posts

Top News

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Gujarat 
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.