આંધ્ર પ્રદેશમાં તમિલનાડુના 3 ખેલાડીઓને ટ્રેનમાંથી ઉતારી દેવાયા, ચોકાવનારું કારણ સામે આવ્યું

તમિલનાડુથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં એક ટ્રેનમાંથી અચાનક તમિલનાડુના ત્રણ ખેલાડીઓને ઉતારી દેવામાં આવ્યા, જેના પાછળનું કારણ ચાહકોને ચોંકાવી દેનારું છે. ઓડિશામાં રાષ્ટ્રીય સ્પર્ધામાંથી પરત ફરી રહેલા તમિલનાડુના ત્રણ પોલ વોલ્ટ એથ્લેટ્સને આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કર્મચારીઓએ ત્રણેય ખેલાડીઓના પોલને ટ્રેનમાંથી ફેંકી દીધા હોવાના અહેવાલ છે. તેમણે ડબ્બાની બહાર ટ્રેનની બારીઓ સાથે 3 રમતગમતના સાધનો જે દોરડા વડે બાંધેલા હતા તે દોરડાને પણ કાપી નાખ્યા હતા.

Poles Offloaded-Train
news18.com

3 ખેલાડીઓના દરેક પોલની કિંમત રૂ. 1 લાખ છે, જેને પાટા પર ફેંકી દેવામાં આવ્યા હતા. ટ્રેનને રોકવા માટે ખેલાડીઓએ સાંકળ ખેંચવી પડી અને પછી તેમને ફરીથી પોલને લેવા પડ્યા. ભુવનેશ્વરમાં આયોજિત ઇન્ડિયન ઇન્ડોર ઓપન કમ્બાઇન્ડ ઇવેન્ટ્સ અને પોલ વોલ્ટ સ્પર્ધામાં પુરુષો અને મહિલાઓ બંનેના રાષ્ટ્રીય રેકોર્ડ તૂટ્યાના એક અઠવાડિયા પછી આ ઘટના બની છે. આ વર્ષની શરૂઆતમાં, મહારાષ્ટ્રના પનવેલમાં ટિકિટ એક્ઝામિનર (TE) દ્વારા કુલદીપ કુમાર અને તે સમયના રેકોર્ડ ધારક દેવ મીણાને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

Poles Offloaded-Train
timesofindia.indiatimes.com

કુલદીપ કુમાર અને દેવ મીણાને તેઓ જે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં પોલ રાખવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. તાજેતરની ઘટનામાં તમિલનાડુના ત્રણ પોલ વોલ્ટ એથ્લેટ્સ અને બે હેપ્ટાથ્લેટ્સનો સમાવેશ થાય છે, જે બધા વેઇટલિસ્ટ ટિકિટ પર ભુવનેશ્વરથી સેલમ પરત ફરી રહ્યા હતા. એક મુસાફરની ફરિયાદ પછી, રાજમુન્દ્રી સ્ટેશન પર એક RPF અધિકારીએ છરી વડે દોરડું કાપી નાખ્યું, જેના કારણે ખેલાડીઓના પોલ પાટા પર પડી ગયા. ટ્રેન આગળ ચાલતા, એક ખેલાડીએ પોલને નુકસાન ન થાય તે માટે ટ્રેનની ચેન ખેંચી હતી.

Poles Offloaded-Train
indiatoday.in

સેલમ ડિવિઝનમાં કોમર્શિયલ-કમ-ટિકિટ ક્લાર્ક (CCTC) 22 વર્ષીય શક્તિએ જણાવ્યું હતું કે, પોલને કારણે કોઈ મુસાફરોને પરેશાની નહતી, અને ખેલાડીઓની પાસે બારીઓ સાથે પોલને બાંધવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. CCTCએ જણાવ્યું હતું કે ખેલાડીઓએ તમામ જરૂરી સલામતી પગલાં લીધા હતા અને ખાતરી કરી હતી કે મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.