કેજરીવાલ ત્રીજી વખત દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, ભાજપ પર...

દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી એકવાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે હવે આ અંગે શનિવારે ચર્ચા થશે. અગાઉ ઓગસ્ટ 2022 અને માર્ચ 2023માં પણ આમ આદમી પાર્ટીની સરકાર વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી ચૂકી છે. CM કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, વિધાનસભામાં આજે હું વિશ્વાસ મત રજૂ કરીશ. પ્રસ્તાવ લાવ્યા બાદ સ્પીકરે તેના પરની ચર્ચા શનિવાર માટે મુલતવી રાખી હતી. કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ત્રીજી વખત વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

હકીકતમાં, તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપ પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને પણ નોટિસ આપી હતી અને આ આરોપો અંગે પુરાવા માંગ્યા હતા.

દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મારી પાસે મારી પાર્ટીના બે ધારાસભ્યો આવ્યા હતા. બંને ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપ વાળા મુખ્યમંત્રીની ધરપકડ કરી લેશે. ભાજપે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને મનાવી લીધા છે અને 25 કરોડ રૂપિયા અને ટિકીટની ઓફર કરી છે. કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીના 21 ધારાસભ્યોએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેજરીવાલે વિધાનસભામાં આગળ કહ્યું કે, આ શરાબ કૌભાંડ જેવું કોઇ કૌભાંડ છે જ નહીં. આ લોકો ખોટા ખોટા કેસ કરીને સરકારો તોડી પાડે છે. કેજરીવાલે કહ્યુ કે, તેઓ આખી જિંદગીમાં દિલ્હીની ચૂંટણી જીતી શકશે નહીં. અમારો એક પણ ધારાસભ્ય તુટ્યો નથી.આ ગૃહને મંત્રી પરિષદમાં વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપને કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવેલા ફંડની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા પર પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે પહેલા વિપક્ષી પાર્ટીઓને એજન્સી દ્વારા ડરાવવામાં આવ્યા અને ધમકી આપવામાં આવ્યા અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હવે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.