ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીના વખાણ કેમ કર્યા?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હમેંશા આક્રમક નિવેદન કરનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અચાનક રાહુલના વખાણ કરી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવું તે શું થયું કે સ્મૃતિએ કોંગ્રેસ નેતાના વખાણ કરવા પડ્યા?

સ્મૃતિ ઇરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં મોટો બદલાવ આવ્યો છે. હવે રાહુલ ગાંધી જ્યારે જાતિ વિશે વાત કરે છે તો સંભાળીને બોલે છે. સંસદમાં વ્હાઇટ ટી-ર્શટ પહેરીને આવે છે અને યુવાનોને મેસેજ આપવા માંગે છે. વિવાદ ઉભો કરીને ચર્ચામાં કેવી રીતે રહેવાય તે રાહુલને ખબર પડી ગઇ છે.

સ્મૃતિએ અચાનક રાહુલના વખાણ કર્યા તેના પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, લોકસભા 2024 પછી જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી ત્યારે રાહુલે કહ્યું હતું કે, હાર-જીત તો થયા કરે સ્મૃતિ કે કોઇ પણ નેતા સામે અપમાનજનક ટીપપ્ણી કરવી નહીં. આ વાતથી સ્મૃતિ પ્રભાવિત થયા હશે. બીજું કે છેલ્લાં કેટલાંક સમયથી સ્મૃતિને હાંસિયામાં ધકેલી દેવાયા છે એટલે તેઓ ચર્ચામાં રહેવા આવું નિવેદન આપ્યું હશે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.