ગુજરાતમાં ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ કરશે ગર્જના, અમદાવાદમાં પાર્ટી સંમેલનની કરી જાહેરાત

પોતાના સંગઠનાત્મક માળખાના પુનર્નિર્માણના રોડમેપ પર આગળ વધી રહેલી કોંગ્રેસ પાર્ટીનું આગામી સત્ર ગુજરાતમાં યોજાશે. તેમાં દેશભરમાંથી પાર્ટીના નેતાઓ અને AICC સભ્યો ભાગ લેશે. પાર્ટીના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે રવિવારે અમદાવાદમાં 8 અને 9 એપ્રિલના રોજ યોજાનાર એક દિવસીય સંમેલનના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. કોંગ્રેસના આ અધિવેશનમાં સંગઠનની બાબતોની ચર્ચા કરવાની સાથે, કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ પર પણ પ્રહાર કરવામાં આવશે.

congress
aajtak.in

કેસી વેણુગોપાલે તેનો સંકેત આપતા કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ અધિવેશનમાં, દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ ભેગા થશે અને ભાજપની જનવિરોધી નીતિઓ અને બંધારણ અને તેના મૂલ્યો પર સતત હુમલાઓ દ્વારા ઉભા થયેલા પડકારો પર ચર્ચા કરશે. આ ઉપરાંત કોંગ્રેસના ભાવિ કાર્યયોજના પર પણ ચર્ચા કરશે. કોંગ્રેસના સંગઠનાત્મક પુનર્જીવનના દૃષ્ટિકોણથી પણ ગુજરાત મહત્ત્વપૂર્ણ છે, જ્યાં પાર્ટી ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તાની બહાર છે.

જોકે, છેલ્લી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રવેશ પછી પણ પણ ભાજપ સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ જ છે. દિલ્હીમાં AAP સત્તામાંથી બહાર થયા પછી ગુજરાતમાં તેનો રાજકીય પ્રભાવ નબળો પડવાની આશંકા વધી ગઈ છે. આ સંદર્ભમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં એક મજબૂત વિપક્ષી વિકલ્પ તરીકે ઉભરી આવવાની તક છે અને અમદાવાદમાં AICC સંમેલનનું આયોજન રાજ્યમાં પાર્ટીને પુનર્જીવિત કરવાની પહેલની શરૂઆત સાબિત થઈ શકે છે.

congress
aajtak.in

વેણુગોપાલના જણાવ્યા મુજબ, અમદાવાદ અધિવેશનના પહેલા દિવસે 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાશે. જ્યારે 9 એપ્રિલે AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે બંને બેઠકોની અધ્યક્ષતા કરશે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વગેરે આ દિવસભરની બેઠકમાં હાજર રહેશે.

AICCનું આ સત્ર કર્ણાટકના બેલગામમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી વિસ્તૃત કાર્યકારી સમિતિની બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં પસાર થયેલા ઠરાવો અનુસાર બોલાવવામાં આવી છે. વેણુગોપાલે જણાવ્યું હતું કે બંધારણના વારસાને સાચવવા, સુરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ 26 જાન્યુઆરી, 2025 અને 26 જાન્યુઆરી, 2026 વચ્ચે બંધારણ બચાવો રાષ્ટ્રીય પદયાત્રા નામનું એક વિશાળ, રાષ્ટ્રવ્યાપી જાહેર સંપર્ક અભિયાન શરૂ કરશે.

મહાત્મા ગાંધીના જન્મસ્થળ ગુજરાતમાં AICCનું સત્ર, સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે. કોંગ્રેસ મહાસચિવે જણાવ્યું હતું કે આ અધિવેશન માત્ર મહત્ત્વપૂર્ણ ચર્ચા-વિચારણા માટે એક મંચ તરીકે કામ કરશે નહીં પરંતુ સામાન્ય લોકોની ચિંતાઓને દૂર કરવા અને રાષ્ટ્ર માટે એક મજબૂત વૈકલ્પિક દૃષ્ટિકોણ રજૂ કરવા માટે કોંગ્રેસ પાર્ટીના સામૂહિક સંકલ્પને પણ પુનઃપુષ્ટિ આપશે.

Related Posts

Top News

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક...
National 
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે, કારણકે આ બેઠક પર 18 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. ગુજરાત...
Gujarat 
વિસાવદરમાં દિગ્ગજ નેતાઓ રેસમાં હતા છતા ભાજપે કિરીટ પટેલને ટિકિટ કેમ આપી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.