- Politics
- ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીના વખાણ કેમ કર્યા?
ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીના વખાણ કેમ કર્યા?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હમેંશા આક્રમક નિવેદન કરનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અચાનક રાહુલના વખાણ કરી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવું તે શું થયું કે સ્મૃતિએ કોંગ્રેસ નેતાના વખાણ કરવા પડ્યા?
સ્મૃતિ ઇરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં મોટો બદલાવ આવ્યો છે. હવે રાહુલ ગાંધી જ્યારે જાતિ વિશે વાત કરે છે તો સંભાળીને બોલે છે. સંસદમાં વ્હાઇટ ટી-ર્શટ પહેરીને આવે છે અને યુવાનોને મેસેજ આપવા માંગે છે. વિવાદ ઉભો કરીને ચર્ચામાં કેવી રીતે રહેવાય તે રાહુલને ખબર પડી ગઇ છે.
સ્મૃતિએ અચાનક રાહુલના વખાણ કર્યા તેના પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, લોકસભા 2024 પછી જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી ત્યારે રાહુલે કહ્યું હતું કે, હાર-જીત તો થયા કરે સ્મૃતિ કે કોઇ પણ નેતા સામે અપમાનજનક ટીપપ્ણી કરવી નહીં. આ વાતથી સ્મૃતિ પ્રભાવિત થયા હશે. બીજું કે છેલ્લાં કેટલાંક સમયથી સ્મૃતિને હાંસિયામાં ધકેલી દેવાયા છે એટલે તેઓ ચર્ચામાં રહેવા આવું નિવેદન આપ્યું હશે.
Related Posts
Top News
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Opinion
