બલુચિસ્તાનની પાછળ કેમ પડી ગયું છે ચીન, જાણવા મળ્યું સાચું કારણ

પાકિસ્તાનનો દક્ષિણ-પશ્ચિમ ભાગ એટલે કે બલુચિસ્તાન છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કારણ છે એક અલગ દેશની માંગ. તેનો અર્થ બલુચિસ્તાનની સ્વતંત્રતા (બલુચિસ્તાન ચળવળ) છે. બલૂચ લોકો અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) લાંબા સમયથી અલગ દેશની માંગ કરી રહ્યા છે. પરંતુ, પાકિસ્તાન સરકાર તેમના આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ચીને પણ બલુચિસ્તાન ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કર્યું છે. પણ આ પાછળનું કારણ શું છે?

Balochistan
deshbandhu.co.in

મીડિયાના સૂત્રોએ આ અંગે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇસ્ટ એશિયન સ્ટડીઝના પ્રોફેસર શ્રીકાંત કુંડાપલ્લી સાથે વાત કરી. તેમણે કહ્યું, 'ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ 2015માં શરૂ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં 52 અબજ ડૉલર (રૂ. 439400 કરોડ)નું રોકાણ કરવામાં આવ્યું છે. આ ચીનના 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' પ્રોજેક્ટનો એક મુખ્ય કાર્યક્રમ છે.'

પ્રોફેસર શ્રીકાંત કુંડાપલ્લીએ CPECથી ચીનને થનારા ત્રણ ફાયદા સમજાવ્યા છે.

પહેલું: ચીન CPEC દ્વારા પોતાનો જમીન માર્ગ વિસ્તારવા માંગે છે. એટલે કે, તેઓ કરાચી બંદર સુધી રસ્તો લંબાવવા માંગે છે, જેથી આ બંદર દ્વારા ચીન પશ્ચિમ એશિયા સાથે પોતાનો વેપાર કરી શકે.

Balochistan
navbharattimes.indiatimes.com

બીજું: ચીન 14-15 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ બનાવવા માંગે છે. જેમ કે 'દાસુ હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ'. તે તેમાંથી વીજળી મેળવવા માંગે છે.

ત્રીજું: ગ્વાદર પોર્ટ, જેને ગ્વાદર બંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સ્થિત એક મહત્વપૂર્ણ બંદર છે. તે અરબી સમુદ્રના કિનારે ગ્વાદર શહેરમાં સ્થિત છે અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC)નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથી ચીનને ઊર્જા આયાત કરવાનો માર્ગ મળે છે અને ચીનને દક્ષિણ એશિયા અને મધ્ય પૂર્વના દેશો સાથે વેપાર અને જોડાણ વધારવામાં મદદ કરે છે. આ બંદરની મદદથી, મોટા પાયે લોજિસ્ટિક્સ મંગાવી શકાય છે અને મોકલી શકાય છે.

Balochistan
zeebiz.com

હવે આપણે મૂળ સવાલ પર પાછા આવીએ. ચીનને બલુચિસ્તાનમાં કેમ રસ છે? જેમ પહેલા ઉલ્લેખ કર્યો છે તેમ, ગ્વાદર બંદર બલુચિસ્તાન પ્રાંતમાં જ છે. પ્રોફેસર શ્રીકાંત કુંડાપલ્લીએ કહ્યું કે, બલુચી નેતાઓ કહે છે કે, ચીન ત્યાં વસાહતી તરીકે આવ્યું હતું. તેમણે આગળ કહ્યું, 'બલુચિસ્તાનમાં એક તાંબાની ખાણ છે. તેઓએ તાંબાની ખાણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ ઉપરાંત, બલુચિસ્તાન ખનિજોની એક મોટી ખાણ છે. ચીન સરકાર ગ્વાદર બંદરની આસપાસ પાંચ લાખ ચીની લોકોને લાવીને એક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માંગે છે. પાંચ લાખ એક મોટી સંખ્યા કહી શકાય છે.'

પ્રોફેસર શ્રીકાંત કુંડાપલ્લીએ જણાવ્યું હતું કે, ચીન દ્વારા બનાવવામાં આવી રહેલા ઉત્પાદન કેન્દ્રમાં કોઈપણ સ્થાનિક નાગરિકને નોકરી આપવાની કોઈ વાત થઈ નથી. જેના કારણે બલૂચ લોકો ખૂબ ગુસ્સે છે.

Top News

GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
Tech and Auto 
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
Sports 
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
National 
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ પર કોંગ્રેસે પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ કહ્યું છે...
National 
ચૂંટણી પંચની PC બાદ કોંગ્રેસ કહે- અમારા સવાલના જવાબ નથી આપ્યા, BJP કહે- ચૂંટણી પંચે યોગ્ય જવાબ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.