સરકારે રિલાયન્સ પાસેથી 24,500 કરોડની માંગણી કરી, શું છે આ મામલો?

ભારત સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને તેની ભાગીદાર કંપનીને 2.81 બિલિયન ડૉલર (રૂ. 24,500 કરોડ)ની ડિમાન્ડ નોટિસ મોકલી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પછી આ નોટિસ મોકલવામાં આવી છે. આ કેસ રિલાયન્સને કુદરતી ગેસના ઉત્પાદન અને વેચાણમાંથી થતા નફા સાથે સંબંધિત છે. આ મુદ્દે રિલાયન્સે પણ પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિનમાં ક્રૂડ ઓઇલ અને ગેસની ખાણો આવેલી છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ વિવાદ 2013માં શરૂ થયો હતો જ્યારે ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ને શંકા હતી કે તેના KG-D5 અને G-4 બ્લોકનો વિસ્તાર રિલાયન્સના KG-D6 બ્લોક સાથે જોડાયેલો છે. રિપોર્ટ અનુસાર, ONGCને ખ્યાલ આવ્યો કે રિલાયન્સે સીમાને અડીને આવેલા વિસ્તારમાં ઓછામાં ઓછા ચાર કુવા ખોદીને KG-D5 બ્લોકના સંસાધનોનો દુરુપયોગ કર્યો છે.

ત્યારપછી સરકારે 2016માં ONGCના આસપાસના વિસ્તારોમાંથી KG-D6 બ્લોકમાં ટ્રાન્સફર કરાયેલા ગેસ માટે રિલાયન્સ અને તેની ભાગીદાર કંપનીઓ પાસેથી 1.55 બિલિયન ડૉલર (રૂ. 13,528 કરોડ)ની માંગણી કરી. રિલાયન્સે આનો વિરોધ કર્યો અને મામલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચ્યો. જ્યાં વર્ષ 2018માં, આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેટરે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે રિલાયન્સ આ વળતર ચૂકવવા માટે બંધાયેલ નથી.

Reliance Industries Limited
jantaserishta.com

ભારત સરકારે આ નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો. જ્યાં મે, 2023માં સિંગલ જજની બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો. પરંતુ 14 ફેબ્રુઆરી, 2025ના રોજ, દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ રેખા પલ્લી અને જસ્ટિસ સૌરભ બેનર્જીની બેન્ચે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો. રિલાયન્સ અને તેના ભાગીદાર વિરુદ્ધ ચુકાદો આપતી વખતે, બેન્ચે સિંગલ જજના આદેશને બાજુ પર રાખ્યો. આ નિર્ણય પછી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રિલાયન્સને ડિમાન્ડ નોટિસ મોકલી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, મંત્રાલયે હવે તેની માંગ વધારીને 2.81 બિલિયન ડૉલર કરી દીધી છે. ગેસ સ્થળાંતર કેસના નવા કાનૂની વિકાસ અને પુનઃમૂલ્યાંકનના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ જણાવ્યું હતું કે, કંપનીને 3 માર્ચ, 2025ના રોજ ડિમાન્ડ નોટિસ મળી હતી. કંપની દ્વારા શેરબજારને મોકલવામાં આવેલી માહિતીમાં આ ડિમાન્ડ નોટિસની માહિતી આપવામાં આવી છે.

Reliance Industries Limited
hindi.etnownews.com

રિલાયન્સે જણાવ્યું હતું કે, 'ડિવિઝન બેન્ચના નિર્ણય પછી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, BP એક્સપ્લોરેશન (આલ્ફા) લિમિટેડ અને નિકો લિમિટેડ (NECO)પાસેથી 2.81 બિલિયન ડૉલરની માંગણી કરી છે.'

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, RILએ વધુમાં જણાવ્યું હતું કે, 'કંપનીને કાનૂની સલાહ આપવામાં આવી છે કે, બેન્ચનો નિર્ણય અને આ ડિમાન્ડ નોટિસ ટકી શકશે નહીં. કંપની આ બાબતમાં કોઈ નાણાકીય જવાબદારીની અપેક્ષા રાખતી નથી.'

રિલાયન્સ હાઈકોર્ટના નિર્ણયને પડકારવા માટે પગલાં લઈ રહી છે.

About The Author

Related Posts

Top News

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 07-03-2026 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.