રખડતા કૂતરાઓને ખવડાવવા પર સુપ્રીમ કોર્ટે ગુસ્સે થઈને કહ્યું- 'તમે તેમને ઘરે કેમ ખવડાવતા નથી?'

મંગળવાર, 15 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે નોઈડામાં રખડતા કૂતરાઓને ખવડાવવા બદલ થતી હેરાનગતિનો આરોપ લગાવતી અરજી પર સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરનાર મહિલાને પૂછ્યું, તમે તમારા ઘરે કૂતરાઓને કેમ ખવડાવતા નથી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ કેસની સુનાવણી કરી રહી હતી. બેન્ચે અરજદારના વકીલને કહ્યું, 'શું આપણે રખડતા કૂતરાઓને ખવડાવતા આ દયાળુ લોકો માટે દરેક શેરી, દરેક રસ્તો ખુલ્લો રાખવો જોઈએ? આ પ્રાણીઓ માટે પૂરતી જગ્યા છે. પરંતુ માણસો માટે કોઈ જગ્યા નથી. તમે તેમને તમારા ઘરે કેમ ખવડાવતા નથી? તમને કોઈ રોકી રહ્યું નથી.'

Supreme-Court3
livehindustan.com

અરજદારના વકીલે કહ્યું કે પશુ જન્મ નિયંત્રણ નિયમો હેઠળ રખડતા કૂતરાઓને ખવડાવવાને કારણે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. નિયમ 20 હેઠળ, તે વિસ્તારમાં રહેતા રખડતા કૂતરાઓને ખવડાવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA), એપાર્ટમેન્ટ ઓનર એસોસિએશન અથવા સ્થાનિક સત્તામંડળની છે.

આના પર સુપ્રીમ કોર્ટે અરજદારને સૂચન કર્યું, 'અમે તમને તમારા ઘરમાં તેઓના રહેવા માટે એક આશ્રયસ્થાન ખોલવાની સલાહ આપીએ છીએ. તમારા ઘરમાં દરેક કૂતરાને ખાવાનું આપો.'

Supreme-Court,-Stray-Dogs
ndtv.in

અરજદારના વકીલે કહ્યું કે, તેઓ પશુ જન્મ નિયંત્રણ નિયમોનું પાલન કરી રહ્યા છે. નિયમો હેઠળ, ગ્રેટર નોઇડામાં આવી જગ્યાઓ બનાવવામાં આવી રહી છે. પરંતુ નોઇડાના અધિકારીઓ આમ કરી રહ્યા નથી. તેમણે કહ્યું કે કૂતરાઓને ખાવાનું આપવા માટેની જગ્યાઓ એવી જગ્યાએ બનાવી શકાય છે, જ્યાં વધુ લોકો ન હોય. આના પર, બેન્ચે પૂછ્યું, 'શું તમે સવારે સાયકલ ચલાવો છો? એકવાર પ્રયાસ કરો, જુઓ શું થાય છે.'

Supreme-Court,-Stray-Dogs
hindi.livelaw.in

વકીલે જવાબ આપ્યો કે, તે મોર્નિંગ વોક માટે જાય છે. રસ્તામાં ઘણા કૂતરા હોય છે. આના પર, બેન્ચે કહ્યું, 'આના કારણે જ, મોર્નિંગ વોક માટે જતા લોકો પણ જોખમમાં છે, સાયકલ સવારો અને ટુ-વ્હીલર સવારો વધુ જોખમમાં છે.'

આ પછી, સુપ્રીમ કોર્ટે આ અરજીને એજ પ્રકારના મુદ્દા પર પેન્ડિંગ રહેલી બીજી અરજી સાથે જોડી દીધી.

About The Author

Related Posts

Top News

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.