એક મહિનામાં ત્રણ વખત મા બની મહિલા, પ્રથમ ડિલીવરીમાં ન ખબર પડી આ વાત

કુદરતના ચમત્કાર સામે ક્યારેક સાયન્સ પણ ખોટું પડે છે. બાંગ્લાદેશ રાષ્ટ્રમાંથી એક એવો મામલો સામે આવ્યો છે જેમાં એક મહિલા મહિનામાં ત્રણ વખત સંતાનને જન્મ આપી ચૂકી છે. આ ઘટનાથી તબીબો ચોંકી ઊઠ્યા છે. આ મહિલાએ ત્રણેય બાળકોને જુદા જુદા સમયે બાળકોને જન્મ આપ્યો છે. સારી વાત એ પણ છે કે, આ ત્રણેય બાળકો ખૂબ જ સ્વસ્થ છે. એક મહિનામાં ત્રણ બાળકોને જન્મ આપનારી મહિલાનું નામ આરિફા સુલ્તાન છે. તેની ઉંમર 20 વર્ષની છે.

રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, મહિલાની પ્રથમ ડિલેવરી નોર્મલ થઈ હતી. ત્યારે સંતાનમાં તેને એક બાળકને જન્મને આપ્યો હતો. આ બાળકને જન્મ આપ્યાના 26 દિવસ બાદ આરિફાના પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો. ત્યારે ડૉક્ટર પાસે તપાસ કરાવવામાં આવી હતી. સોનોગ્રાફીમાંથી જાણવા મળ્યું હતું કે, ગર્ભમાં હજું બે બાળકો છે. પણ આ વાતની જાણ પ્રથમ ડિલેવરીમાં ન થઈ. બીજી વખત ગર્ભમાં બે બાળકોને જોઈને તબીબો ચોંકી ગયા હતા. કેસની ગંભીરતા જાણીને મહિલાની બીજી વખત ડિલેવરી કરવામાં આવી હતી. ત્યાર બાદ આરિફાનું ઑપરેશન કરવામાં આવ્યું.

બીજી વખતે તેણે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. આ જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. તબીબોએ જણાવ્યું હતું કે, મહિલાના પેટમાં બે ગર્ભ હતા.તેથી મહિલા એક મહિનામાં ત્રણ વખત મા બની હતી. મુખ્ય તબીબ અધિકારીએ જણાવ્યું હતું કે, એમની ત્રીસ વર્ષન કારકિર્દીમાં આ પ્રથમ એવો કેસ છે. મહિલા અને ત્રણેય બાળકો ખૂબ જ સ્વસ્થ છે. હાલમાં મહિલા ત્રણેય બાળકોની કેર કરી રહી છે. રેગ્યુલર ચેકઅપને પણ કરાવવામાં આવી રહ્યું છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.