મહિલા અનામત બિલ: કાયદો બની ગયા પછી પણ શું 2029ની ચૂંટણી પહેલા લાગૂ થશે આ બિલ

ભારતમાં 27 વર્ષ પછી નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું છે. કઇ કેટલીય સરકારોએ આ બિલ લાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બધા નિષ્ફળ ગયા હતા. પરંતુ લોકોના મનમા સવાલ એ છે કે મહિલા આરક્ષણ બિલ રજૂ થઇ ગયા પછી શું 2024 લોકસભાથી મહિલાઓને આ લાભ મળશે? મહિલાઓને 33 ટકા મહિલા અનામતનો લાભ કયારે મળશે? તો તમારા આ સવાલનો જવાબ તમને અહીં મળશે. પણ એટલુ ંચોક્કસ છે કે જ્યારે પણ લાગૂ પડશે, 15 વર્ષ સુધી તેનો અમલ રહેશે.

ભારતીય સંસદમાં મંગળવારે રજૂ થઈ શકે તેવા ઐતિહાસિક મહિલા અનામત બિલ વિશેની વિગતવાર માહિતી અનુસાર, આ બિલને મતવિસ્તારોની સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે.

મહિલાઓને સંસદમાં 33 ટકા અનામત આપવાની કવાયત 27 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેમાં વારંવાર અડચણો આવ્યા હતા અને બિલ મંજૂર થઇ શક્યું નહોતું.

જો કે ભલે આ બિલનો ખરડો પસાર થઈ જશે તો પણ 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામતનો અમલ કરવો શક્ય બનશે નહીં, કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે મતવિસ્તારની સીમાંકન પછી પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હોય અને ભારતમાં વસ્તી ગણતરી વર્ષ 2027 માં જ થવાની સંભાવના છે.

આ બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય પછાત વર્ગો (OBC) માટેનો ક્વોટા આપવામાં આવ્યો નથી, કારણ કે બંધારણમાં પણ તે વિધાનસભાઓને આપવામાં આવ્યું નથી. આ ક્વોટા રાજ્યસભામાં કે રાજ્યોની વિધાન પરિષદોમાં પણ લાગુ કરવામાં આવશે નહીં.

મહિલા આરક્ષણ બિલ અનુસાર લોકસભા અને રાજ્ય વિધાનસભાની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. વધુમાં, મહિલાઓ માટે અનામત બેઠકો પૈકી એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.

મહિલા આરક્ષણ બિલ લાગુ થયા પછી 15 વર્ષ સુધી અમલમાં રહેશે. 15 વર્ષ પછી ફરી નવું બિલ લાવવું પડશે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે, "કલમ 239AA, 330A અને 332Aની જોગવાઈઓને આધીન, લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો ચાલુ રહેશે. સંસદ કાયદા દ્વારા નિર્ણય કરશે તેવી તારીખ સુધી અનામત છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.