રનરેટ સંભાળી લઈશું.. બાબરનું કોન્ફિડેન્સ તો જુઓ,પાક. સેમીફાઇનલમાં પહોંચવાનો દાવો

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાસે ઇંગ્લેન્ડને હરાવીને નેટ રનરેટ વધારવાનો સુપરપ્લાન છે. પાકિસ્તાન અત્યારે 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે છે અને સેમીફાઇનલમાં પહોંચવાની આશા બનાવી રાખવા માટે શનિવારે કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેણે પહેલા બેટિંગ કર્યા બાદ 278 રનથી જીત હાંસલ કરવી પડશે, પરંતુ જો પાકિસ્તાન પહેલા બોલિંગ કરે છે તો તેણે ઇંગ્લેન્ડને 50 રન પર ઓલઆઉટ કરવાનું લક્ષ્ય બે ઓવરમાં સાધવું પડશે.

જો ઇંગ્લેન્ડ 100 રન બનાવવામાં સફળ થાય છે તો 3 ઓવરની અંદર ચેઝ કરવા પડશે. શ્રીલંકા વિરુદ્ધ ગુરુવારે રાત્રે બેંગ્લોરમાં જીત સાથે જ પાકિસ્તાનનું ગણિત બગડી ગયું. જો પાકિસ્તાન પોતાની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવી દે છે તો તેનું કામ નેટ રનરેટ પર જઈને અટકી જહશે. મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા બાબર આઝમે કહ્યું કે, તેની પાસે નેટ રનરેટને પહોંચીવળવાનો પ્લાન છે.

ક્રિકેટમાં કંઇ પણ થઈ શકે છે. અમે પોતાના અભિયાનને હાઇ લેવલ પર લઈ જઈને સમાપ્ત કરવા માગીશું.’ બાબર આઝમે કહ્યું કે, ‘અમારી પાસે નેટ રનરેટ માટે એક યોજના છે અને અમે તેના પર અમલ કરવાનો પ્રયાસ કરીશું. અમે યોજના બનાવી લીધી છે કે પહેલી 10 ઓવરમાં કેવી રીતે રમીશું અને ત્યારબાદ શું કરવાનું છે. જો ફખર જમાન 20-30 ઓવર રમે છે તો અમે એ હાંસલ કરી શકીએ છીએ, જે આવશ્યક છે.

મેચ દરમ્યાન ઈફ્તિખાર અહમદ અને મોહમ્મદ રિઝવાનની ભૂમિકા મહત્ત્વની હશે. બાબર આઝમે એ પૂર્વ ક્રિકેટરો પર પણ પલટવાર કર્યો, જેમણે મેગા ઇવેન્ટ દરમિયાન તેના પ્રદર્શન અને કેપ્ટન્સીની નિંદા કરી હતી. તેણે કહ્યું કે, મારા પર કોઈ દબાવ નથી. હું છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન કરતો ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છું. ટી.વી. પર બેસીને વાત કહેવાની સરળ છે. જે મને સલાહ આપવા માગે છે તેઓ મારા નંબર પર સંપર્ક કરી શકે છે. અત્યારે મારું ધ્યાન આગામી મેચ પર છે.

હું કેપ્ટન્સીના ભવિષ્ય બાબતે પછીથી વિચારીશ. બાબર આઝમે વર્લ્ડ કપ દરમિયાન પોતાના પ્રદર્શન પર ભારતની પરિસ્થિતિઓની ભૂમિકા બાબતે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું મેચની સ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ક્યારેક ક્યારેક પરિસ્થિતીઓ આપણને ખૂલીને રમવાની મંજૂરી આપતી નથી. ભારતમાં દરેક આયોજન સ્થળની અલગ અલગ સ્થિતિઓ છે. અમે પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છીએ અને સ્થિતિઓ બાબતે વધુ જાણકારીઓ નથી. હું સ્વીકારું છું કે હું શાળને અનુરૂપ પ્રદર્શન ન કરી શક્યો.

About The Author

Related Posts

Top News

મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

છેતરપિંડી કરનારાઓએ ખુબ ચાલાકીપૂર્વક એક દંપતીને પોતાની વાતોમાં ફસાવી લીધું હતું. તેમણે તેમને આતંકવાદી કાર્યવાહીમાં સંડોવણી હોવાની ધમકી આપી અને...
National 
મમ્મી-પાપા 10 કલાક સુધી ડિજિટલ એરેસ્ટ હતા, 8 ધોરણમાં ભણતા પુત્રએ સમજાવ્યા, પણ ન માન્યા, પછી તેણે...

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.