હેટ સ્પીચ પર SCનો કેન્દ્ર અને રાજ્યોને સખત નિર્દેશ, ‘નફરત ફેલાવનારા કેન્ટેન્ટ..’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને હેટ સ્પીચ પર કડક સૂચનાઓ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નફરત ફેલાવતા ભાષણોને ગંભીરતાથી લેવા જોઈએ અને તેને રોકવા માટે તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, ફરિયાદ નોંધાવાની રાહ જોયા વિના, પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈને FIR નોંધવી જોઈએ અને દોષીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નફરત ફેલાવતા ભાષણોને સહન કરવામાં નહીં આવે અને તે મોટા જોખમ બનતા જઈ રહ્યા છે, જેને વધતા રોકવા પડશે. નફરતી ભાષણોને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

SC
fairobserver.com

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા નફરતી ભાષણ ચિંતાજનક છે અને તેને રોકવાની સખત જરૂરિયાત છે. આજકાલ, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે દરેક વસ્તુને યોગ્ય ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે ખૂબ જ ખતરનાક છે. કોર્ટે કહ્યું કે નફરત ફેલાવતા ભાષણો દેશના ધર્મનિરપેક્ષ માળખા માટે જોખમ છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ.

SC
siasat.com

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત નિર્દેશ આપ્યો કે, તેઓ IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ સ્વતઃ સજ્ઞાન લઈને કાર્યવાહી કરે, ભલે કોઈ ફરિયાદ દાખલ ન થાય. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કાર્યવાહી કરવામાં કોઈપણ ખચકાટને સુપ્રીમ કોર્ટનો તિરસ્કાર માનવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે મીડિયા, ખાસ કરીને TV ચેનલોને પણ ફટકાર લગાવતા કહ્યું હતું કે, એન્કરોની જવાબદારી છે કે નફરત ફેલાવનારા ભાષણોને રોકે. સરકારે હેટ સ્પીચના મુદ્દાને તુચ્છ ન ગણવો જોઈએ અને તેને રોકવા માટે એક તંત્ર વિકસિત કરવું જોઇએ.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.