જુઓ ભારત સામે હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે કોના પર ફોડ્યો હારનો ઠીકરો

વન-ડે વર્લ્ડ કપની મેચમાં બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમને ભારતીય ટીમ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. 14 ઓક્ટોબર (શનિવારના રોજ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 42.5 ઓવરોમાં 191 રનો પર જ સમેટાઇ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 30.3 ઓવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો. વન-ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી જીત છે. હવે ભારતીય ટીમ 19 ઓક્ટોબરના રોજ પૂણેમાં બાંગ્લાદેશી ટીમનો સામનો કરશે.

ભારત વિરુદ્ધની આ મેચમાં પાકિસ્તાને એક સમયે 2 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ આખી ટીમ ટ્રેક પરથી ઉતરી ગઈ. પાકિસ્તાની ટીમે અંતિમ 8 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી દીધી અને મેચ તેના હાથમાંથી નીકળી ગઈ. હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું દર્દ છલકાય પડ્યું. બાબર આઝમે હાર માટે બેટ્સમેનો અને બોલરો પર ઠીકરો ફોડ્યો. બાબર આઝમે કહ્યું કે, અમે સારી શરૂઆત કરી અને સારી પાર્ટનરશિપ થઈ. હું અને રિઝવાન નેચરલ રમવા માગતા હતા. અચાનક કોલેપ્સ થઈ ગયો અને અમે સારી રીતે ફિનિશ ન કરી શક્યા.

તેણે કહ્યું કે, જે પ્રકારે અમે શરૂઆત કરી, અમે 280-290નો ટારગેટ રાખવા માગતા હતા. નવા બૉલથી અમે આશા મુજબ પ્રદર્શન ન કરી શક્યા. રોહિત શર્મા જે પ્રકારે રમ્યો તે ખૂબ જ શાનદાર ઇનિંગ હતી. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમ ન થઈ શક્યું. તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, આજે પણ બોલર જ હતા જેમણે અમારા માટે ગેમ બનાવી. મને નથી લાગતું કે આ 190ની પીચ હતી. એક સમયે અમે 280 તરફ જોઈ રહ્યા હતા, જે પ્રકારે બોલરોએ ધૈર્ય દેખાડ્યું, તે ઘણું બધુ કહે છે. આ એવી વસ્તુ છે જેના પર અમને ગર્વ છે, જેને પણ બૉલ મળે છે, તે પોતાની ભૂમિકા નિભાવે છે.

રોહિતે આગળ કહ્યું કે, અમારી પાસે 6 ખેલાડી છે જે બૉલથી મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. એક કેપ્ટનના રૂપમાં મારું કામ ત્યાં પણ મહત્વપૂર્ણ છે. અમે એ વાતને લઈને સ્પષ્ટ હતા કે અમે શું કરવા માગીએ છીએ. અમે એ વાતને લઈને દુવિધામાં રહેવા માગતા નહોતા કે કોણ ક્યાં બેટિંગ કરશે. કુલ મળીને સારું લાગી રહ્યું છે. હું વધારે ઉત્સાહિત થવા માગતો નથી. આ એક લાંબુ ટૂર્નામેન્ટ છે, 9 લીગ મેચ, પછી સેમીફાઇનલ. બસ સંતુલન બનાવીને આગળ વધવાનું છે. કોઈ પણ વિપક્ષી ટીમ તમને હરાવી શકે છે. અમારે આ વિશેષ દિવસ પર સારું કરવું પડશે. ભૂતકાળ અને ભવિષ્ય કોઈ મહત્ત્વ રાખતું નથી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.