ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીના વખાણ કેમ કર્યા?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હમેંશા આક્રમક નિવેદન કરનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અચાનક રાહુલના વખાણ કરી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવું તે શું થયું કે સ્મૃતિએ કોંગ્રેસ નેતાના વખાણ કરવા પડ્યા?

સ્મૃતિ ઇરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં મોટો બદલાવ આવ્યો છે. હવે રાહુલ ગાંધી જ્યારે જાતિ વિશે વાત કરે છે તો સંભાળીને બોલે છે. સંસદમાં વ્હાઇટ ટી-ર્શટ પહેરીને આવે છે અને યુવાનોને મેસેજ આપવા માંગે છે. વિવાદ ઉભો કરીને ચર્ચામાં કેવી રીતે રહેવાય તે રાહુલને ખબર પડી ગઇ છે.

સ્મૃતિએ અચાનક રાહુલના વખાણ કર્યા તેના પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, લોકસભા 2024 પછી જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી ત્યારે રાહુલે કહ્યું હતું કે, હાર-જીત તો થયા કરે સ્મૃતિ કે કોઇ પણ નેતા સામે અપમાનજનક ટીપપ્ણી કરવી નહીં. આ વાતથી સ્મૃતિ પ્રભાવિત થયા હશે. બીજું કે છેલ્લાં કેટલાંક સમયથી સ્મૃતિને હાંસિયામાં ધકેલી દેવાયા છે એટલે તેઓ ચર્ચામાં રહેવા આવું નિવેદન આપ્યું હશે.

About The Author

Related Posts

Top News

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

ભારત આપણો દેશ જેની ગરિમા અને વૈવિધ્ય વિશ્વભરમાં વખણાય છે. આજે એક પેચીદા પ્રશ્નના ચોકઠામાં ઊભો છે. શું આપણે બુદ્ધની...
Opinion 
બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું

પહેલગામની ઘટના પછી ભારતે પાકિસ્તાન સામે જે 5 પગલાં લીધા તેમાં પાકિસ્તાની નાગરિકોના ભારતીય વિઝા રદ કરવાનો નિર્ણય પણ મહત્ત્વનો...
National 
સીમા હૈદર કહે હું ભારતની વહુ છું, પાકિસ્તાન પાછું તેને નથી જવું
Copyright (c) Khabarchhe All Rights Reserved.