શા માટે અણ્ણા હજારે ગુસ્સે થયા અને નેતાને કેસ કરવાની ચેતવણી કેમ આપી?

સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. અણ્ણા હજારેએ જિતેન્દ્ર આવ્હાડ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર અણ્ણા હજારેનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, આ વ્યક્તિ દેશભરમાં ફર્યો હતો. ટોપી પહેરવાથી કોઈ ગાંધી નથી બની જતા. જિતેન્દ્ર આવ્હાડે અણ્ણા હજારે પર નિશાન સાધતા કહ્યું હતું કે, અણ્ણા હજારેના કારણે દેશને નુકસાન થયું છે.

જિતેન્દ્ર આવ્હાડની પોસ્ટ પર હવે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું છે કે, જેણે પણ આવું કહ્યું છે. તેણે ભૂલ કરી છે. અણ્ણા હજારેએ કહ્યું કે, મારા કારણે દેશને નુકસાન થયું છે તો તેમના જ કારણે ઘણા લોકોને ફાયદો પણ થયો છે. અણ્ણા હજારેએ આ સાથે એ પણ કહ્યું છે કે, તેઓ કોર્ટમાં કેસ દાખલ કરશે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેમના કારણે ઘણા કાયદા બન્યા છે. જેનો લોકોએ લાભ લીધો છે. હજારેએ એ પણ કબૂલ્યું છે કે, તેમના આંદોલાનથી ઘણા કામદારોને નુકસાન થયું છે. અણ્ણા હજારેએ કહ્યું કે, કેટલાક લોકોનું કામ જ એવું છે કે, મારા પર ખોટા આરોપો લગાવ્યા કરે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેઓ વકીલની સલાહ લઈને કોર્ટમાં કેસ દાખલ કરશે.

અણ્ણા હજારેના નિવેદન પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ફરી વળતો પ્રહાર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, મારા ટ્વીટથી તે જાગી ગયા. તેણે પત્રકારોને કહ્યું કે, તેને કોર્ટમાં ખેંચવામાં આવી રહ્યો છે. ચાલો ઊંઘમાંથી જાગીએ અને જોઈએ કે તે કાલથી જાગે છે કે નહીં. અણ્ણા હજારે અને NCP વચ્ચેની ખેંચતાણ નવી નથી. NCP પ્રમુખ શરદ પવારને 2011માં એક યુવકે થપ્પડ મારી હતી. તે સમયે જ્યારે પત્રકારોએ અણ્ણા હજારેને પ્રશ્નો પૂછ્યા ત્યારે અણ્ણા હજારેએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ NCPના કાર્યકરો ગુસ્સે થયા હતા. UPA-2 સરકાર દરમિયાન અણ્ણા હજારેએ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું. ત્યારે તેમણે માંગ કરી હતી કે, સરકાર જનલોકપાલ કાયદો લાવે, જેથી આ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે. અણ્ણાના આંદોલનમાંથી આમ આદમી પાર્ટી (AAP)નો ઉદય થયો.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.