સમયબદ્ધતા માટે જાણીતી જાપાનની બુલેટ ટ્રેનને નાગદેવતાએ અટકાવી દીધી

જાપાનની સૌથી વ્યસ્ત બુલેટ ટ્રેન લાઇન, શિંકનસેન, એક અનોખા કારણોસર બંધ થઈ ગઈ. એક મીટર લાંબો સાપ વીજળીના વાયર પર ચઢી ગયો અને વીજળીના પુરવઠાને ખોરવી નાંખ્યો. આના કારણે ટોક્યો અને ઓસાકા વચ્ચે દોડતી ટ્રેનો અટકી ગઈ હતી અને સેંકડો મુસાફરો અધવચ્ચે જ ફસાઈ ગયા. આ ઘટના સાંજે 5:25 વાગ્યે માઈબારા અને ગિફુ-હાશિમા સ્ટેશનો વચ્ચે બની હતી. સાપ વીજળીના થાંભલા પર ચઢી ગયો અને વાયર પર સરકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ. સાપ મરી ગયો અને સાંજે 7 વાગ્યા પછી વીજળી પુનઃસ્થાપિત થઈ. ટ્રેનોની અંદર વીજળી ચાલુ રહી, જેના કારણે લાઇટ અને એર કન્ડીશનીંગ કાર્યરત રહ્યું.

Snake on Train
zeenews.india.com

46 વર્ષીય સાતોશી તગાવા ટોક્યો પરત ફરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'હું દર મહિને ઘણી વખત શિંકનસેનથી મુસાફરી કરું છું, પણ વીજળી ગુલ થવાને કારણે ટ્રેન બંધ થવાનો આ મારો પહેલો અનુભવ છે.' મુસાફરોને ટ્રેનોમાં રાહ જોવી પડી અને ન્યૂઝ ચેનલોએ આનો વીડિયો પણ બતાવ્યો. આ ઘટના ગોલ્ડન વીક રજાના પહેલા દિવસે બની હતી, જ્યારે જાપાનમાં લાખો લોકો તેમના ઘરે અથવા રજાઓ માટે મુસાફરી કરતા હોય છે. આ ઉપરાંત, એપ્રિલથી ઓસાકામાં ચાલી રહેલ ઓસાકા એક્સ્પો 2025 પણ લોકોને આકર્ષિત કરી રહ્યું છે. આ કારણે ટ્રેનોમાં ભીડ વધુ હતી.

શિંકનસેન ટોક્યો, નાગોયા અને ઓસાકાને જોડે છે. તે દરરોજ 370થી વધુ ટ્રેનોનું સંચાલન કરે છે અને સરેરાશ 4.3 લાખ મુસાફરો તેમાં મુસાફરી કરતા હોય છે. 285 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તે અઢી કલાકથી ઓછા સમયમાં ટોક્યોથી ઓસાકા પહોંચી જાય છે. 1964ના ટોક્યો ઓલિમ્પિક પહેલા શરૂ થયેલી આ ટ્રેન તેના ચોક્કસ સમયપાલન માટે પ્રખ્યાત છે. સરેરાશ, તે સમયપત્રકથી માત્ર 1.6 મિનિટ મોડી ચાલતી હોય છે.

Snake on Train
straitstimes.com

આ પહેલી વાર નથી જ્યારે શિંકનસેનને સાપના કારણે રોકવામાં આવી હોય. ગયા વર્ષે એપ્રિલમાં, ટ્રેનના ડબ્બામાં 40 cmનો સાપ મળી આવ્યો હતો, જેના કારણે ટ્રેન 17 મિનિટ મોડી પડી હતી. 2009માં, એક સાપે ટોક્યો અને ફુકુશિમા વચ્ચે ઇલેક્ટ્રિક વાયર પર ચઢીને ટ્રેનો રોકી હતી. શિંકનસેનનો સલામતીનો રેકોર્ડ ઉત્તમ છે. તેમાં 7 અબજથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને એક પણ અકસ્માત કે ઈજા થઈ નથી. તે સેન્ટ્રલ જાપાન રેલ્વે કંપની (JR Tokai) દ્વારા સંચાલિત થાય છે અને તે તેની સ્વચ્છતા અને સમયપાલન માટે વિશ્વભરમાં પ્રશંસા પામે છે.

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.