શું ચંદ્રયાન-3ના લૉન્ચિંગમાં સામેલ થશે PM મોદી? ISRO ચીફે આપ્યો જવાબ

ભારતના ઇતિહાસ રચવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 14 જુલાઇના રોજ ભારતીય સ્પેસ એજન્સી (ISRO) શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરીક્ષ કેંદ્રથી પોતાનું મૂન મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવાની છે. બપોરે 2 વાગીને 35 મિનિટ ISROએ લોન્ચિંગ માટે સમય નક્કી કર્યો છે. ત્યારબાદ ભારત ચંદ્રની સપાટી પર યાન ઉતારનારો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-3 મિશનનું ઉદ્દેશ્ય ચંદ્રમાની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ બાદ, માટી, પથ્થરોના રાસાયણિક અને મૌલિક સંરચના સહિત વિભિન્ન ગુણોની તપાસ કરશે.

ચંદ્રમા પર સફળતાપૂર્વક ઉતરવાનો ભારતનો આ બીજો પ્રયાસ હશે. ISRO પ્રમુખ એસ. સોમનાથે પુષ્ટિ કરી છે કે, ચંદ્રયાન-3 મિશનની તૈયારીઓ લગભગ પૂરી થઈ ચૂકી છે. ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 વચ્ચેના અંતર બાબતે પૂછવામાં આવતા ISRO પ્રમુખ સોમનાથે કહ્યું કે, ગત મિશન સામાન્ય ખામીના કારણે પોતાના અંતિમ ચરણમાં નિષ્ફળ થઈ ગયું હતું. જો કે, ખામીઓને ઓળખીને તેમને દૂર કરી લેવામાં આવી છે. લેન્ડરની મજબૂતી વધારવા માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે.

ISROએ અંતરીક્ષ યાનની લેન્ડિંગ ક્ષમતાને વધારી છે. વીજ ઉત્પાદન ક્ષમતામાં સુધાર કર્યો છે. અતિરિક્ત સેન્સર લગાવવામાં આવ્યા છે. ISRO પ્રમુખ એસ. સોમનાથે સ્પષ્ટ કર્યું કે આ વખત રોવરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.  તેમણે ચંદ્રયાન-2ના લેન્ડર ‘વિક્રમ’ના સોફ્ટ લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહેવાની જાણકારી શેર કરતા કહ્યું કે, જ્યારે તેને ચંદ્રમાની સપાટી પર 500 x 500 મીટરના નક્કી લેન્ડિંગ સ્થળ તરફ ઉતરવાનું શરૂ કર્યું તો તેની ગતિ ધીમી કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા એન્જિનોમાં આશાથી વધારે બળ વિકસિત થઈ ગયું.

વધારે બળ ઉત્પન્ન થવાથી થોડી જ અવધિમાં એરર ઉત્પન્ન થઈ ગયા. બધા એરર એક સાથે થઈ ગયા, જે અપાણી અપેક્ષાથી ઘણા વધારે હતા. યાને ખૂબ તેજીથી વળવું પડ્યું. જ્યારે તે ખૂબ તેજીથી વળવા લાગ્યું તો તેના વળવાની ક્ષમતા સોફ્ટવેરના માધ્યમથી સીમિત થઈ ગઈ. આપણે એવી સ્થિતિની આશા કરી નહોતી.

ISRO પ્રમુખે ખુલાસો કર્યો કે ચંદ્રમા પર મહત્ત્વાકાંક્ષી મિશનની લૉન્ચિંગના સાક્ષી બનવા માટે ઘણા ગણમાન્ય વ્યક્તિઓને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોન્ચમાં સામેલ થશે? આ સવાલ પર સોમનાથે કહ્યું કે, અમે બધાને આમંત્રિત કરીએ છીએ. એ તેમના પર છોડી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશનની લેન્ડિંગમાં સામેલ થયા હતા, જે ચંદ્રમા પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. એ ભાવાત્મક ક્ષણ હતી. તત્કાલીન ISRO પ્રમુખ કે. સિવાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગળે લગાવીને સાંત્વના આપી હતી.

Related Posts

Top News

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.