ગંભીરે કોહલીને ગણાવ્યો શહેનશાહ, યુવીને બાદશાહ, પોતાને આપી આ ઉપાધિ

ક્રિકેટ અને બોલિવુડનો સંબંધ જૂનો છે. ઘણી જગ્યાઓ પર ક્રિકેટને બોલિવુડ સાથે જોડીને જોવામાં આવે છે. એવામાં હાલમાં જ દિલ્હી પ્રીમિયર લીગ (DPL) દરમિયાન જ્યારે એન્કર શેફાલી બગ્ગાએ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ક્રિકેટમાં બોલિવુડનો તડકો લગાવતા ખેલાડીઓને ટાઇટલ આપવા કહ્યું તો ભારતીય કોચે શાનદાર જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિરાટ કોહલીને શાહંશાહ બતાવ્યો, તો યુવરાજ સિંહને બાદશાહ. ગૌતમ ગંભીરે પોતાને એંગ્રી યંગ મેનની ઉપાધિ આપી નાખી.

દિલ્હી પ્રીમિયર લીગે ગંભીરને આ સવાલના જવાબનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો છે. શેફાલી બગ્ગાએ ગૌતમ ગંભીર સાથે સાથે આ સવાલ ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન શિખર ધવનને પણ પૂછ્યા. ગૌતમ ગંભીરે સૌથી પહેલા ક્રિકેટના બાદશાહની ઉપાધિ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આપી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને વર્ષ 2011 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેમણે પોતાને એંગ્રી યંગ મેન બતાવ્યા. ગંભીરનો આ જવાબ સાંભળીને એન્કર પણ પોતાને હસતા ન રોકી શકી.

 
 
 
View this post on Instagram

A post shared by Shefali Bagga (@shefalibaggaofficial)

આ ચર્ચા દરમિયાન ગૌતમ ગંભીરે સચિન તેંદુલકરને ‘દબંગ તો વિરાટ કોહલીને શહંશાહ બતાવ્યા. તો સૌરવ ગાંગુલીને ‘ટાઈગર’ અને જસપ્રીત બૂમરાહને તેમણે ખેલાડી ટાઇટલ આપતા કહ્યું કે, એ સૌથી વધુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમની જવાબદારી સાંભળી છે. શ્રીલંકા પ્રવાસ પર તેમણે પોતાની આ નવી જર્નીની શરૂઆત કરી.

T20માં તેમને સફળતા મળી, પરંતુ વન-ડેમાં તેની શરૂઆત હાર સાથે થઈ. હવે વારો છે ટેસ્ટ ક્રિકેટનો. ભારતીય ટીમે 19 નવેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે, તેમાં ગંભીરની અસલી પરીક્ષા થશે. તો વિરાટ કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે, જેણે આ વર્ષની શરૂઆતમાં અંગત કારણોસર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ મિસ કરી દીધી હતી.

નોંધનીય છે કે ગંભીર અને કોહલી વચ્ચે સંબંધ હંમેશાં સહજ રહ્યા નથી. બંને ખેલાડીઓ વચ્ચે, ખાસ કરીને IPL દરમિયાન ટકરાવ જોવા મળ્યો હતો. જો કે, વાતચીતથી ખબર પડે છે કે તેઓ પોતાના મતભેદ ભૂલી ગયા છે. IPL 2024 દરમિયાન પણ એક એવી ક્ષણ આવી, જ્યારે બંને ગળે મળતા નજરે પડ્યા, જે એક પ્રકારે બંને વચ્ચે સમાધાનનું પ્રતિક હતું.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.