હાથથી લખાયેલી બંધારણની કોપીને હીલિયમ ગેસ ચેમ્બરમાં કેમ રાખવામાં આવી છે?

On

ભારતીય બંધારણની જે મૂળ કોપીને 26 નવેમ્બરે હિંદી અને અંગ્રેજીમાં સ્વીકરાવામાં આવી હતી, તે હસ્તલિખિત હતી. 72 વર્ષ પછી પણ બંધારણની આ કોપી સુરક્ષિત છે અને તે કાયમ માટે સુરક્ષિત રહે તેના માટે સંસદની લાયબ્રેરીમાં હિલયમ ગેસથી ભરેલા ચેમ્બરમાં રાખવામાં આવી છે.

એક સમયે ભારતીય બંધારણની મૂળ કોપીને ફલાલેનના કાપડમાં લપેટીને નેફ્થાલીનની ગોળીઓ સાથે રાખવામાં આવી હતી. 1994માં અમેરિકાની જેમ ભારત સરકારે પણ નક્કી કર્યું હતું કે તેને વૈજ્ઞાનિક પધ્ધિત દ્રારા તૈયાર થયેલી ગેસ ચેમ્બરમાં રાખવી જોઇએ. એના માટે ભારત સરકારે અમેરિકાની ગેટી ઇન્સ્ટિયૂટ સાથે કરાર કર્યો હતો. એ પછી ભારતની નેશનલ ફિઝિકલ લાયબ્રેરી અને ગેટીએ મળીને બંધારણની કોપીને ખાસ પ્રકારની ગેસ ચેમ્બર તૈયાર કરી હતી.

તમને સવાલ થશે કે હિલયમ ગેસ ચેમ્બર જ કેમ પંસદ કરવામાં આવ્યું? તો એનો જવાબ એ છે કે હીલિયમ એક નિષ્ક્રિય ગેસ હોય છે,તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહી શકે છે. હિલયમ ગેસ ન તો કોઇ ક્રિયા કરે છે કે ન તો અન્ય તત્ત્વોને ક્રિયા કરવા દે છે. નહીતર, દરેક પદાર્થ સાથે કુદરતી રીતે જૈવિક અથવા અકાર્બનિક પ્રતિક્રિયા થાય છે અને સમય જતા તે ક્ષીણ થવા માંડે છે. પરંતુ હિલિયમની સાથે બંધારણની મૂળ નકલને સાચવવા માટે વધુ કરવામાં આવે છે.

ભારતીય બંધારણ કાળી શાહીથી લખાયેલું છે. શાહીનું ઓક્સીડાઇઝ થતું હોય છે, મતલબ કે લખલી શાહીનો કલર સમય જતા ઝાંખો પડવા માંડે છે. તેથી તેને સાચા અર્થમાં ભેજ પણ આપવો પડે છે.

બંધારણની નકલ માટે  ઘન મીટર દીઠ 50 ગ્રામ  ભેજની જરૂર પડે છે તેથી હવા ચુસ્ત ચેમ્બર એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે તેમાં ભેજનું ચોક્કસ પ્રમાણ જળવાઇ રહે.

દર વર્ષે ચેમ્બરમાંથી હિલિયમ ગેસને બહાર કાઢી લેવામાં આવે છે અને ફરી નવો હિલિયમ ગેસ ભરવામાં આવે છે. આ ચેમ્બરને દર બે મહિને ચેક કરવામાં આવે છે. તેની અંદરના માહોલને સીસીટીવી દ્રારા મોનિટર કરવામાં આવે છે.

સંવિધાન સભાએ ભારતના બંધારણને 2 વર્ષ 11 મહિના અને દિવસ પછી 26 નવેમ્બર 1949ના દિવસે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું અને 26 જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું હતું.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.