વિપક્ષની બેઠકમાં નહીં બોલાવાતા ઔવેસીની પાર્ટી નારાજ, કહ્યું-અમે રાજનીતિના અછૂત

અમે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાની કોશિશ કરી રહ્યા છે અને અમને જ વિપક્ષની બેઠકમાં આમંત્રણ આપવામાં ન આવ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મણ મણ ભરીને અપશબ્દો બોલનારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને સ્ટેજ પર બેસાડાયા, પણ અમને નજર અંદાજ કરવામાં આવ્યા. આ વ્યથા ઔવેસીની પાર્ટી All India Majlis-E-Ittehadul Muslimeen (AIMIM)એ વ્યકત કરી છે.

બેંગુલુરુમાં 17 અને 18 જુલાઇએ વિપક્ષ પાર્ટીઓની બેઠક મળી હતી, જેમાં 26 પાર્ટીઓ સામેલ હતી,દેશભરના વિપક્ષો એક મંચ પર ભેગા થઇને PM મોદીને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે હરાવવા તેના મનોમંથન માટે ભેગા થયા હતા, તેમાં અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIMને આમંત્રણ નહીં અપાતા AIMIMએ નારાજગી વ્યકત કરી છે. વિપક્ષી એકતા  માટે સજેલા મંચથી નજર-અંદાજ કરવા માટે AIMIMએ વિપક્ષની બેઠક સામે નિશાન સાધ્યું છે.

AIMIMએ કહ્યું કે તેમની સાથે રાજકીય અછૂત જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું કે જે પાર્ટીઓ પોતાને બિનસાંપ્રદાયિક કહે છે, તેમણે જ AIMIMને તેમની બેઠકમાં આમંત્રણ નહોતું આપ્યું, અમે તેમના માટે રાજકીય અસ્પૃશ્ય બની ગયા છીએ. તેમણે કહ્યું કે બેંગલુરુમાં મળેલી  બેઠકમાં જે નેતાઓ ભારતીય જનતા પાર્ટી સાથે હતા તેઓને પણ બોલાવીને સાથે બેસાડવામાં આવ્યા હતા.

AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણનો JDU નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને PDP વડા મહેબૂબા મુફ્તી તરફ ઇશારો હતો.

26 વિપક્ષી પક્ષોએ, મંગળવારે બેંગલુરુમાં યોજાયેલી તેમની બેઠકમાં,  Indian National  Devlopental  Inclusive Alliance  ( India)નાનામની જાહેરાત કરી હતી. નવું મહાગઠબંધન હવે આ નામથી ઓળખાશે.

પહેલાં આ ગઠબંધનનું નામ,  Indian National Democratic  Inclusive Alliance ( India)  રાખવાનું વિચારાયું હતું, પરંતુ કેટલાંક નેતાઓએ એવો તર્ક આપ્યો કે ડેમોક્રેટીક શબ્દ રાખવાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાની વાળા National Democratic  Alliance (NDA)નો ભાવ આવે છે એટલે ડેમોક્રેટીકને બદલે ડેવલપમેન્ટલ કરી દેવામાં આવ્યું.

વારીસ પઠાણે કહ્યું કે ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને અપશબ્દો બોલનાર અરવિંદ કેજરીવાલ પણ આ બેઠકમાં સામેલ હતા. તેમણે કહ્યું કે તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વિપક્ષ તેમને સાઈડલાઈન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.