વર્લ્ડ કપમાં ઉતરી શકે છે આ ટીમ, આ દિવસે થશે જાહેરાત, 2 ખેલાડી હશે રિઝર્વ

ભારતની મેજબાનીમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ કપ માટે કોર ટીમની જાહેરાત કરવાની અંતિમ તારી 5 સપ્ટેમ્બર નક્કી કરી છે. કોર ટીમનો અર્થ છે કે તેમાં ICCની મંજૂરી વિના બદલાવ કરવાની સંભાવના રહેશે, પરંતુ ICCએ વર્લ્ડ કપ માટે ફાઇનલ 15 સભ્યોની ટીમ જાહેર કરવા માટે 28 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે એટલે કે જો 28 સપ્ટેમ્બર બાર ICCની મંજૂરી વિના બદલાવ નહીં થાય.

આ અગાઉ જ બધા 10 દેશોએ પોતાની ફાઇનલ ટીમ જાહેર કરવી પડશે. તેને લઈને ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત કેટલાક દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી દીધી છે, પરંતુ હવે ભારતીય ટીમની જાહેરાતનો વારો છે. વર્લ્ડ કપ માટે ભારતની કોર ટીમમાં 15 કરતા વધુ ખેલાડી હોય શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત 3 સપ્ટેમ્બરના રોજ કરી શકે છે. કેપ્ટન્સી રોહિત શર્માના હાથોમાં જ રહેશે. તેનાથી એક દિવસ અગાઉ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2023 હેઠળ મેચ રમાશે.

રિપોર્ટ્સ મુજબ, BCCI 3 સપ્ટેમ્બરના રોજ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. તેમાં 2 ખેલાડી રિઝર્વ રાખી શકાય છે. આ રિઝર્વ ખેલાડી પ્રસિદ્ધ ક્રિષ્ના અને સ્પિનર ઓલરાઉન્ડર તિલક વર્મા હોય શકે છે. વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમે એશિયા કપ પણ રમવાનો છે, જેના માટે BCCIએ 17 સભ્યોની ટીમ પસંદ કરી છે. તેમાં વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસનને રિઝર્વ રાખવામાં આવ્યો હતો. સંજુ સેમસનને કેએલ રાહુલના ઓપ્શન તરીકે લેવામાં આવ્યો છે. રાહુલ સામાન્ય ઇજાથી ઝઝૂમી રહ્યો છે. રાહુલ એશિયા કપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવાને લઈને શંકા છે. જો તે મેચ રમતો નથી ત્યારે પણ વર્લ્ડ કપમાં તેની જગ્યા રહેશે.

જોવા જેવી વાત એ પણ છે કે એશિયા કપ બાદ અને વર્લ્ડ કપની બરાબર પહેલા ભારતીય ટીમે પોતાના ઘર આંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝ પણ રમવાની છે. આ સીરિઝ 27 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. આ સીરિઝમાં BCCIને પોતાની ટીમને અજમાવવાનો અવસર હશે, જ્યારે આગામી જ દિવસે 28 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ પણ સોંપવી પડશે. વર્લ્ડ કપની શરૂઆત 5 ઑક્ટોબરે થશે. પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જ મેચ રમવાની છે.

વર્લ્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કે.એલ. રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), જસપ્રીત બૂમરાહ, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

રિઝર્વ ખેલાડી: તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણા.

વન-ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું આખું શેડ્યૂલ:

8 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા, ચેન્નાઈ.

11 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ અફઘાનિસ્તાન, દિલ્હી.

14 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ પાકિસ્તાન, અમદાવાદ.

19 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ બાંગ્લાદેશ, પૂણે.

22 ઓક્ટોબર: ઈન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ, ધરમશાળા.

2 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ શ્રીલંકા, મુંબઈ.

5 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ દક્ષિણ આફ્રિકા, કોલકાતા.

12 નવેમ્બર: ઈન્ડિયા વર્સિસ નેધરલેન્ડ, બેંગ્લોર.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.