PUC કઢાવવા લાઇનમાં ઉભા રહીને કંટાળી ગયા હોવ તો આ વાંચી લેજો

ગુજરાતમાં સરકારની જાહેરાત અનુસાર 16 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થવનો છે. કેન્દ્ર સરકારના મોટર વ્હીકલમાં કેટલાક સુધારાઓ કરીને વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડમાં આંશિક રાહત આપવામાં આવી છે. ગુજરાત સરકારની જાહેરાત પછી રાજ્યના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને PUC સેન્ટરની બહાર લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક લોકોએ તો રાજ્ય સરકાર પાસેથી PUC મેળવવાના સમયમાં વધારો કરવાની માગ પણ કરી હતી. લોકોની માગના આધારે સરકાર દ્વારા PUC મેળવાના અને HSRP નંબર પ્લેટ લગાડવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે.

PUC સેન્ટરો ઓછા હોવાના કારણે લોકોની લાંબી લાઈન હજુ પણ PUC સેન્ટરની બહાર જોવા મળે છે. હવે PUC કઢાવવા ઈચ્છાતા લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. હવેથી PUCમેળવવા માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. વાહન વ્યવહાર કમિશનરના આ નિર્ણયથી લોકોને PUC મેળવામાં ઘણી રાહત મળશે. આવતી કાલથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થવાની ત્યારે લોકોને દંડ ન ભરવો પડે તે માટે લોકો તેમના ખૂટતા તમામ ડોક્યુમેન્ટ મેળવવા માટે દોડાદોડી કરી રહ્યા છે, ત્યારે લોકોને PUC કઢાવવા માટે પડતી મુશ્કેલીને જોઈને વાહન વ્યવહાર કમીશનરે રાજ્યમાં વધુ 1500 જેટલા PUC સેન્ટરો ખોલવા માટેની અરજીઓ મંગાવી છે.

1500 જેટલા નવા PUC સેન્ટરો ખૂલવાથી વાહન ચાલકોને PUC મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે, તેનાથી છુટકારો મળશે અને PUC સરળતાથી મળી રહે છે. નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી થયા પછી વાહન ચાલકનું વાહન RTO કે, ટ્રાફિક પોલીસ દ્વારા પૂરાવાઓના અભાવે જમા કરવામાં આવે છે, તો વાહન ચાલક વાહન જમાના 15 દિવસની અંદર પોતાના વાહનના પુરાવાઓ પોલીસને બતાવીને તેનું વાહન કોઈ પણ પ્રકારનો દંડ ભર્યા વગર પણ છોડાવી શકે છે.

Related Posts

Top News

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.