કેવી રીતે કરાય છે ભારતના વડાપ્રધાન માટે રસોઈયાઓની પસંદગી, તેમની પાસે કઈ ડિગ્રી હોવી જરૂરી?

દેશના વડાપ્રધાનનું ભોજન બનાવવું માત્ર એક કુકિંગ કામ નથી, પરંતુ આ જવાબદારી દેશની સુરક્ષા સાથે પણ જોડાયેલી છે. સામાન્ય રસોડાથી જેમ અહી માત્ર સ્વાદને જ ધ્યાનમાં લેવામાં આવતો નથી, પરંતુ દરેક સ્ટેપ પર સુરક્ષાની એક અદૃશ્ય દીવાલ હોય છે.  વડાપ્રધાન માટે ભોજન બનાવનારા રસોઈયાઓને કોઈ રેસ્ટોરાં કે હૉટલમાંથી લાવવામાં આવતા નથી, પરંતુ ખૂબ જ સખત પ્રક્રિયા પછી તેમની પસંદગી કરવામાં આવે છે, જે જાણીને તમે દંગ રહી જશો.

cooks2
studyplex.org

વડાપ્રધાન માટે રસોઈયાને પસંદ કરવા માટે કોઈ સીધી અરજી કે ઓપન ઇન્ટરવ્યૂ નથી થતું. મોટાભાગના રસોઈયા પહેલાથી જ ભારત સરકારના પ્રેસિડેન્સી સ્ટાફ, રાષ્ટ્રપતિ ભવન અથવા VIP કેટરિંગ વિભાગમાં તૈનાત રહે છે. આ લોકો વર્ષો સુધી VVIP ડિનર, ઇન્ટરનેશનલ સમિટ અને સ્ટેટ ઇવેન્ટ્સમાં રસોઈ બનાવી ચૂક્યા હોય છે. તેમના અનુભવની સાથે-સાથે, તેમની વફાદારી અને વ્યવહારને પણ ઊંડાણપૂર્વક તપાસવામાં આવે છે. કેટલીક વખત વડાપ્રધાન પોતે પોતાના વિશ્વાસુ જૂના રસોઈયાને લાવવા માટે મંજૂરી માગી શકે છે, પરંતુ ત્યારે પણ પોલીસ વેરિફિકેશન, ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ક્લિયરન્સ અને સંપૂર્ણ બેકગ્રાઉંડની તપાસ કરવી અનિવાર્ય છે.

cooks1
companyofcooks.com

રસોઈ કૌશલ્યની વાત કરીએ તો, વડાપ્રધાનના રસોઈયા પાસેથી ન માત્ર સ્વાદિષ્ટ ભોજન બનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ તેણે ફાઇવ સ્ટાર હૉટલના સ્ટાન્ડર્ડની સ્વચ્છતા, હાઇજિન અને હેલ્થ સેફ્ટી નોર્મ્સનું પૂરું પાલન કરવુંવાનું હોય છે. મોટાભાગના રસોઈયાઓએ હૉટલ મેનેજમેન્ટ અથવા કુલિનરી આર્ટ્સમાં ટ્રેનિંગ લીધેલી હોય છે. તેમણે ભારતીય વ્યંજન તેમજ ઇન્ટરનેશનલ ડિશો વગેરેમાં નિષ્ણાત રહેવું પડે છે, જેથી કોઈપણ વિદેશી મહેમાન માટે ભોજનનું સ્તર અકબંધ રહે.

સત્તાવાર રીતે, વડાપ્રધાનના રસોઈયા બનવા માટે કોઈ નિશ્ચિત ડિગ્રીની જરૂરિયાત હોતી નથી, પરંતુ સામાન્ય રીતે આવા રસોઈયાઓ પાસેથી આ બધી અપેક્ષા રાખવામાં આવે છે. જેમ કે પ્રોફેશનલ હૉટલ મેનેજમેન્ટ અથવા કુલીનરી આર્ટ્સનો કોર્સ (જેમ કે IHM - ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટમાંથી ડિપ્લોમા અથવા ડિગ્રી). 5 સ્ટાર હૉટલ્સ અથવા મોટા રેસ્ટોરાંમાં કામ કરવાનો અનુભવ સિવાય વિવિધ રિજનલ, નેશનલ અને ઇનટરનેશનલ ફૂડમાં એક્સપર્ટ હોવું. હાઇ ક્લાસ સફાઈ, પ્રેઝન્ટેશન અને હેલ્થ સેફ્ટી સ્ટાન્ડર્ડ સમજવું પણ જરૂરી હોય છે. ઘણી વખત જૂના અનુભવી રસોઈયા જેમને VIP ડિનર, ઇવેન્ટ્સ અથવા ઇન્ટરનેશનલ ગેસ્ટ્સ માટે રસોઈ બનાવવાનો બહોળો અનુભવ હોય, તેમને પસંદ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.