ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝ જીતીને હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 અને વન-ડે સીરિઝ બંને સમાપ્ત થઇ ગઇ છે. વન-ડે સીરિઝમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરી તો T20 સીરિઝ ભારતીય ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 166 રનોની મોટી જીત હાંસલ કરી છે. આ જીત સાથે ભારતીય ટીમે સીરિઝ 2-1થી સીરિઝ પણ પોતાના નામે કરવામાં સફળ રહી.

તો આ જીતમાં પહેલા તો શુભમન ગિલની સદીની મદદથી સ્કોરબોર્ડ પર 234 રનોનું વિશાળ લક્ષ્ય લગાવવામાં સક્ષમ રહી. ત્યારબાદ બીજી ઇનિંગમાં ભારતીય બૉલિંગનો દબદબો રહ્યો. જેમાં સૂર્યકુમાર યાદવે અવિશ્વસનીય ફિલ્ડિંગ કરીને મહત્ત્વની ભૂમિકા ભજવી. તો હવે આ ઐતિહાસિક જીત બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સીરિઝ સમાપ્ત થયા બાદ ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’ના એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો.

તેણે આ સીરિઝમાં 33ની એવરેજથી બેટિંગ કરતા 66 રન અને સૌથી વધુ 5 વિકેટ લીધી છે. જેના કારણે તેને આ એવોર્ડ આ આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ મોટી પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું કે, મને (મેન ઓફ ધ સીરિઝ એવોર્ડ) જીતવામાં કોઇ પરેશાની નથી, પરંતુ અહીં ઘણા એવા પ્રદર્શન કરનારા ખેલાડી હતા, જે અસાધારણ હતા. આ મેન ઓફ ધ સીરિઝ અને ટ્રોફી આખા સપોર્ટ સ્ટાફને જાય છે. હું આ બધા માટે ખુશ છું. (વસ્તુઓને અલગ રીતે કરવા પર) સાચું કહું તો હું હંમેશાં આ પ્રકારની રમત રમુ છું. હું વાંચવાનો પ્રયત્ન કરું છું કે શું જરૂરી છે, પૂર્વકલ્પિત વિચાર નથી.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ આગળ પોતાના નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે તે પોતાની કેપ્ટન્સીમાં વસ્તુઓને સરળ રાખવા માગે છે. સાથે જ તેણે એમ પણ કહ્યું કે, કેપ્ટન તરીકે તે પડે છે તો પોતાની શરતો પર નીચે પાડવા માગે છે. પોતાની કેપ્ટન્સીમાં તેને સરળ રાખવા માગું છું અને પોતાની જાતને બેક કરવા માગું છું. મારો એક સરળ નિયમ છે. જો હું પડું છું તો હું પોતાની શરતો પર નીચે જઇશ. અમે પડકાર લેવાની વાત કરી છે. જ્યારે અમે IPL ફાઇનલ રમી તો લાગ્યું કે બીજી ઇનિંગ મજેદાર છે, પરંતુ આજે આ સપાટી પર હું સામાન્ય મેચ બનાવવા માગતો હતો કેમ કે તે નિર્ણાયક હતી. એટલે અમે પહેલા બેટિંગ કરી. આશા છે કે અમે આ પ્રકારના પ્રદર્શન યથાવત રાખીશું.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.