આકાશ ચોપરાના મતે ચેતેશ્વર પૂજારાને આ કારણે ટેસ્ટમાંથી કરવામાં આવ્યો ડ્રોપ

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યા બાદ ખૂબ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરેક સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આખરે ચેતેશ્વર પૂજારાને કેમ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો. તો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે, સિલેક્ટર્સે હવે ભવિષ્ય તરફ જોવાનું શરૂ કરી દીધું છે અને આ કારણે ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કરીને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં બે નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને એક સીનિયર ખેલાડીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટીમમાં રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં તેને ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં કુલ 16 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે.

ટીમમાં અનકેપ્ડ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને સામેલ કરવામાં આવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ અપર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી ડ્રોપ કરવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચેતેશ્વર પૂજારા ટીમમાં નથી. જો કે, એવું નથી જે હવે તે ક્યારેય વાપસી નહીં કરી શકે. કેમ કે રહાણેએ આ પ્રકારે વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારા પણ વચ્ચે ડ્રોપ થયો હતો, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને વાપસી કરી.

તેમણે આગળ કહ્યું કે, ટેસ્ટ મેચોમાં તેનું (ચેતેશ્વર પૂજારાનું) પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે, પરંતુ હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલની શરૂઆત થઈ રહી છે અને તે જુવાન તો થવાનો નથી. કદાચ આ જ કારણ છે કે ભારતીય ટીમ હવે આગળ દિશામાં જવા માગે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

Related Posts

Top News

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

ઉત્તર પ્રદેશના બલિયાના સુખપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં જીન્સ અને T-શર્ટ પહેરેલી ચાર...
National 
જીન્સ અને T-શર્ટ પહેરેલી 4 છોકરી UPમાં ભીખ કેમ માંગી રહી છે... આધારમાં છે ગુજરાતનું સરનામું!

70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ગલંદર ગામમાં એક અનોખા અને પ્રેરણાદાયક લગ્ન જોવા મળ્યા. અહીં 70 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા 95 વર્ષીય...
National 
70 વર્ષ લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા બાદ 95 વર્ષીય વરરાજા અને 90 વર્ષની દુલ્હને કર્યા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.