અમે ક્યાં જઈશું...જોશીમઠ બાદ હવે કર્ણપ્રયાગમાં 50 ઘરોમાં તિરાડ, લોકોમાં ભય

ઉત્તરાખંડના ચમોલીમાં જોશીમઠથી શરૂ થયેલું ભૂસ્ખલન હવે કર્ણપ્રયાગ સુધી પહોંચી ગયું છે. એક તરફ જોશીમઠના લોકો ચિંતિત અને પરેશાન છે, તો બીજી તરફ કર્ણપ્રયાગ નગરપાલિકાના બહુગુણા નગરમાં લગભગ પચાસ ઘરોમાં તિરાડો દેખાવા લાગી છે. ભૂસ્ખલનને કારણે આ મકાનોની દિવાલો ધીમે ધીમે ધરાશાયી થવા લાગી છે. મકાનો ધરાશાયી થયા બાદ આ વિસ્તારના પીડિતોએ રાજ્ય સરકારને મદદ માટે અપીલ કરી છે.

 મકાનોમાં તિરાડો પડ્યા બાદ ભયનો અહેસાસ થતાં બહુગુણા નગરના અનેક પરિવારો અહીંથી ચાલ્યા ગયા છે. દરેક વ્યક્તિએ પોતાના મિત્રો અને સંબંધીઓના ઘરે આશરો લીધો છે. તો કર્ણપ્રયાગના અપર બજાર વોર્ડના ત્રીસ પરિવારોને પણ આ જ સંકટનો સામનો કરવો પડ્યો છે. દરેક વ્યક્તિ રાજ્ય સરકાર પાસે મદદ માંગી રહી છે.

અસરગ્રસ્તોનું કહેવું છે કે અહીં માર્કેટ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અમારા મકાનો હલી ગયા હતા અને હવે મકાનો ધરાશાયી થવાના આરે છે. વરસાદની ઋતુમાં અહીં રહેવું ખૂબ મુશ્કેલ છે. અત્યારે તો જેમ તેમ કામ ચલાવી રહ્યા છે. જો વરસાદ પડશે તો અમે ક્યાં જઈશું?

જોશીમઠમાં સહિત અન્ય વિસ્તારોમાં સ્થિતિ સતત બગડી રહી છે. આવી સ્થિતિમાં સેનાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગઢવાલના કમિશનર સુશીલ કુમાર સિંહે જણાવ્યું કે વહીવટીતંત્ર સતત સેનાના અધિકારીઓના સંપર્કમાં છે.

તો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) પાસેથી જોશીમઠની સેટેલાઇટ તસવીરો લેવામાં આવશે. છેલ્લા ચાર મહિનાની તસવીરો લેતાં સમજાશે કે સ્થિતિ આવી કેમ બની રહી છે? 2-3 દિવસમાં ઈસરો તરફથી આ તસવીરો સામે આવી શકે છે.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જોશીમઠ પર આવેલા સંકટ નાનીસૂની નથી. ભૌગોલિક રીતે, આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે અને સિસ્મિક ઝોન-5 હેઠળ આવે છે. આ શહેરમાં પાણી ઓછું થવાની શક્યતાઓ પહેલા જ ઉભી થઈ હતી અને સરકારના નિષ્ણાતોની ટીમે રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.