‘જ્યારે પણ હું કોઈ આંકડા લઇને લાવું છું...', જયશંકરે બ્રિટનમાં એવું શું કહ્યું કે, આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલના દિવસોમાં બ્રિટનના પ્રવાસે છે. અહીં માન્ચેસ્ટરમાં તેમણે શનિવારે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારતીય સમુદાય અને વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું કે આખો હૉલ હાસ્યથી ગૂંજી ઉઠ્યો.

તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે, હું તમને આગ્રહ કરીશ કે આ વાણિજ્ય દૂતાવાસને વાસ્તવમાં આ યુગની તૈયારીના રૂપમાં વિચારો. અમે સ્પષ્ટ રૂપે આગામી સમયમાં સંબંધોમાં ખૂબ મોટા ઉછાળાની અપેક્ષા રાખી રહ્યા છીએ. મારો અનુભવ છે કે, જ્યારે પણ હું કોઈ આંકડો લઈને આવું છું, ત્યારે કોઈ મને મોટી સંખ્યા સાથે સહી કરી આપે છે. એટલે હું સમુદાયના આકાર માટે એક સંખ્યા સાથે અહીં આવ્યો હતો, પરંતુ તમારી પાસેથી સાંભળ્યા બાદ, મેં તેને પોતાની પાસે રાખવાનો નિર્ણય લીધો.

જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, હું આ વાત પર ખૂબ જ ભારપૂર્વક કહેવા માગુ છું, આ આગામી સમય માટે પણ એક તૈયારી છે. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે ખૂબ જ ઊંડી, ઘનિષ્ટ ભાગીદારી, સ્પષ્ટ રૂપે, નજીકના ભવિષ્યમાં મુક્ત વેપાર સમજૂતી તેના કેન્દ્રમાં છે. પરંતુ અમે મુક્ત વ્યાપાર સમજૂતીને માત્ર અમારી વચ્ચેના વેપાર કે રોકાણની સમજણના રૂપમાં નહીં, પરંતુ તેનાથી કંઈક વધુ મોટા, વાસ્તવમાં એક ગેમ ચેન્જરના રૂપમાં, સંબંધોના ઉચ્ચ કક્ષામાં પ્રતિકાત્મક પરિવર્તનના રૂપમાં જોઈએ છીએ.

jaishankar1

ઉદ્ઘાટન સમારોહમાં વિદેશ મંત્રી સાથે નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર અને ઈન્ડો-પેસિફિકના પ્રભારી વિદેશ કાર્યાલય મંત્રી કેથરિન વેસ્ટ પણ સામેલ થયા હતા. ભારતના 2 નવા મહાવાણિજ્ય દૂતવાસો- માન્ચેસ્ટર અને બેલફાસ્ટનું ઉદ્ઘાટન મંત્રીની 2 દેશોની યાત્રાનો અંતિમ ચરણ છે, જેમાં UK અને આયર્લેન્ડ સામેલ છે, જે મંગળવારે લંડનથી શરૂ થઈ હતી.

તેમણે આગળ કહ્યું કે, મને એ જાણીને ખૂબ જ ખુશી થઇ કે ઓલ્ડ ટ્રેફોર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ જેમ્સ એન્ડરસન પર રાખવામાં આવ્યું છે. તે એક એવો ખેલાડી છે, જેનું નામ મેં ક્યારેક એ સવાલના જવાબમાં આપ્યું હતું, જ્યારે મને 5 પસંદગીના ક્રિકેટરોના નામ પૂછવામાં આવ્યા હતા. કેમ કે જે આટલા લાંબા સમય સુધી જે ખેલાડી ભાર ઉઠાવી શકે છે, હું તેમને ઓળખી શકું છું. ભારતમાં આપણે આ જગ્યાને (ઓલ્ડ ટ્રેફોર્ડ) સચિન તેંદુલકરની પહેલી સદી માટે જાણીએ છીએ. હું સ્ટુઅર્ટ બ્રોડ અને ભારતની હાલની મેચોની વાત નહીં કરું, અહીં ઘણી બધી યાદો છે. હું હંમેશાં રમત અને કૂટનીતિના કનેક્શનથી મુગ્ધ રહ્યો છું. મને લાગે છે કે તેમાં અનુશાસન છે. તેમાં બુદ્વિમાની છે. તેમાં રચનાત્મકતા છે, જે બંને વ્યવસાયોમાં અલગ નથી.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.