કોંગ્રેસનું અનાવશ્યક આંદોલન: નવી યોજનાને આવકારવાને બદલે વિવાદ ઊભો કરવો

(ઉત્કર્ષ પટેલ)

કેન્દ્ર સરકારે તાજેતરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)ને સંપૂર્ણ રીતે નવા સ્વરૂપે લાવી છે. હવે તેને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ અજીવિકા મિશન (ગ્રામીણ) અથવા VB-G RAM G તરીકે ઓળખવામાં આવશે. આ નવી યોજનામાં ગ્રામીણ પરિવારોને વાર્ષિક ૧૦૦ દિવસની બદલે 125 દિવસની ગેરંટીડ રોજગારી મળશે, વેતનમાં વધારો થશે અને યોજનાને વધુ આધુનિક અને પરિણામલક્ષી બનાવવામાં આવી છે. આ એક સકારાત્મક પગલું છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે અને લાખો મજૂરોને વધુ આવક આપશે.

પરંતુ કોંગ્રેસ પાર્ટી આ સુધારાને આવકારવાને બદલે તેની વિરુદ્ધ આંદોલનની તૈયારી કરી રહી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય કોંગ્રેસ નેતાઓ 'MGNREGA બચાઓ અભિયાન'ની જાહેરાત કરી છે જાણે આ યોજના ખતરામાં હોય. વાસ્તવમાં યોજનાનું મૂળ સ્વરૂપ જળવાઈ રહ્યું છે રોજગારની ગેરંટી, વેતન અને ગ્રામીણ વિકાસના કામો. નામ બદલાયું છે અને લાભ વધારાયા છે. કોંગ્રેસનો આરોપ છે કે મહાત્મા ગાંધીનું નામ હટાવીને તેમના વારસાનું અપમાન કરવામાં આવ્યું છે.

MGNREGA
khabarchhe.com

આ આંદોલન પાછળનું કારણ સ્પષ્ટ છે: રાજકીય લાભ. કોંગ્રેસને લાગે છે કે MGNREGA તેમની સરકારની ઉપલબ્ધિ છે તેથી તેના સુધારાને પોતાની હાર તરીકે જોવે છે. નવું શું થઈ શકે ? જેમ કે 125 દિવસની રોજગારી, વધુ બજેટ અને ડિજિટલ મોનિટરિંગ... તેના પર ચર્ચા કરવાને બદલે તેઓ નામના વિવાદમાં અટવાયા છે. આનાથી પદેશને ગેરમાર્ગે દોરવામાં આવે છે લોકોમાં અસંતોષ ફેલાવવામાં આવે છે અને દેશમાં અનાવશ્યક સંઘર્ષો ઊભા થાય છે.

દેશના વિકાસ માટે જરૂરી છે કે વિપક્ષ રચનાત્મક ભૂમિકામાં રહે, સુધારાઓને આવકારે અને તેને વધુ સારા બનાવવા સૂચનો આપે. પરંતુ કોંગ્રેસ જૂની યોજનાને બચાવવાના નામે નવી પહેલને અવરોધે છે. આ કોંગ્રેસનું ખોટું રાજકારણ છે જે ગ્રામીણ મજૂરોના હિતમાં નથી. દેશે આગળ વધવો જોઈએ, વિવાદોમાં અટકવું જોઈએ નહીં.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.