નિવૃત્ત સૈનિકોને માત્ર 1.9% જ નોકરી કેમ મળે છે? રાહુલ ગાંધીએ રક્ષા સમિતિમાં ઉઠાવ્યો સવાલ

તાજેતરમાં રક્ષા સંબંધિત સ્થાયી સમિતિની એક બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ઓછામાં ઓછા 10%-25% નિવૃત્ત સૈનિકોની ભરતી કરવાની જોગવાઈ છે ત્યારે સરકારી નોકરીઓમાં માત્ર 1,9% નિવૃત્ત સૈનિકોનો સમાવેશ કેમ કરવામાં આવે છે? આ ઉપરાંત, બેઠકમાં નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ભાજપના રાધા મોહન સિંહની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત સૈનિકો માટે પુનર્વસન, રોજગારની તકો અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ સમિતિના સભ્ય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ઘણા નિવૃત્ત સૈનિકો માટે મિલીટરી હોસ્પિટલોમાં સારવાર મેળવવામાં મુશ્કેલ થઈ જાય છે.

rahul2
facebook.com/rahulgandhi

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે, જ્યારે નિવૃત્ત સૈનિકોને ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે, ત્યારે તેમને ઘણીવાર સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ઘણી હોસ્પિટલો સરકારી લેણાંની ચૂકવણી ન થવાને કારણે તેમની સારવાર કરવાનો ઇનકાર કરી દે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમને કેન્સર અને કિડનીની સારવાર માટે માત્ર 75,000 રૂપિયા મળે છે. આટલી ઓછી રકમથી કેન્સર અથવા કિડનીની બીમારીની સારવાર કેવી રીતે શક્ય છે? આ રકમ વધારવી જોઈએ.

rahul
facebook.com/rahulgandhi

કેટલાક સભ્યોએ એમ પણ કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (PSUs)એ પૂર્વ સૈનિકોની ભરતી કરવી જોઈએ. દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું કે 2019માં માત્ર 1.9 ટકા નિવૃત્ત સૈનિકોની જ ભરતી કરવામાં આવી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ક્વોટા સિસ્ટમના ફાયદા તેના ઉમેદવારો સુધી પહોંચી રહ્યા નથી. સાંસદોએ રક્ષા મંત્રાલયને વર્તમાન પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવા ઉપરાંત નોકરીના ક્વોટા અને તબીબી લાભોની ફાળવણીમાં પારદર્શિતા વધારવા અપીલ કરી.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.