ડુક્કરના શુક્રાણુની ચર્ચા કેમ થઈ રહી છે? આ કામમાં ઉપયોગ કરી રહ્યા છે ડૉક્ટરો

આ દિવસોમાં ડુક્કરના શુક્રાણુ ચર્ચામાં છે. તેને લઈને એવી વાત થઈ રહી છે કે તેનો ઉપયોગ એક દુર્લભ અને અસાધ્ય રોગની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. એવામાં ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કયા પ્રકારના દુર્લભ રોગોની સારવાર માટે કરી શકાય છે.

આજકાલ, કેન્સરની સારવાર માટે જાત-જાતની પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે, અને દરરોજ નવા સંશોધનો થઈ રહ્યા છે. આ સંદર્ભમાં, સંશોધકોએ આંખના કેન્સર માટે એક અનોખી સારવાર શોધી કાઢવાનો દાવો કર્યો છે. હવે, આ રોગ ડુક્કરના શુક્રાણુથી મટાડી શકાય છે.

pig1
pigprogress.net

રેટિનોબ્લાસ્ટોમા (RB) આંખના કેન્સરનું એક ખતરનાક સ્વરૂપ છે. આ મોટાભાગે શિશુઓ અને નાના બાળકોને અસર કરે છે. તેની સારવાર કરવી મુશ્કેલ છે. હવે, એક નવી પદ્ધતિ દ્વારા તેના સંપૂર્ણ ઉપચારનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સંશોધકોએ ડુક્કરના એક વિશેષ અંગમાંથી આ દુર્લભ રોગની સારવાર શોધી કાઢી છે. આ આંખના કેન્સરની સારવાર માટે એક અસરકારક અને સલામત પદ્ધતિ પ્રદાન કરી શકે છે. RBની સારવારની પરંપરાગત પદ્ધતિઓ, જેમ કે ઇન્જેક્શન, કીમોથેરાપી અને રેડિયોથેરાપી, ઘણીવાર પીડાદાયક હોય છે અને તેનાથી દૃષ્ટિ ગુમાવવા અને અન્ય ગંભીર આડઅસરો પેદા થઈ શકે છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ‘સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડુક્કરના શુક્રાણુમાં હાજર કોષો દ્વારા છોડવામાં આવતા નાના વેસિકલ્સ, જેને એક્સોસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, તે વિશિષ્ટ પ્રોટીનની મદદથી જૈવિક અવરોધોને પાર કરી શકે છે, જેથી તે આશાસ્પદ દવાના વાહક બની જાય છે.

pig
kids.britannica.com

આ પદ્ધતિનું પરીક્ષણ કરવા માટે સંશોધન ટીમે શુક્રાણુ-ઉત્પન્ન એક્સોસોમ્સ (sEVs)ને ફોલિક એસિડ અને CMG નેનોઝાઇમ સિસ્ટમ (કુદરતી ઉત્સેચકો નકલ કરતા તત્વો) સાથે જોડીને આંખના ટીપાં (આઈ ડ્રોપ) બનાવ્યા. ફોલિક એસિડ ગાંઠના કોષોને લક્ષ્ય બનાવે છે, જેથી આ પ્રણાલી સ્વાસ્થ્ય ટીશ્યૂને નુકસાન પહોંચાડ્યા વિના તેમણે સ્વયં નષ્ટ કરવા માટે એક્ટિવ કરી શકે છે.

આ દરમિયાન, SEV અસ્થાયી રૂપે આંખના રક્ષણાત્મક સ્તરોને ખોલે છે જેથી ઉપચારના અન્ય ઘટકોને અંદર લઈ જઇ શકાય. આ ટીપાં બે માર્ગો દ્વારા આંખમાં પ્રવેશ કરવામાં સક્ષમ હતા- કોર્નિયા (સૌથી બહારનું સ્તર) અને કન્જક્ટીવા, અથવા પોપચા અને આંખ વચ્ચેનો પાતળું, પારદર્શક પટલ. હાલમાં તેનું ઉંદર પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને સંશોધકોને આશા છે કે, આગળ માનવ પરીક્ષણો શરૂ થાય તે પહેલાં વધુ સંશોધન કરવામાં આવશે. ત્યારબાદ જ જ તેનો ઉપયોગ દવા માટે ઉકેલ તરીકે થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે...
National 
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

સુરત શહેરના આંગણે આગામી 1લી મે, 'ગુજરાત ગૌરવ દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઇ...
Gujarat 
ગુજરાત સ્થાપના દિવસે સુરતીઓને જોવા મળશે દિલ્હીના રાજપથ જેવો નજારો, પોલીસ જવાનો કરશે દિલધડક બાઈક સ્ટંટ

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.