ગંભીરે કોહલીને ગણાવ્યો શહેનશાહ, યુવીને બાદશાહ, પોતાને આપી આ ઉપાધિ

ક્રિકેટ અને બોલિવુડનો સંબંધ જૂનો છે. ઘણી જગ્યાઓ પર ક્રિકેટને બોલિવુડ સાથે જોડીને જોવામાં આવે છે. એવામાં હાલમાં જ દિલ્હી પ્રીમિયર લીગ (DPL) દરમિયાન જ્યારે એન્કર શેફાલી બગ્ગાએ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ક્રિકેટમાં બોલિવુડનો તડકો લગાવતા ખેલાડીઓને ટાઇટલ આપવા કહ્યું તો ભારતીય કોચે શાનદાર જવાબ આપ્યો. આ દરમિયાન તેમણે વિરાટ કોહલીને શાહંશાહ બતાવ્યો, તો યુવરાજ સિંહને બાદશાહ. ગૌતમ ગંભીરે પોતાને એંગ્રી યંગ મેનની ઉપાધિ આપી નાખી.

દિલ્હી પ્રીમિયર લીગે ગંભીરને આ સવાલના જવાબનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ કર્યો છે. શેફાલી બગ્ગાએ ગૌતમ ગંભીર સાથે સાથે આ સવાલ ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન શિખર ધવનને પણ પૂછ્યા. ગૌતમ ગંભીરે સૌથી પહેલા ક્રિકેટના બાદશાહની ઉપાધિ ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આપી. યુવરાજ સિંહે વર્ષ 2007 અને વર્ષ 2011 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેમણે પોતાને એંગ્રી યંગ મેન બતાવ્યા. ગંભીરનો આ જવાબ સાંભળીને એન્કર પણ પોતાને હસતા ન રોકી શકી.

 
 
 
View this post on Instagram

A post shared by Shefali Bagga (@shefalibaggaofficial)

આ ચર્ચા દરમિયાન ગૌતમ ગંભીરે સચિન તેંદુલકરને ‘દબંગ તો વિરાટ કોહલીને શહંશાહ બતાવ્યા. તો સૌરવ ગાંગુલીને ‘ટાઈગર’ અને જસપ્રીત બૂમરાહને તેમણે ખેલાડી ટાઇટલ આપતા કહ્યું કે, એ સૌથી વધુ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ ગૌતમ ગંભીરે ભારતીય ટીમની જવાબદારી સાંભળી છે. શ્રીલંકા પ્રવાસ પર તેમણે પોતાની આ નવી જર્નીની શરૂઆત કરી.

T20માં તેમને સફળતા મળી, પરંતુ વન-ડેમાં તેની શરૂઆત હાર સાથે થઈ. હવે વારો છે ટેસ્ટ ક્રિકેટનો. ભારતીય ટીમે 19 નવેમ્બરથી બાંગ્લાદેશ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરિઝ રમવાની છે, તેમાં ગંભીરની અસલી પરીક્ષા થશે. તો વિરાટ કોહલી લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યો છે, જેણે આ વર્ષની શરૂઆતમાં અંગત કારણોસર ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ મિસ કરી દીધી હતી.

નોંધનીય છે કે ગંભીર અને કોહલી વચ્ચે સંબંધ હંમેશાં સહજ રહ્યા નથી. બંને ખેલાડીઓ વચ્ચે, ખાસ કરીને IPL દરમિયાન ટકરાવ જોવા મળ્યો હતો. જો કે, વાતચીતથી ખબર પડે છે કે તેઓ પોતાના મતભેદ ભૂલી ગયા છે. IPL 2024 દરમિયાન પણ એક એવી ક્ષણ આવી, જ્યારે બંને ગળે મળતા નજરે પડ્યા, જે એક પ્રકારે બંને વચ્ચે સમાધાનનું પ્રતિક હતું.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.