મહારાષ્ટ્રમાં ઓવૈસીની AIMIMએ કેવી રીતે પલટી દીધી બાજી? પોલિટિકલ પાર્ટીઓ હેરાન

મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. BMC સહિત રાજ્યના 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી મોટાભાગમાં ભાજપે પરચમ લહેરાવ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિ (BJP+શિંદે)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોટાભાગની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. મુંબઈમાં, ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સ્પષ્ટપણે સત્તામાં આવવા તૈયાર છે. બીજી તરફ, આ નાગરિક ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીના AIMIMએ પણ પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે.

રાજ્યમાં AIMIMએ માલેગાંવ, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, ધુળે અને નાંદેડ જેવા કેતાલક અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. રાજ્યભરમાં કુલ 74 AIMIM ઉમેદવારો ચૂંટાયા છે. મુંબઈમાં AIMIMના 5 ઉમેદવારો છે, સંભાજીનગરમાં AIMIMના 24, અમરાવતીમાં AIMIMના 6 ઉમેદવારો ચૂંટાયા છે. માલેગાંવમાં, AIMIM20 બેઠકો જીતી છે.

asaduddin-owaisi
thequint.com

માલેગાંવમાં પાર્ટી સૌથી વધુ બેઠકો જીતી છે. નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે, જ્યાં 14 AIMIMના કાઉન્સિલર ચૂંટાયા છે. ધુળે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ AIMIMએ 8 બેઠકો જીતી હતી. જાલનામાં AIMIMએ 2 બેઠકો જીતી હતી.

સમાજવાદી પાર્ટીએ પણ કેટલાક વિસ્તારોમાં સારું પ્રદર્શન કર્યું. માલેગાંવમાં AIMIMના 6 ઉમેદવારો જીત્યા. તો, AIMIMએ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ઉમેદવારો ઉતાર્યા હતા અને અપેક્ષિત સફળતા મળી છે. મુંબઈથી લઈને માલેગાંવ અને નાંદેડ સુધી, આ પાર્ટીના ઉમેદવારો ચૂંટાયા છે. પાર્ટીની સમગ્ર તાકતને ધ્યાનમાં લેતા, એવું માનવામાં આવે છે કે તેના ઉમેદવારોએ સારું પ્રદર્શન કર્યું. હવે, આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં તેની રણનીતિ શું રહેશે તે જોવાનું રહેશે.

asaduddin-owaisi1
facebook.com/Asaduddinowaisi

મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે AIMIM અલગથી લડવાને કારણે મહા વિકાસ આઘાડીમાં રહેલી પાર્ટીઓને મોટું નુકસાન ઉઠાવવું પડ્યું છે. અગાઉની ઘણી ચૂંટણીઓમાં, AIMIM માત્ર થોડી જ બેઠકો સુધી મર્યાદિત રહેતી હતી, પરંતુ આ વખતે તે તેનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવામાં સફળ રહી છે.

About The Author

Related Posts

Top News

અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

અદાણી ગ્રુપ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં પત્રકાર રવિ નાયરને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસાની...
Gujarat 
અદાણી ગ્રુપ વિરુદ્ધ ટ્વીટ કરવા બદલ પત્રકારને એક વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘લખ્યું તે સાબિત...

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.