કેજરીવાલ ત્રીજી વખત દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, ભાજપ પર...

દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી એકવાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે હવે આ અંગે શનિવારે ચર્ચા થશે. અગાઉ ઓગસ્ટ 2022 અને માર્ચ 2023માં પણ આમ આદમી પાર્ટીની સરકાર વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી ચૂકી છે. CM કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, વિધાનસભામાં આજે હું વિશ્વાસ મત રજૂ કરીશ. પ્રસ્તાવ લાવ્યા બાદ સ્પીકરે તેના પરની ચર્ચા શનિવાર માટે મુલતવી રાખી હતી. કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ત્રીજી વખત વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

હકીકતમાં, તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપ પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને પણ નોટિસ આપી હતી અને આ આરોપો અંગે પુરાવા માંગ્યા હતા.

દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મારી પાસે મારી પાર્ટીના બે ધારાસભ્યો આવ્યા હતા. બંને ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપ વાળા મુખ્યમંત્રીની ધરપકડ કરી લેશે. ભાજપે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને મનાવી લીધા છે અને 25 કરોડ રૂપિયા અને ટિકીટની ઓફર કરી છે. કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીના 21 ધારાસભ્યોએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેજરીવાલે વિધાનસભામાં આગળ કહ્યું કે, આ શરાબ કૌભાંડ જેવું કોઇ કૌભાંડ છે જ નહીં. આ લોકો ખોટા ખોટા કેસ કરીને સરકારો તોડી પાડે છે. કેજરીવાલે કહ્યુ કે, તેઓ આખી જિંદગીમાં દિલ્હીની ચૂંટણી જીતી શકશે નહીં. અમારો એક પણ ધારાસભ્ય તુટ્યો નથી.આ ગૃહને મંત્રી પરિષદમાં વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપને કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવેલા ફંડની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા પર પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે પહેલા વિપક્ષી પાર્ટીઓને એજન્સી દ્વારા ડરાવવામાં આવ્યા અને ધમકી આપવામાં આવ્યા અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હવે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે.

Related Posts

Top News

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.