જાણો કોણ છે બાબા સિયારામ જેમણે દાન કરી દીધા કરોડો રૂપિયા, 109 વર્ષની ઉંમરમાં પણ.

પંડિત પ્રદીપ મિશ્રા દ્વારા રાધારાની પર કરેલી ટિપ્પણીઓ બાદ ઘણા સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. જો કે, આ આખો મામલો શાંત થઈ ગયો છે. આજે અમે તમને એક એવા બાબા બાબતે બતાવી રહ્યા છીએ જે 109 વર્ષની ઉંમરના છે અને પોતાની સિદ્ધિઓ માટે ખૂબ પ્રસિદ્ધ છે. આ વાત છે મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં રહેનારા સિયારામ બાબાની. તેમની બાબતે વિસ્તારમાં ઘણી કથાઓ પ્રસિદ્ધ છે. કહેવામાં આવે છે કે 10 વર્ષ સુધી બાબાએ એક પગ પર ઊભા રહીને તપ કર્યો.

જો કે, 109 વર્ષની ઉંમરમાં પણ બાબા ચશ્મા વિના રામાયણ વાંચે છે અને પોતાના તમામ કામ પોતે કરે છે. બાબા ખૂબ ઓછું બોલે છે. જો કે, એ છતા બાબાના દર્શન માટે તેમના ભક્ત પહોંચે છે. સિયારામ બાબા મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના નર્મદા નદીના કિનારે સ્થિત ભટ્યાણ આશ્રમના સંત છે અને તેઓ અહી રહે છે. તેમની વાસ્તવિક ઉંમર શું છે એ તો કોઈને ખબર નથી, પરંતુ કહેવામાં આવે છે કે તેમની ઉંમર લગભગ 109 કે 110 વર્ષની છે.

તેમની ઉંમરને લઈને આસપાસના વિસ્તારમાં મતભેદ છે જેના કારણે વાસ્તવિક ઉંમર કોઈને ખબર નથી. કેટલાક લોકો તો કહે છે કે બાબાની ઉંમર 130 વર્ષ છે. જો કે, બાબાએ પણ પોતાની ઉંમર બાબતે કોઈ જાણકારી ન આપી. બાબા સિયારામ હનુમાનના ભક્ત છે. હંમેશાં રામચરિત માનસનો જ પાઠ કરે છે. કહેવામાં આવે છે કે 7માં ધોરણના અભ્યાસ બાદ તેઓ કોઈ સંતના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેમણે ઘર-પરિવાર છોડી દીધા અને તપસ્યા કરવા માટે હિમાલય જતા રહ્યા.

કેટલાક લોકો કહે છે કે બાબાનો જન્મ મહારાષ્ટ્રની આસપાસના કોઈ જિલ્લામાં થયો છે. બાબા બાબતે કહેવામાં આવે છે કે બાબા દાનમાં માત્ર 10 રૂપિયા જ લે છે. તમે લાખો રૂપિયા દાન કરો, તેમાંથી બાબા માત્ર 10 રૂપિયા લેશે અને બાકી પૈસા પાછા આપી દે છે. સિયારામ બાબા મોટા ભાગે ઉદ્ધારના કામો કરે છે. કહેવામાં આવે છે કે નર્મદા નદીના કિનારાની સમારકામ માટે તેમણે લગભગ 2 કરોડ 57 લાખ રૂપિયા દાન કર્યા હતા.

Related Posts

Top News

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?

  દુનિયાના સૌથી ઉંચા બિલ્ડીંગ અને દેશનું ઘરેણું બનનારા સુરત ડાયમંડ બૂર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બર 2023ના દિવસે ઉદઘાટન, ...
Gujarat 
સુરત ડાયમંડ બૂર્સને ધમધમતું કરવા હર્ષ સંઘવીએ કેમ મેદાનમાં આવવું પડ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.