‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલના દિવસોમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં માન્ચેસ્ટરમાં તેમણે શનિવારે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય સમુદાય અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું કે આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું તમને આગ્રહ કરીશ કે આ વાણિજ્ય દૂતાવાસને વાસ્તવમાં આ યુગની તૈયારીના રૂપમાં વિચારો. અમે સ્પષ્ટ રૂપે આગામી સમયમાં સંબંધોમાં ખૂબ મોટા ઉછાળાની અપેક્ષા રાખી રહ્યા છીએ. મારો અનુભવ છે કે, જ્યારે પણ હું કોઈ આંકડો લઈને આવું છું, ત્યારે કોઈ મને મોટી સંખ્યા સાથે સહી કરી આપે છે. એટલે હું સમુદાયના આકાર માટે એક સંખ્યા સાથે અહીં આવ્યો હતો, પરંતુ તમારી પાસેથી સાંભળ્યા બાદ, મેં તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો.

જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ વાત પર ખૂબ જ ભારપૂર્વક કહેવા માગુ છું, આ આગામી સમય માટે પણ એક તૈયારી છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે ખૂબ જ ઊંડી, ઘનિષ્ટ ભાગીદારી, સ્પષ્ટ રૂપે, નજીકના ભવિષ્યમાં મુક્ત વેપાર સમજૂતી તેના કેન્દ્રમાં છે. પરંતુ અમે મુક્ત વ્યાપાર સમજૂતીને માત્ર અમારી વચ્ચેના વેપાર કે રોકાણની સમજણના રૂપમાં નહીં, પરંતુ તેનાથી કંઈક વધુ મોટા, વાસ્તવમાં એક ગેમ ચેન્જરના રૂપમાં, સંબંધોના ઉચ્ચ કક્ષામાં પ્રતિકાત્મક પરિવર્તનના રૂપમાં જોઈએ છીએ.

jaishankar1

ઉદ્ઘાટન સમારોહમાં વિદેશ મંત્રી સાથે નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને ઈન્ડો-પેસિફિકના પ્રભારી વિદેશ કાર્યાલય મંત્રી કેથરિન વેસ્ટ પણ સામેલ થયા હતા. ભારતના 2 નવા મહાવાણિજ્ય દૂતવાસો- માન્ચેસ્ટર અને બેલફાસ્ટનું ઉદ્ઘાટન મંત્રીની 2 દેશોની યાત્રાનો અંતિમ ચરણ છે, જેમાં UK અને આયર્લેન્ડ સામેલ છે, જે મંગળવારે લંડનથી શરૂ થઈ હતી.

તેમણે આગળ કહ્યું કે, મને એ જાણીને ખૂબ જ ખુશી થઇ કે ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ જેમ્સ એન્ડરસન પર રાખવામાં આવ્યું છે. તે એક એવો ખેલાડી છે, જેનું નામ મેં ક્યારેક એ સવાલના જવાબમાં આપ્યું હતું, જ્યારે મને 5 પસંદગીના ક્રિકેટરોના નામ પૂછવામાં આવ્યા હતા. કેમ કે જે આટલા લાંબા સમય સુધી જે ખેલાડી ભાર ઉઠાવી શકે છે, હું તેમને ઓળખી શકું છું. ભારતમાં આપણે આ જગ્યાને (ઓલ્ડ ટ્રેફોર્ડ) સચિન તેંદુલકરની પહેલી સદી માટે જાણીએ છીએ. હું સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતની હાલની મેચોની વાત નહીં કરું, અહીં ઘણી બધી યાદો છે. હું હંમેશાં રમત અને કૂટનીતિના કનેક્શનથી મુગ્ધ રહ્યો છું. મને લાગે છે કે તેમાં અનુશાસન છે. તેમાં બુદ્વિમાની છે. તેમાં રચનાત્મકતા છે, જે બંને વ્યવસાયોમાં અલગ નથી.

Related Posts

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.