PM મોદી સામે એકઠા થયેલા વિપક્ષને લઇ પ્રશાંત કિશોરે માર્યો મોટો ટોણો, આ લોકો...

પ્રશાંત કિશોર જન સુરાજ પદયાત્રાને લઇને સમગ્ર બિહારનો પ્રવાસ કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ સતત તમામ પાર્ટીઓ પર નિશાનો સાધી રહ્યા છે. હવે તેમણે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ પર હુમલો બોલ્યો. તેમણે કહ્યું, તેજસ્વી યાદવ જો લાલૂ યાદવના દીકરા ના હોત તો દેશમાં એવી કોઈ નોકરી નથી, જે તેમને તેમની આવડત પર મળી જાય. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, નીતિશ કુમાર અને રાજદનું પોતાનું ઠેકાણુ નથી. આ લોકો શું કોઈને PM બનાવશે. 2024માં નીતિશની હાલત ચંદ્રબાબૂ નાયડૂ જેવી થઈ જશે. પીકેએ આ હુમલો એવા સમયે કર્યો, જ્યારે નીતિશ અને તેજસ્વી લોકસભા ચૂંટણીમાં BJP વિરુદ્ધ વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીતિશ અને તેજસ્વીએ હાલમાં જ લખનૌમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ પહેલા નીતિશ અને તેજસ્વી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. ત્યારબાદ, તેમણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. પીકેએ BJP પર પણ નિશાનો સાધ્યો. તેમણે કહ્યું, બિહારમાં BJPની ઔકાત માત્ર પિછલગ્ગૂ જેવી રહી છે. BJP એ બિહારના ભવિષ્યને નીતિશના હાથોમાં વેચી દીધુ. આ પહેલા પ્રશાંત કિશોરે કહ્યું હતું, જંગલરાજના ડરથી લોકો લાલૂ યાદવના RJDને વોટ ના આપીને મજબૂરીમાં BJP ને વોટ આપી રહ્યા છે.

તેમણે કહ્યું હતું, બિહારના લોકો વોટના દિવસે મુખ્યરૂપે ચાર મુદ્દા પર જ વોટ કરે છે. પહેલું જાતિના નામ પર, જો તેનાથી બચી જાય છે, તો તેઓ હિંદુ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાનના નામ પર વોટ કરે છે. તેઓ કહે છે કે, બધા હિંદુ એક થઈ જાઓ, મુસ્લિમોને અને પાકિસ્તાનને પાઠ ભણાવવાનો છે. જ્યારે, ઘરમાં ભણેલો-ગણેલો દીકરો બેકાર બેઠો છે, તેને ભૂલી ગયા છે. પરંતુ, વોટના દિવસે માત્ર પાકિસ્તાન યાદ રહે છે અને હિંદુ બનીને વોટ કરે છે.

2019 લોકસભા ચૂંટણી પહેલા આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ BJP વિરુદ્ધ ત્રીજો મોરચો બનાવવાની કવાયદ કરી હતી. તેઓ કોંગ્રેસ વિના નવો મોરચો બનાવવા માંગતા હતા. તેના માટે તેમણે અલગ-અલગ રાજ્યોમાં જઈને ક્ષેત્રીય પક્ષોના નેતાઓ સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન ચંદ્રબાબૂ નાયડૂ સતત 1996 લોકસભા ચૂંટણીનું ઉદાહરણ આપી રહ્યા હતા, જ્યારે ક્ષેત્રીય પક્ષોએ સાથે આવીને સરકાર બનાવી હતી.

જોકે, 2019માં તેનાથી ઉલ્ટું થયુ. જ્યાં એક તરફ લોકસભા ચૂંટણીમાં ચંદ્રબાબૂ નાયડૂની વિપક્ષને સાથે લાવવી કોશિશ અધૂરી રહી ગઈ, તો બીજી તરફ રાજ્યના CM પદથી પણ હાથ ધોવા પડ્યા. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટી TDPને માત્ર 3 સીટો મળી, તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં તેમને 23 સીટો પર જ જીત મળી શકી. જ્યારે, જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 151 સીટો પર જીત મેળવી.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.