લખનઉ-દિલ્હી ઇન્ડિગો વિમાનની અંદર મચ્છરો ઘુસી ગયા! મુસાફરો-ક્રૂ મેમ્બરો મુશ્કેલીમાં મુકાયા

લખનઉથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટના મુસાફરો માટે પુરી મુસાફરી ખંજવાળવામાં જ ગઈ. મચ્છરોનું એક ઝુંડ ફ્લાઇટમાં ઘૂસી ગયું અને ક્રૂ મેમ્બરોએ તેમને ભગાડવા માટે કંઈ ખાસ કર્યું નહીં. મુસાફરોને આખી મુસાફરી દરમિયાન મચ્છરોનો સામનો કરવો પડ્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયો અને લોકોના અનુભવોએ આ ઘટના પ્રકાશમાં લાવી. એક યુઝરે X પર લખ્યું, 'લખનઉથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં મચ્છરોનું આખું ઝુંડનો ભરાવો થઇ ગયો હતો. આખી મુસાફરી ખંજવાળવામાં, મચ્છરોને ભગાડવામાં અને આ મુસાફરી જલ્દી પુરી થાય તે માટે પ્રાર્થના કરવામાં પસાર થઈ.' મુસાફરોએ મચ્છરોથી બચવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

Indigo, Mosquito
indianexpress.com

જ્યારે મુસાફરોએ ક્રૂ પાસેથી મદદ માંગી, ત્યારે તેમનો પ્રતિભાવ નિરાશાજનક હતો. ક્રૂએ કહ્યું, 'દરવાજો ખુલ્લો હતો, મચ્છર અંદર આવ્યા, કંઈ કરી શકાયું નહીં.' ક્રૂએ લેમનગ્રાસ પેચ વહેંચ્યા પરંતુ લોકોના મતે, આની કોઈ અસર થઈ નહીં. કોઈ નક્કર ઉકેલ ન આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. લોકોએ એરલાઇનની નબળી સ્વચ્છતા અને સેવા પર ગુસ્સો વ્યક્ત કર્યો. યુઝરે લખ્યું, 'અમે ટિકિટ માટે 4,000 રૂપિયાથી વધુ ચૂકવ્યા. તે સસ્તું નથી પણ સેવા નબળી છે.' તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, મોંઘી ટિકિટો છતાં મૂળભૂત સ્વચ્છતા અને સેવા કેમ પૂરી પાડવામાં આવતી નથી. મનીષાએ એરલાઇન અને એરપોર્ટની બેદરકારીને પણ જવાબદાર ઠેરવી હતી.

Indigo, Mosquito
indiatimes.com

આ કોઈ નવી સમસ્યા નથી. યુઝરની વાયરલ પોસ્ટ પર, ઘણા લોકોએ કહ્યું કે ઇન્ડિગો ફ્લાઇટ્સમાં અગાઉ પણ મચ્છરોની ફરિયાદો મળી છે. X પર લોકો 'મચ્છરોનો આતંક' જેવા લેખોનો ઉલ્લેખ કરી રહ્યા છે. મુસાફરોનું કહેવું છે કે, એરલાઇન સમસ્યાને અવગણી રહી છે. યુઝરે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને ટેગ કર્યું અને આ બાબતે કાર્યવાહીની માંગ કરી. તેમણે કહ્યું, 'એરલાઇન્સને કોઈ પરવા નથી, એરપોર્ટના સંસાધનો આને નિયંત્રિત કરી શકતા નથી, અને મુસાફરોને ચૂપચાપ સહન કરવું પડે છે.' મંગળવાર બપોર સુધી, DGCA તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Indigo, Mosquito
thefauxy.com

પોસ્ટ વાયરલ થતાં જ, ઇન્ડિગોએ આ બાબતે પ્રતિક્રિયા આપી અને કહ્યું, 'અમે આ મુદ્દાને ઉકેલવા માટે એરપોર્ટ સાથે વાત કરી રહ્યા છીએ. અમે દરેક સાવચેતી રાખીએ છીએ, પણ અમને આશા છે કે તમે સમજશો કે મચ્છર ખુલ્લા દરવાજામાંથી પણ પ્રવેશી શકે છે.'

ઊંચા ભાડા પર મુસાફરી કરતા મુસાફરોને જ્યાં સુવિધાઓ મળવી જોઈએ ત્યાં સુવિધાઓ મળવાને બદલે મચ્છરોથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મુસાફરોમાં આ વધી રહેલા અસંતોષ પર ન તો એરલાઇન્સ કોઈ નક્કર પગલાં લઈ રહી છે અને ન તો એરપોર્ટ વહીવટીતંત્ર આ અંગે ગંભીર દેખાતું નથી.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.