પાક. ખેલાડીનો ભારતીય સ્પિનર્સ પર બફાટ, બોલ્યો-જાડેજા નબળો સ્પિનર, ચહલને મારવો...

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ ઈન્દોરમાં શરૂ થઈ છે. આ અગાઉ ભારતીય ટીમે પહેલી બંને ટેસ્ટ જીતીને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી અજેય લીડ હાંસલ કરી લીધી છે. પહેલી બંને મેચોમાં ભારતીય સ્પિનર્સનો જલવો જોવા મળ્યો. ખાસ કરીને રવીન્દ્ર જાડેજાએ પહેલી 2 મેચોમાં મળીને કુલ 17 વિકેટ હાંસલ કરીને પોતાની વાપસીને યાદગાર બનાવી દીધી છે. જો કે, પાકિસ્તાની પૂર્વ ખેલાડીને રવીન્દ્ર જાડેજાની કુશળતા પર શંકા હતી.

તેણે કહ્યું કે, જ્યારે તે આવ્યો હતો, તો તેની રમત ખૂબ સરળ હતી. પાકિસ્તાની પ્રેન્કસ્ટાર નાદિર અલી સાથે યુટ્યુબ ચેનલ પર એક પૉડકાસ્ટ પર બોલતા પાકિસ્તનના પૂર્વ ક્રિકેટ અબ્દુલ રહમાને ભારતના સૌથી ખરાબ સ્પિનર્સમાં રવીન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલનું નામ લીધું. જો કે તેણે એમ પણ જણાવ્યું કે, ખેલાડી પોતાના દેશ માટે રમે છે, તે ક્યારેય ખરાબ હોતા નથી. પોતાના કરિયરની શરૂઆતમાં રવીન્દ્ર જાડેજા એક ખરાબ બોલર હતો અને પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના માર્ગદર્શનમાં તે દુનિયાનો નંબર વન બોલર બની ગયો.

તેણે યુઝવેન્દ્ર ચહલને સૌથી ખરાબ બોલર કહ્યો. અબ્દુર રહમાને કહ્યું કે, રવીન્દ્ર જાડેજા જ્યારે શરૂઆતમાં આવ્યો હતો તો ફરિક સ્પિનર હતો. એક નબળો બોલર હતો. તમે તેને સરળતાથી મારી શકતા હતા. તેના બૉલમાં કોઈ જીવ નહોતો અને બૉલને વધારે સ્પિન પણ મળતી નહોતી. તેને જોઈને લાગતું હતું કે તે લાંબી રેસનો ઘોડો નથી. જો કે તેને ભારતના સૌથી શાનદાર સ્પિનર બાબતે પૂછવામાં આવ્યું તો પણ તેણે રવીન્દ્ર જાડેજાનું નામ લીધું. અનિલ કુંબલે બાબતે વાત કરતા તેણે કહ્યું કે, તે પહેલાના જમાના મુજબના હતા, પરંતુ આજે આપણે મોડર્ન ડેઝમાં છીએ.

અનિલ કુંબલે પહેલા બિશન સિંહ બેદી એક સારા સ્પિનર હતા. અનિલ કુંબલે જો આજના જમાના હોત તો તેઓ ખરાબ રીતે માર ખાતા, તેમનો બૉલ ટર્ન ન થતો. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજાએ હાલમાં જ બૉલ સાથે સાથે બેટથી પણ કમાલ કરી અને તે દુનિયાનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર બની ગયો છે. ભારતીય ટીમ હવે સીરિઝની ત્રીજી મેચ આજથી ઈન્દોરમાં રમી રહી છે.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.