કેજરીવાલ ત્રીજી વખત દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા, ભાજપ પર...

On

દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી એકવાર વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો કે હવે આ અંગે શનિવારે ચર્ચા થશે. અગાઉ ઓગસ્ટ 2022 અને માર્ચ 2023માં પણ આમ આદમી પાર્ટીની સરકાર વિશ્વાસ મત પ્રસ્તાવ લાવી ચૂકી છે. CM કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, વિધાનસભામાં આજે હું વિશ્વાસ મત રજૂ કરીશ. પ્રસ્તાવ લાવ્યા બાદ સ્પીકરે તેના પરની ચર્ચા શનિવાર માટે મુલતવી રાખી હતી. કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં ત્રીજી વખત વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

હકીકતમાં, તાજેતરમાં આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ભાજપ પર આરોપો લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાજપે આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલને પણ નોટિસ આપી હતી અને આ આરોપો અંગે પુરાવા માંગ્યા હતા.

દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતી વખતે મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, મારી પાસે મારી પાર્ટીના બે ધારાસભ્યો આવ્યા હતા. બંને ધારાસભ્યોએ કહ્યું કે, ભાજપ વાળા મુખ્યમંત્રીની ધરપકડ કરી લેશે. ભાજપે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોને મનાવી લીધા છે અને 25 કરોડ રૂપિયા અને ટિકીટની ઓફર કરી છે. કેજરીવાલે કહ્યું કે, અમારી પાર્ટીના 21 ધારાસભ્યોએ પૈસા લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેજરીવાલે વિધાનસભામાં આગળ કહ્યું કે, આ શરાબ કૌભાંડ જેવું કોઇ કૌભાંડ છે જ નહીં. આ લોકો ખોટા ખોટા કેસ કરીને સરકારો તોડી પાડે છે. કેજરીવાલે કહ્યુ કે, તેઓ આખી જિંદગીમાં દિલ્હીની ચૂંટણી જીતી શકશે નહીં. અમારો એક પણ ધારાસભ્ય તુટ્યો નથી.આ ગૃહને મંત્રી પરિષદમાં વિશ્વાસ છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ભાજપને કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવેલા ફંડની માહિતી જાહેર કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસના બેંક ખાતા ફ્રીઝ કરવા પર પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે. દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે પહેલા વિપક્ષી પાર્ટીઓને એજન્સી દ્વારા ડરાવવામાં આવ્યા અને ધમકી આપવામાં આવ્યા અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. હવે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીનું બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવશે. આ ભાજપનું મોટું ષડયંત્ર છે.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.