આકાશ ચોપરાના મતે ચેતેશ્વર પૂજારાને આ કારણે ટેસ્ટમાંથી કરવામાં આવ્યો ડ્રોપ

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કર્યા બાદ ખૂબ તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. દરેક સિલેક્ટર્સ પર સવાલ ઉઠાવી રહ્યું છે કે આખરે ચેતેશ્વર પૂજારાને કેમ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો. તો પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાનું માનવું છે કે, સિલેક્ટર્સે હવે ભવિષ્ય તરફ જોવાનું શરૂ કરી દીધું છે અને આ કારણે ચેતેશ્વર પૂજારાને ડ્રોપ કરીને યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર ટેસ્ટ મેચોની સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમમાં બે નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે અને એક સીનિયર ખેલાડીને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. અજિંક્ય રહાણેને ટીમમાં રાખવામાં આવ્યો છે અને ટેસ્ટ સીરિઝમાં તેને ઉપકેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે. તો સૂર્યકુમાર યાદવને બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં કુલ 16 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે અને મોટી વાત એ છે કે ચેતેશ્વર પૂજારા અને ઉમેશ યાદવને બહાર કરી દેવામાં આવ્યા છે.

ટીમમાં અનકેપ્ડ ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલને સામેલ કરવામાં આવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ અપર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ ચેતેશ્વર પૂજારાને ટીમમાંથી ડ્રોપ કરવાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ચેતેશ્વર પૂજારા ટીમમાં નથી. જો કે, એવું નથી જે હવે તે ક્યારેય વાપસી નહીં કરી શકે. કેમ કે રહાણેએ આ પ્રકારે વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારા પણ વચ્ચે ડ્રોપ થયો હતો, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કરીને વાપસી કરી.

તેમણે આગળ કહ્યું કે, ટેસ્ટ મેચોમાં તેનું (ચેતેશ્વર પૂજારાનું) પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે, પરંતુ હવે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલની શરૂઆત થઈ રહી છે અને તે જુવાન તો થવાનો નથી. કદાચ આ જ કારણ છે કે ભારતીય ટીમ હવે આગળ દિશામાં જવા માગે છે.

વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે (ઉપકેપ્ટન), કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, જયદેવ ઉનડકટ, નવદીપ સૈની.

About The Author

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.