સેમિફાઇનલમાં પીચ પર ભારતને ઘેરી રહ્યું હતું ઓસ્ટ્રેલિયા, આઇસલેન્ડે ટ્વીટથી...

ભારત કે પછી ઓસ્ટ્રેલિયા. 2023ના ક્રિકેટ વર્લ્ડ કપનો હકદાર કોણ બને છે? નિર્ણય જલદી જ થઈ જશે, પરંતુ આ અગાઉ આઈસલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયાને મજાકિયા અંદાજમાં એક મહત્ત્વનું સૂચન આપ્યું છે. કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેજબનો સામે મેચ અગાઉ સિક્કા પર નિશાનથી લઈને ચંદ્રમા અને શુક્રની ગોઠવણી સુધી બધુ તપાસી લે.

આઈસલેન્ડ ક્રિકેટની આ પોસ્ટ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમીફાઇનલમાં ભારતીય બોલરોના પક્ષમાં પીચમાં બદલાવ બાબતે ઑસ્ટ્રેલિયન મીડિયામાં આવેલા રિપોર્ટ્સના જવાબમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, BCCIએ પોતાના સ્પિનરોની સહાયતા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુઝ્ડ પીચ માગી. જો કે, ICCએ એક નિવેદન જાહેર કર્યું કે પીચમાં બદલાવ સામાન્ય છે.

હવે પીચમાં બદલાવના સમાચારો પર કટાક્ષ કરતા આઈસલેન્ડ ક્રિકેટે ઓસ્ટ્રેલિયન ટીમને રવિવારે થનારી ફાઇનલ મેચ અગાઉ કોઈ કસર ન છોડવા અને બધુ તપાસવા માટે કહ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમને સંદેશ આપતી આઈસલેન્ડ ક્રિકેટની જે પોસ્ટ વાયરલ થઈ છે તેમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા ફાઇનલ અગાઉ સિક્કા પર ધાતુ અને નિશાન, રોલરનું વજન, ડ્રેસિંગ રૂમના પેન્ટમાં ઝેરી પદાર્થ, ચંદ્રમા અને શુક્રમાની ગોઠવણી જેવી બધી વસ્તુઓ સારી રીતે તપાસ કરી લે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમીફાઇનલ અગાઉ પીચ વિવાદે તમામ ક્રિકેટ ફેન્સની મજા બગાડી હતી. ડેઇલી મેલ સહિત વિદેશી મીડિયાએ જણાવ્યું કે, BCCIએ સેમીફાઇનલ મેચ માટે યુઝ્ડ પીચ સાથે જવાનો નિર્ણય લીધો, જ્યારે અગાઉ ફ્રેશ પીચ પર થવાની હતી. તો વિદેશથી આવી રહેલા અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સમાં દાવો પણ કરવામાં આવ્યો છે કે ફાઇનલ માટે અમદાવાદની પીચમાં પણ સંભવિત બદલાવ કરી શકાય છે.

જો કે, ભારતના મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે અફવાઓ પર નારાજગી વ્યક્ત કરી અને એવા કોઈ પણ સૂચન નકારી દીધા. સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા સુનિલ ગાવસ્કરે ઘણી મહત્ત્વની વાતો કરી અને કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયન મીડિયાને ખોટી સાબિત કરતા જોવા માગશે. કેમ કે પીચનો મામલો સતત જોર પકડતો રહ્યો છે. તેના પર ICCએ કહ્યું કે, તેમના સ્વતંત્ર પીચ સલાહકાર એટકિન્સનને બદલાવ બાબતે ખબર હતી. ICCએ એક નિવેદનમાં કહ્યું કે, ‘આટલા લાંબા આયોજનના અંતમાં યોજનાબદ્ધ પીચ રોટેશનમાં બદલાવ સામાન્ય વાત છે અને એ અગાઉ પણ ઘણી વખત થઈ ચૂક્યું છે. આ બદલાવ અમારા મેજબાન સાથે મળીને વેન્યૂ ક્યૂરેટરની ભલામણ પર કરવામાં આવ્યો છે.’

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.