રનરેટ સંભાળી લઈશું.. બાબરનું કોન્ફિડેન્સ તો જુઓ,પાક. સેમીફાઇનલમાં પહોંચવાનો દાવો

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાસે ઇંગ્લેન્ડને હરાવીને નેટ રનરેટ વધારવાનો સુપરપ્લાન છે. પાકિસ્તાન અત્યારે 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે છે અને સેમીફાઇનલમાં પહોંચવાની આશા બનાવી રાખવા માટે શનિવારે કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેણે પહેલા બેટિંગ કર્યા બાદ 278 રનથી જીત હાંસલ કરવી પડશે, પરંતુ જો પાકિસ્તાન પહેલા બોલિંગ કરે છે તો તેણે ઇંગ્લેન્ડને 50 રન પર ઓલઆઉટ કરવાનું લક્ષ્ય બે ઓવરમાં સાધવું પડશે.

જો ઇંગ્લેન્ડ 100 રન બનાવવામાં સફળ થાય છે તો 3 ઓવરની અંદર ચેઝ કરવા પડશે. શ્રીલંકા વિરુદ્ધ ગુરુવારે રાત્રે બેંગ્લોરમાં જીત સાથે જ પાકિસ્તાનનું ગણિત બગડી ગયું. જો પાકિસ્તાન પોતાની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવી દે છે તો તેનું કામ નેટ રનરેટ પર જઈને અટકી જહશે. મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા બાબર આઝમે કહ્યું કે, તેની પાસે નેટ રનરેટને પહોંચીવળવાનો પ્લાન છે.

ક્રિકેટમાં કંઇ પણ થઈ શકે છે. અમે પોતાના અભિયાનને હાઇ લેવલ પર લઈ જઈને સમાપ્ત કરવા માગીશું.’ બાબર આઝમે કહ્યું કે, ‘અમારી પાસે નેટ રનરેટ માટે એક યોજના છે અને અમે તેના પર અમલ કરવાનો પ્રયાસ કરીશું. અમે યોજના બનાવી લીધી છે કે પહેલી 10 ઓવરમાં કેવી રીતે રમીશું અને ત્યારબાદ શું કરવાનું છે. જો ફખર જમાન 20-30 ઓવર રમે છે તો અમે એ હાંસલ કરી શકીએ છીએ, જે આવશ્યક છે.

મેચ દરમ્યાન ઈફ્તિખાર અહમદ અને મોહમ્મદ રિઝવાનની ભૂમિકા મહત્ત્વની હશે. બાબર આઝમે એ પૂર્વ ક્રિકેટરો પર પણ પલટવાર કર્યો, જેમણે મેગા ઇવેન્ટ દરમિયાન તેના પ્રદર્શન અને કેપ્ટન્સીની નિંદા કરી હતી. તેણે કહ્યું કે, મારા પર કોઈ દબાવ નથી. હું છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન કરતો ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છું. ટી.વી. પર બેસીને વાત કહેવાની સરળ છે. જે મને સલાહ આપવા માગે છે તેઓ મારા નંબર પર સંપર્ક કરી શકે છે. અત્યારે મારું ધ્યાન આગામી મેચ પર છે.

હું કેપ્ટન્સીના ભવિષ્ય બાબતે પછીથી વિચારીશ. બાબર આઝમે વર્લ્ડ કપ દરમિયાન પોતાના પ્રદર્શન પર ભારતની પરિસ્થિતિઓની ભૂમિકા બાબતે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું મેચની સ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ક્યારેક ક્યારેક પરિસ્થિતીઓ આપણને ખૂલીને રમવાની મંજૂરી આપતી નથી. ભારતમાં દરેક આયોજન સ્થળની અલગ અલગ સ્થિતિઓ છે. અમે પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છીએ અને સ્થિતિઓ બાબતે વધુ જાણકારીઓ નથી. હું સ્વીકારું છું કે હું શાળને અનુરૂપ પ્રદર્શન ન કરી શક્યો.

About The Author

Related Posts

Top News

'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સંભલ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવે ઇન્ટરચેન્જ પોઇન્ટ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ જય ભગવાન મંગળવારે બપોરે તેમની ફરજ પરથી ગેરહાજર જોવા મળ્યા....
National 
'મેં તારી પૉટીનો કોન્ટ્રાક્ટ લઈ રાખ્યો છે?', ટ્રાફિક કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જ વચ્ચે તું-તું મેં-મેં; SPએ કરી કાર્યવાહી

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા...
Gujarat 
સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ઇન્દોરના કુખ્યાત હનીમૂન કેસમાં એક મોટો સુધારો સામે આવ્યો છે. કોર્ટે મુખ્ય આરોપીની પત્ની સોનમ રઘુવંશીને જામીન આપી દીધા છે....
પુરાવાનો અભાવ કે ધરપકડમાં ખામી... સોનમને જામીન કેમ મળ્યા? રાજા રઘુવંશી કેસમાં નવો વળાંક

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.