અનિલ કુંબલેના મતે CSK સહિત આ 4 ટીમો રમશે પ્લેઓફ, RCB-MI આઉટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023નો રોમાન્ચ પોતાના ચરમ પર છે. સીઝન-16નો બીજો હાફ શરૂ થઈ ગયો છે અને IPL 2023ના પોઇન્ટ્સ ટેબલમાં ટીમો વચ્ચે આગળ વધવાની હોડ મચેલી છે. ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સને છોડીને બધી ટીમોએ 8-8 મેચ રમી લીધી છે. 4 ટીમો પોઇન્ટ્સ ટેબલમાં 10-10 પોઇન્ટ્સ પર છે. તો 2 ટીમો 8-8, 2 ટીમો 6-6 અને અન્ય 2 ટીમો 4-4 પોઇન્ટ્સ પર છે.

બધી ફ્રેન્ચાઇઝી એક-બીજાને સખત ટક્કર આપી રહી છે. એવામાં અત્યારે એ નક્કી કરી શકવું થોડું મુશ્કેલ છે કે કઈ 4 ટીમો પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી શકશે, પરંતુ આ સવાલ પર ભારતીય પૂર્વ સ્પિનર અનિલ કુંબલેએ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. અનિલ કુંબલેએ એ 4 ટીમો બાબતે જણાવ્યું છે કે IPL 2023ની પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરી શકે છે. ભારતીય લીજેન્ડ સ્પિનર અનિલ કુંબલેનું કહેવું છે કે પોઇન્ટ્સ ટેબલમાં હાલમાં ઉપસ્થિત ટોપ-4 ટીમો જ પ્લેઓફમાં રમતી નજરે પડશે.

IPL 2023ની 38મી મેચ બાદ રાજસ્થાન રોયલ્સ પોઇન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર છે. તો એ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ, ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો ટોપ-4માં છે. જિયો સિનેમાના IPL એક્સપર્ટ અનિલ કુંબલેએ મીડિયા ઇન્ટરેક્શનમાં જણાવ્યું હતું કે, એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે કોણ રહેશે, પરંતુ જેમ મેં કહ્યું કે, 16 પોઇન્ટ્સ તો ઓછામાં ઓછા પહોંચવા માટે જોઈએ. જો તમને 16 પોઇન્ટ્સ મળતા નથી તો 14 પોઇન્ટ્સ સાથે ક્વાલિફાઈ કરવાનું ખૂબ મુશ્કેલ હશે.

14 પોઇન્ટ્સમાં જો તમારે ક્વાલિફાઈ કરવું હોય તો નેટ રન રેટ ખૂબ જરૂરી છે. આ વખત 16 પોઇન્ટ્સમાં પણ નેટ રનરેટ પર મામલો ફાંસી શકે છે. આ વખત એમ લાગી રહ્યું નથી કે ટીમો 16 પોઇન્ટ્સ સાથે પણ સુનિશ્ચિત કરી શકશે કે તે ક્વાલિફાઈ કરી શકશે કે નહીં. મારા હિસાબે જે અત્યારે ટોપ-4માં ટીમો છે એ જ પ્લેઓફ માટે ક્વાલિફાઈ કરશે, બાકી ટીમો માટે થોડું મુશ્કેલ હશે, ત્યાં સુધી પહોંચવાનું. આ ચારેય ટીમો હાલમાં ફોર્મમાં પણ છે અને તેમનામાં ક્ષમતા પણ છે.

તેમણે હોમ અને અવે મેચ પણ જીતી છે. એવું નથી કે માત્ર હોમ મેચ જીતીને ત્યાં પહોંચી છે. તો મને લાગે છે કે જે ટીમો હાલમાં ટોપ-4માં છે એ જ ટીમો અંત સુધી અહી ઉપસ્થિત રહેશે. કુંબલેની આ ભવિષ્યવાણી મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનું આ સીઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું સપનું અધૂરું રહી જશે. જો અનિલ કુંબલેની આ વાત સાચી સાબિત થાય છે તો ફેન્સ ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ એ 3 ટીમો પ્લેઓફમાં રમતી નજરે પડશે, જેમણે ગયા વર્ષે ક્વાલિફાઈ કર્યું હતું. રાજસ્થાન, લખનૌ અને ગુજરાતે ગયા વર્ષે પણ પ્લેઓફ મેચ રમી હતી. બસ આ વખત પ્લેઓફની રેસમાં 4 ટીમોમાં એક બદલાવ થયો છે. બેંગ્લોરની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ ટોપ-4માં નજરે પડશે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.