શું પાકિસ્તાની સીમા હૈદરને પણ દેશ છોડવો પડશે? શું કહે છે તેનો વકીલ?

પહેલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે દ્વારા SAARC દ્વારા પાકિસ્તાનીઓને આપવામાં આવેલા વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવામાં, સીમા હૈદર ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. સીમા પહેલી વખત ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણ પોતાના ભારતીય પ્રેમી (સચિન મીણા) સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાન છોડી દીધું હતું. હવે તેને ફરીથી તપાસનો સામનો કરવો પડી રહ્યા છે કેમ કે કેન્દ્રએ જવાબી કાર્યવાહીમાં, એ દેશ (પાકિસ્તાન)ના તમામ નાગરિકોને મહિનાના અંત અગાઉ ભારત છોડવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સીમા હૈદર, જે અગાઉથી જ પરિણીત છે અને ઘર પર 4 બાળકો છે, વર્ષ 2023માં નેપાળના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી ગઈ હતી.

seema-haider3

આ દરમિયાન, એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે, ભારત સરકારના આદેશ બાદ શું સીમા હૈદરે પણ પાકિસ્તાન જવું પડશે? તેનો જવાબ સીમા હૈદરના વકીલ એ.કે. સિંહે આપતા કહ્યું કે, સીમા હવે પાકિસ્તાની નાગરિક નથી. તેણે ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીણા સાથે લગ્ન કર્યા છે અને તાજેતરમાં જ તેણે પુત્રી ભારતી મીણાને જન્મ આપ્યો. તેની નાગરિકતા હવે તેના ભારતીય પતિ સાથે જોડાયેલી છે, એટલે કેન્દ્રનો નિર્દેશ તેના પર લાગૂ ન થવો જોઇએ.

મીડિયા સાથે વાત કરતા વકીલ એ.કે. સિંહે તર્ક આપ્યો કે કેન્દ્રનો આદેશ માત્ર એ લોકોને લાગૂ પડે છે જેમની પાસે હાલમાં પાકિસ્તાની નાગરિકતા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેનો મામલો અલગ છે કારણ કે તે પહેલાથી જ આતંકવાદ વિરોધી ટીમ (ATS) દ્વારા તપાસને આધીન છે. વકીલ એ.કે. સિંહે કહ્યું કે, સીમા ભારતમાં છે અને તે ભારતીય છે. લગ્ન બાદ, એક મહિલાની રાષ્ટ્રીયતા તેના પતિની રાષ્ટ્રીયતાના આધારે નક્કી થાય છે. મેં ભારતના રાષ્ટ્રપતિ સમક્ષ તેના તરફથી અરજી પણ દાખલ કરી છે. તે જામીન પર બહાર છે અને જેવર કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું પૂરી રીતે પાલન કરી રહી છે, જેમાં ગ્રેટર નોઈડાના રબુપુરામાં પોતાના સાસરિયાના ઘરમાંથી બહાર ન નીકળવાનું સામેલ છે.

seema-haider1
moneycontrol.com

આંતરરાષ્ટ્રીય કાયદાકીય માળખાના સંદર્ભે સિંહે કહ્યું કે, ‘આંતરરાષ્ટ્રીય કોર્ટ અને વાલી અધિનિયમમાં સ્પષ્ટ રૂપે કહેવામા આવ્યું છે કે માતા બાળકની શ્રેષ્ઠ વાલી હોય છે. શું તમે ભારતમાં જન્મેલી તમારી પુત્રીને પાકિસ્તાન મોકલવા માગશો? સીમાના લગ્ન અને માતૃત્વ એક પ્રાકૃતિક પ્રક્રિયાનો હિસ્સો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા જન્મ પ્રમાણપત્રમાં સીમા મીણાને બાળકની માતા અને સચિન મીણાને બાળકના પિતાના રૂપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ભારતીય સમાજમાં તેના એકીકરણની પુષ્ટિ કરે છે. ગાર્જિયનશીપ એક્ટ મુજબ, બાળકે માતા સાથે રહેવું જોઈએ.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.