રનરેટ સંભાળી લઈશું.. બાબરનું કોન્ફિડેન્સ તો જુઓ,પાક. સેમીફાઇનલમાં પહોંચવાનો દાવો

પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પાસે ઇંગ્લેન્ડને હરાવીને નેટ રનરેટ વધારવાનો સુપરપ્લાન છે. પાકિસ્તાન અત્યારે 8 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબરે છે અને સેમીફાઇનલમાં પહોંચવાની આશા બનાવી રાખવા માટે શનિવારે કોલકાતામાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેણે પહેલા બેટિંગ કર્યા બાદ 278 રનથી જીત હાંસલ કરવી પડશે, પરંતુ જો પાકિસ્તાન પહેલા બોલિંગ કરે છે તો તેણે ઇંગ્લેન્ડને 50 રન પર ઓલઆઉટ કરવાનું લક્ષ્ય બે ઓવરમાં સાધવું પડશે.

જો ઇંગ્લેન્ડ 100 રન બનાવવામાં સફળ થાય છે તો 3 ઓવરની અંદર ચેઝ કરવા પડશે. શ્રીલંકા વિરુદ્ધ ગુરુવારે રાત્રે બેંગ્લોરમાં જીત સાથે જ પાકિસ્તાનનું ગણિત બગડી ગયું. જો પાકિસ્તાન પોતાની અંતિમ મેચમાં ઇંગ્લેન્ડને હરાવી દે છે તો તેનું કામ નેટ રનરેટ પર જઈને અટકી જહશે. મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા બાબર આઝમે કહ્યું કે, તેની પાસે નેટ રનરેટને પહોંચીવળવાનો પ્લાન છે.

ક્રિકેટમાં કંઇ પણ થઈ શકે છે. અમે પોતાના અભિયાનને હાઇ લેવલ પર લઈ જઈને સમાપ્ત કરવા માગીશું.’ બાબર આઝમે કહ્યું કે, ‘અમારી પાસે નેટ રનરેટ માટે એક યોજના છે અને અમે તેના પર અમલ કરવાનો પ્રયાસ કરીશું. અમે યોજના બનાવી લીધી છે કે પહેલી 10 ઓવરમાં કેવી રીતે રમીશું અને ત્યારબાદ શું કરવાનું છે. જો ફખર જમાન 20-30 ઓવર રમે છે તો અમે એ હાંસલ કરી શકીએ છીએ, જે આવશ્યક છે.

મેચ દરમ્યાન ઈફ્તિખાર અહમદ અને મોહમ્મદ રિઝવાનની ભૂમિકા મહત્ત્વની હશે. બાબર આઝમે એ પૂર્વ ક્રિકેટરો પર પણ પલટવાર કર્યો, જેમણે મેગા ઇવેન્ટ દરમિયાન તેના પ્રદર્શન અને કેપ્ટન્સીની નિંદા કરી હતી. તેણે કહ્યું કે, મારા પર કોઈ દબાવ નથી. હું છેલ્લા 3 વર્ષથી પ્રદર્શન કરતો ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છું. ટી.વી. પર બેસીને વાત કહેવાની સરળ છે. જે મને સલાહ આપવા માગે છે તેઓ મારા નંબર પર સંપર્ક કરી શકે છે. અત્યારે મારું ધ્યાન આગામી મેચ પર છે.

હું કેપ્ટન્સીના ભવિષ્ય બાબતે પછીથી વિચારીશ. બાબર આઝમે વર્લ્ડ કપ દરમિયાન પોતાના પ્રદર્શન પર ભારતની પરિસ્થિતિઓની ભૂમિકા બાબતે પણ વાત કરી. તેણે કહ્યું કે, હું મેચની સ્થિતિ મુજબ બેટિંગ કરું છું. ક્યારેક ક્યારેક પરિસ્થિતીઓ આપણને ખૂલીને રમવાની મંજૂરી આપતી નથી. ભારતમાં દરેક આયોજન સ્થળની અલગ અલગ સ્થિતિઓ છે. અમે પહેલી વખત ભારતનો પ્રવાસ કરી રહ્યા છીએ અને સ્થિતિઓ બાબતે વધુ જાણકારીઓ નથી. હું સ્વીકારું છું કે હું શાળને અનુરૂપ પ્રદર્શન ન કરી શક્યો.

About The Author

Top News

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.