- Science
- ડુક્કરના શુક્રાણુની ચર્ચા કેમ થઈ રહી છે? આ કામમાં ઉપયોગ કરી રહ્યા છે ડૉક્ટરો
ડુક્કરના શુક્રાણુની ચર્ચા કેમ થઈ રહી છે? આ કામમાં ઉપયોગ કરી રહ્યા છે ડૉક્ટરો
આ દિવસોમાં ડુક્કરના શુક્રાણુ ચર્ચામાં છે. તેને લઈને એવી વાત થઈ રહી છે કે તેનો ઉપયોગ એક દુર્લભ અને અસાધ્ય રોગની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કયા પ્રકારના દુર્લભ રોગોની સારવાર માટે કરી શકાય છે.
આજકાલ, કેન્સરની સારવાર માટે જાત-જાતની પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, અને દરરોજ નવા સંશોધનો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, સંશોધકોએ આંખના કેન્સર માટે એક અનોખી સારવાર શોધી કાઢવાનો દાવો કર્યો છે. હવે, આ રોગ ડુક્કરના શુક્રાણુથી મટાડી શકાય છે.
રેટિનોબ્લાસ્ટોમા (RB) આંખના કેન્સરનું એક ખતરનાક સ્વરૂપ છે. આ મોટાભાગે શિશુઓ અને નાના બાળકોને અસર કરે છે. તેની સારવાર કરવી મુશ્કેલ છે. હવે, એક નવી પદ્ધતિ દ્વારા તેના સંપૂર્ણ ઉપચારનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સંશોધકોએ ડુક્કરના એક વિશેષ અંગમાંથી આ દુર્લભ રોગની સારવાર શોધી કાઢી છે. આ આંખના કેન્સરની સારવાર માટે એક અસરકારક અને સલામત પદ્ધતિ પ્રદાન કરી શકે છે. RBની સારવારની પરંપરાગત પદ્ધતિઓ, જેમ કે ઇન્જેક્શન, કીમોથેરાપી અને રેડિયોથેરાપી, ઘણીવાર પીડાદાયક હોય છે અને તેનાથી દૃષ્ટિ ગુમાવવા અને અન્ય ગંભીર આડઅસરો પેદા થઈ શકે છે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ‘સાયન્સ એડવાન્સિસ’માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુક્કરના શુક્રાણુમાં હાજર કોષો દ્વારા છોડવામાં આવતા નાના વેસિકલ્સ, જેને એક્સોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે વિશિષ્ટ પ્રોટીનની મદદથી જૈવિક અવરોધોને પાર કરી શકે છે, જેથી તે આશાસ્પદ દવાના વાહક બની જાય છે.
આ પદ્ધતિનું પરીક્ષણ કરવા માટે સંશોધન ટીમે શુક્રાણુ-ઉત્પન્ન એક્સોસોમ્સ (sEVs)ને ફોલિક એસિડ અને CMG નેનોઝાઇમ સિસ્ટમ (કુદરતી ઉત્સેચકો નકલ કરતા તત્વો) સાથે જોડીને આંખના ટીપાં (આઈ ડ્રોપ) બનાવ્યા. ફોલિક એસિડ ગાંઠના કોષોને લક્ષ્ય બનાવે છે, જેથી આ પ્રણાલી સ્વાસ્થ્ય ટીશ્યૂને નુકસાન પહોંચાડ્યા વિના તેમણે સ્વયં નષ્ટ કરવા માટે એક્ટિવ કરી શકે છે.
આ દરમિયાન, SEV અસ્થાયી રૂપે આંખના રક્ષણાત્મક સ્તરોને ખોલે છે જેથી ઉપચારના અન્ય ઘટકોને અંદર લઈ જઇ શકાય. આ ટીપાં બે માર્ગો દ્વારા આંખમાં પ્રવેશ કરવામાં સક્ષમ હતા- કોર્નિયા (સૌથી બહારનું સ્તર) અને કન્જક્ટીવા, અથવા પોપચા અને આંખ વચ્ચેનો પાતળું, પારદર્શક પટલ. હાલમાં તેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સંશોધકોને આશા છે કે, આગળ માનવ પરીક્ષણો શરૂ થાય તે પહેલાં વધુ સંશોધન કરવામાં આવશે. ત્યારબાદ જ જ તેનો ઉપયોગ દવા માટે ઉકેલ તરીકે થઈ શકે છે.

