મહિલા અનામત બિલ: કાયદો બની ગયા પછી પણ શું 2029ની ચૂંટણી પહેલા લાગૂ થશે આ બિલ

ભારતમાં 27 વર્ષ પછી નવી લોકસભામાં મહિલા આરક્ષણ બિલ રજૂ કરવામાં આવ્યું છે. કઇ કેટલીય સરકારોએ આ બિલ લાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ બધા નિષ્ફળ ગયા હતા. પરંતુ લોકોના મનમા સવાલ એ છે કે મહિલા આરક્ષણ બિલ રજૂ થઇ ગયા પછી શું 2024 લોકસભાથી મહિલાઓને આ લાભ મળશે? મહિલાઓને 33 ટકા મહિલા અનામતનો લાભ કયારે મળશે? તો તમારા આ સવાલનો જવાબ તમને અહીં મળશે. પણ એટલુ ંચોક્કસ છે કે જ્યારે પણ લાગૂ પડશે, 15 વર્ષ સુધી તેનો અમલ રહેશે.

ભારતીય સંસદમાં મંગળવારે રજૂ થઈ શકે તેવા ઐતિહાસિક મહિલા અનામત બિલ વિશેની વિગતવાર માહિતી અનુસાર, આ બિલને મતવિસ્તારોની સીમાંકન પછી જ લાગુ કરવામાં આવશે.

મહિલાઓને સંસદમાં 33 ટકા અનામત આપવાની કવાયત 27 વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેમાં વારંવાર અડચણો આવ્યા હતા અને બિલ મંજૂર થઇ શક્યું નહોતું.

જો કે ભલે આ બિલનો ખરડો પસાર થઈ જશે તો પણ 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામતનો અમલ કરવો શક્ય બનશે નહીં, કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે મતવિસ્તારની સીમાંકન પછી પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હોય અને ભારતમાં વસ્તી ગણતરી વર્ષ 2027 માં જ થવાની સંભાવના છે.

આ બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય પછાત વર્ગો (OBC) માટેનો ક્વોટા આપવામાં આવ્યો નથી, કારણ કે બંધારણમાં પણ તે વિધાનસભાઓને આપવામાં આવ્યું નથી. આ ક્વોટા રાજ્યસભામાં કે રાજ્યોની વિધાન પરિષદોમાં પણ લાગુ કરવામાં આવશે નહીં.

મહિલા આરક્ષણ બિલ અનુસાર લોકસભા અને રાજ્ય વિધાનસભાની એક તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે સીધી ચૂંટણી દ્વારા ભરવામાં આવશે. વધુમાં, મહિલાઓ માટે અનામત બેઠકો પૈકી એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.

મહિલા આરક્ષણ બિલ લાગુ થયા પછી 15 વર્ષ સુધી અમલમાં રહેશે. 15 વર્ષ પછી ફરી નવું બિલ લાવવું પડશે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે, "કલમ 239AA, 330A અને 332Aની જોગવાઈઓને આધીન, લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો ચાલુ રહેશે. સંસદ કાયદા દ્વારા નિર્ણય કરશે તેવી તારીખ સુધી અનામત છે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.