નિવૃત્ત સૈનિકોને માત્ર 1.9% જ નોકરી કેમ મળે છે? રાહુલ ગાંધીએ રક્ષા સમિતિમાં ઉઠાવ્યો સવાલ

તાજેતરમાં રક્ષા સંબંધિત સ્થાયી સમિતિની એક બેઠક યોજાઈ હતી. સમિતિના સભ્યોએ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે ઓછામાં ઓછા 10%-25% નિવૃત્ત સૈનિકોની ભરતી કરવાની જોગવાઈ છે ત્યારે સરકારી નોકરીઓમાં માત્ર 1,9% નિવૃત્ત સૈનિકોનો સમાવેશ કેમ કરવામાં આવે છે? આ ઉપરાંત, બેઠકમાં નિવૃત્ત સૈનિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ભાજપના રાધા મોહન સિંહની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત સૈનિકો માટે પુનર્વસન, રોજગારની તકો અને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. રક્ષા મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ સમિતિના સભ્ય છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ઘણા નિવૃત્ત સૈનિકો માટે મિલીટરી હોસ્પિટલોમાં સારવાર મેળવવામાં મુશ્કેલ થઈ જાય છે.

rahul2
facebook.com/rahulgandhi

સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું હતું કે, જ્યારે નિવૃત્ત સૈનિકોને ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવે છે, ત્યારે તેમને ઘણીવાર સારવાર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ઘણી હોસ્પિટલો સરકારી લેણાંની ચૂકવણી ન થવાને કારણે તેમની સારવાર કરવાનો ઇનકાર કરી દે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘તેમને કેન્સર અને કિડનીની સારવાર માટે માત્ર 75,000 રૂપિયા મળે છે. આટલી ઓછી રકમથી કેન્સર અથવા કિડનીની બીમારીની સારવાર કેવી રીતે શક્ય છે? આ રકમ વધારવી જોઈએ.

rahul
facebook.com/rahulgandhi

કેટલાક સભ્યોએ એમ પણ કહ્યું કે સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (PSUs)એ પૂર્વ સૈનિકોની ભરતી કરવી જોઈએ. દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું કે 2019માં માત્ર 1.9 ટકા નિવૃત્ત સૈનિકોની જ ભરતી કરવામાં આવી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે ક્વોટા સિસ્ટમના ફાયદા તેના ઉમેદવારો સુધી પહોંચી રહ્યા નથી. સાંસદોએ રક્ષા મંત્રાલયને વર્તમાન પ્રક્રિયાઓનું મૂલ્યાંકન કરવા ઉપરાંત નોકરીના ક્વોટા અને તબીબી લાભોની ફાળવણીમાં પારદર્શિતા વધારવા અપીલ કરી.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.