હેટ સ્પીચ પર SCનો કેન્દ્ર અને રાજ્યોને સખત નિર્દેશ, ‘નફરત ફેલાવનારા કેન્ટેન્ટ..’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હેટ સ્પીચ પર કડક સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નફરત ફેલાવતા ભાષણોને ગંભીરતાથી લેવા જોઈએ અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ફરિયાદ નોંધાવાની રાહ જોયા વિના, પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને FIR નોંધવી જોઈએ અને દોષીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નફરત ફેલાવતા ભાષણોને સહન કરવામાં નહીં આવે અને તે મોટા જોખમ બનતા જઈ રહ્યા છે, જેને વધતા રોકવા પડશે. નફરતી ભાષણોને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

SC
fairobserver.com

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા નફરતી ભાષણ ચિંતાજનક છે અને તેને રોકવાની સખત જરૂરિયાત છે. આજકાલ, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે દરેક વસ્તુને યોગ્ય ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે. કોર્ટે કહ્યું કે નફરત ફેલાવતા ભાષણો દેશના ધર્મનિરપેક્ષ માળખા માટે જોખમ છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ.

SC
siasat.com

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત નિર્દેશ આપ્યો કે, તેઓ IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ સ્વતઃ સજ્ઞાન લઈને કાર્યવાહી કરે, ભલે કોઈ ફરિયાદ દાખલ ન થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કાર્યવાહી કરવામાં કોઈપણ ખચકાટને સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે મીડિયા, ખાસ કરીને TV ચેનલોને પણ ફટકાર લગાવતા કહ્યું હતું કે, એન્કરોની જવાબદારી છે કે નફરત ફેલાવનારા ભાષણોને રોકે. સરકારે હેટ સ્પીચના મુદ્દાને તુચ્છ ન ગણવો જોઈએ અને તેને રોકવા માટે એક તંત્ર વિકસિત કરવું જોઇએ.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.