માર્ગ અકસ્માતના પીડિતોને તાત્કાલિક મફત સારવાર આપવાની યોજના દેશભરમાં લાગુ

કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો અને તેમના પરિવારો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે દેશભરમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરતું જાહેરનામું બહાર પાડ્યું. માર્ગ પરિવહન મંત્રાલયના ગેઝેટ નોટિફિકેશન અનુસાર, આ યોજના હેઠળ, પીડિત અકસ્માતની તારીખથી સાત દિવસ સુધી કોઈપણ માન્ય હોસ્પિટલમાં મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. આ યોજના 5 મે 2025થી અમલમાં આવી છે.

Cashless Treatment
dailyexcelsior.com

કેન્દ્ર સરકારના જાહેરનામા મુજબ, 'કોઈપણ વ્યક્તિ જે કોઈપણ રસ્તા પર મોટર વાહનને કારણે થયેલા માર્ગ અકસ્માતનો ભોગ બને છે તે આ યોજનાની જોગવાઈઓ હેઠળ રોકડ રહિત સારવાર માટે હકદાર રહેશે.' અહીં તમને જણાવી દઈએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં વધતા જતા માર્ગ અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરતા જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં માર્ગ અકસ્માત પીડિતો માટે આવી યોજના લાવવાનું વિચારી રહી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA) આ યોજનાને અમલમાં મૂકવા માટે રાજ્ય પોલીસ, હોસ્પિટલો અને રાજ્ય આરોગ્ય એજન્સી સાથે મળીને કામ કરશે. આ ઉપરાંત, દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં એક રાજ્ય માર્ગ સલામતી પરિષદ છે, જે યોજનામાં હોસ્પિટલોને સામેલ કરવા, ઘાયલોના રેકોર્ડનું સંચાલન કરવા અને સમયસર ચુકવણીની સુવિધા આપવા માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે. અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં દર વર્ષે લગભગ 5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. જ્યારે લગભગ 4 લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થાય છે. એક અહેવાલ મુજબ, સૌથી વધુ અસર ટુ-વ્હીલર ચાલકો અને રસ્તે ચાલતા લોકો પર પડે છે.

Cashless Treatment
freepressjournal.in

જો કોઈ પીડિત સારવાર માટે કેશલેસ સારવાર યોજના હેઠળ નિયુક્ત ન હોય તેવી હોસ્પિટલમાં જાય છે, તો તેને પરિસ્થિતિ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી જ ત્યાં સારવાર મળશે. આ પછી, પીડિતને નિયુક્ત હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી શકાય છે.

જો તમે અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બને છે, તો શક્ય તેટલી વહેલી તકે યોજના હેઠળ નિયુક્ત હોસ્પિટલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરો. નિયુક્ત હોસ્પિટલોની યાદી સામાન્ય રીતે રાજ્ય માર્ગ સલામતી પરિષદ અથવા રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA)ના પોર્ટલ દ્વારા ઉપલબ્ધ થઈ શકે છે. આ પછી, ખાતરી કરો કે અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવે. આ રિપોર્ટ યોજના હેઠળ કરવામાં આવેલા દાવાની પુષ્ટિ કરવા માટે મહત્વપૂર્ણ રહેશે. તમે કોઈપણ એડવાન્સ પેમેન્ટ વિના નિયુક્ત હોસ્પિટલોમાં સારવાર મેળવી શકો છો. હોસ્પિટલ પીડિત દીઠ રૂ. 1.5 લાખ સુધીના દાવાઓની પતાવટ માટે રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ સાથે સંપર્ક કરશે.

Cashless Treatment
aajtak.in

આ યોજનાનો લાભ મેળવવા માટે, બધા મેડિકલ રિપોર્ટ, બિલ અને પોલીસ FIRની નકલો સાથે રાખવાની રહેશે. આ ઉપરાંત, આ યોજના અકસ્માતની તારીખથી ફક્ત સાત દિવસ માટે સારવારને આવરી લે છે. વધુ સારવાર માટે, તમારે વ્યક્તિગત વીમા અથવા અન્ય આરોગ્યસંભાળ વિકલ્પો પર આધાર રાખવો પડી શકે છે.

Related Posts

Top News

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

સુરત : મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ "ભ્રમ" 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. "હું...
Entertainment 
'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો નિર્ણય લીધો હતો. કેન્દ્રીય મંત્રી અશ્વીની...
National 
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?

INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો

INDIA ગઠબંધનના પક્ષમાંથી મુખ્યમંત્રી નીતિશ કુમાર કેમ બહાર આવી ગયા હતા? મોદી સરકારને ઉખાડી ફેંકવા નીકળેલી JDU દ્વારા પલટી...
National  Politics 
INDIA ગઠબંધનથી કેમ અલગ થઈ ગઈ હતી નીતિશ કુમારની પાર્ટી JDU? કેસી ત્યાગીએ હવે કર્યો મોટો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.