Video: '6 6 6 6 6 6', આ ભારતીય ક્રિકેટરે 1 ઓવરમાં 6 સિક્સ લગાવીને મચાવી સનસની

ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટમાં હાલના દિવસોમાં અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં આંધ્ર પ્રદેશના એક બેટ્સમેન વામશી કૃષ્ણાએ પોતાની શાનદાર બેટિંગથી બધાને હેરાન કરી દીધા છે. 22 વર્ષીય આ યુવા બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટના ફોર્મેટવાળા ટૂર્નામેન્ટમાં T20 જેવી વિસ્ફોટક બેટિંગ કરી અને એક જ ઓવરમાં સતત 6 સિક્સ લગાવી દીધા. વામશી કૃષ્ણાની આ બેટિંગનો વીડિયો પોતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

BCCI ડોમેસ્ટિકે X (અગાઉ ટ્વીટર)પર એક વીડિયો પોસ્ટ કરતા લખ્યું 'એક ઓવરમાં 6 સિક્સ! આંધ્રાના વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં 6 સિક્સ લગાવ્યા. કડપ્પામાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં 64 બૉલમાં 110 રનની વિસ્ફોટક ઇનિંગ.' અંડર-23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફીમાં આંધ્ર પ્રદેશ અને રેલવે વચ્ચે એક મેચ રમાઈ. આ મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી આંધ્ર પ્રદેશની ટીમના ઓપનર બેટ્સમેન વામશી કૃષ્ણાએ રેલવેના સ્પિનર દમનદીપ સિંહની એક ઓવરમાં સતત 6 સિક્સ લગાવી દીધા.

વામશી કૃષ્ણાએ માત્ર 64 બૉલમાં 110 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેના શાનદાર પ્રદર્શનની મદદથી આંધ્ર પ્રદેશની ટીમે પહેલી ઇનિંગમાં 378 રનનો સ્કોર બોર્ડ પર બનાવ્યો. વામશી કૃષ્ણા દ્વારા એક ઓવરમાં 6 સિક્સ લગાવ્યા બાદ રવિ શાસ્ત્રી (વર્ષ 1985), યુવરાજ સિંહ (વર્ષ 2007) અને ઋતુરાજ ગાયકવાડ (વર્ષ 2022)ના ક્લબમાં સામેલ થઈ ગયો છે. તો રેલવે તરફથી એસ.આર. કમાર અને એમ.ડી. જયસ્વાલે સૌથી વધુ 3-3 વિકેટ લીધી. વિશાખાપટ્ટનમના વાઈ.એસ. રાજા રેડ્ડી ACA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં આંધ્ર પ્રદેશને 378 રન સમેટ્યા બાદ રેલવેએ પણ બેટિંગમાં દમ દેખાડ્યો.

રેલવેના ઓપનર અંશ યાદવે બોલરોને ખૂબ ધોઈ નાખતા 597 બૉલમાં 14 ફોર અને 2 સિક્સની મદદથી 268 રન બનાવ્યા. એ સિવાય રવિ સિંહે પણ 311 બૉલમાં 17 ફોર અને 13 સિક્સની મદદથી 258 રન બનાવ્યા. અંચિત યાદવે 219 બૉલમાં 13 ફોર અને 2 સિક્સ લગાવીને 133 રનની ઇનિંગ રમી. રેલવેએ પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 865 રનનો પહાડ જેવો સ્કોર બનાવીને 487 રનની લીડ હાંસલ કરી. જો કે, આ મેચ ડ્રો પર સમાપ્ત થઈ.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.