ઇઝરાયલે જમીન ખાલી કરવી પડશે, જ્યારે વાજપેયી પેલેસ્ટાઇનના સમર્થનમાં બોલ્યા હતા

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નિકળ્યું છે અને બંને દેશો એકબીજા તરફ મિસાઇલો છોડી રહ્યા છે. જેની અસર ભારતમાં પણ મહેસૂસ થઇ રહી છે. ભારત અત્યારે ઇઝરાયલના સમર્થનમાં ઉભું છું અને ઇઝરાયલને ભારતનું મિત્ર દેશ માનવામાં આવે છે. ભલે ભારત અત્યારે ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું હોય, પરંતુ એક 46 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહ્યો છે. 1977માં ભાજપના દિગગ્જ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી દિવગંત અટલ બિહારી વાજપેયીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા તેઓ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના મુદ્દા પર પોતાની પ્રતિક્રીયા આપી રહ્યા છે.

  

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો 1977માં જનતા પાર્ટીની વિજય રેલીનો છે. જેમાં દિવંગત નેતા અટલ બિહારી વાજપેયી પેલેસ્ટાઇનું ખુલીને સમર્થન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વાજપેયી કહી રહ્યા છે કે, આરબોની જે જમીન પર ઇઝરાયલ કબ્જો કરીને બેઠું છે તે જમીન તેણે ખાલી કરવી પડશે.

દિવંગત નેતા વાજપેયીએ કહ્યુ હતુ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જનતા પાર્ટીની સરકાર બની ગઇ. તેઓ આરબોને સાથ નહી, ઇઝરાયલને સાથ આપશે. મોરારજી દેસાઇ પણ સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યા છે. એ ગેરસમજને દુર કરવા માટે હું કહેવા માગું છુ કે અમે દરેક પ્રશ્નોને ગુણ અને અવગુણના આધારે કતા તારવીશું. પરંતુ મિડલ-ઇસ્ટ વિશે એ સ્થિતિ સ્પષ્ટ છે કે આરબોની જે જમીન પર ઇઝરાયલે કબ્જો કરેલો છે તે તેણે પાછો આપવો પડશે. એ જમીન ઇઝરાયલે ખાલી કરવી પડશે.

તેમણે આગળ કહ્યુ હતું કે,આક્રમણ કરનારે આક્રમણના ફળને ભોગવે તે અમને સ્વીકાર્ય નથી. તેથી, જે નિયમો અમને લાગુ પડે છે તે અન્યને પણ લાગુ પડશે. આરબોની જમીન ખાલી થવી જોઇએ.

જેઓ પેલેસ્ટિનિયન છે તેમના યોગ્ય અધિકારોની દરખાસ્ત કરવી જોઈએ. ઇઝરાયલના અસ્તિત્વને સોવિયેત રશિયા અને અમેરિકાએ પણ સ્વીકાર્યું છે. અમે પણ સ્વીકારી લીધું છે.

અટલ બિહારી વાજપેયીએ સ્થાયી શાંતિની હિમાયત કરતાં કહ્યું હતું કે, મધ્ય પૂર્વનો એક એવો ઉકેલ શોધવો પડશે જે આક્રમકતાને ખતમ કરે અને કાયમી શાંતિનો આધાર બને. ગેરસમજને ક્યાં અવકાશ છે? પરંતુ, કદાચ વક્તા તરીકેનો મારા પોતાના અધિકારનું હું અતિક્રમણ કરી રહ્યો છું.

એક નવા વિદેશ મંત્રી પણ હશે જે આપણી વિદેશ નીતિ પર પ્રકાશ ફેંકશે. જો કંઈક કહેવું હોય તો મોરારજી દેસાઇ કહેશે. પરંતુ, હું એક એવી પાર્ટી સાથે જોડાયેલો છું જે ચૂંટણીમાં બડાઈ મારતી હતી કે જનતા પાર્ટી પર જનસંઘનું વર્ચસ્વ છે અને જનસંઘ મુસ્લિમોનો દુશ્મન છે. આ ખૂબ જ ખુશીની વાત છે કે આ ખોટા પ્રચારમાં ન આવ્યું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.