સૂર્યા નહીં આ ખેલાડીની વિસ્ફોટક ઇનિંગ જોઇને ફેન થયા ગંભીર, બોલ્યા-ઓપનિંગમાં પણ..

રાજકોટમાં રમાયેલી ત્રીજી અને સીરિઝની અંતિમ T20 મેચમાં સૂર્યકુમાર યાદવે વિસ્ફોટક ઇનિંગ રમતા તેના T20 કરિયરની ત્રીજી સદી લગાવી. T20માં તેનાથી આગળ માત્ર ભારતીય કેપ્ટન રોહિત શર્મા જ છે, જેણે T20માં 4 સદી લગાવી છે. આ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા બેટ્સમેનોની લિસ્ટમાં રાહુલ ત્રિપાઠી પણ સામેલ છે, જેણે ત્રીજા નંબર બેટિંગ કરતા પાવરપ્લેમાં 218ની સ્ટ્રાઇક રેટથી 16 બૉલમાં 35 રનની ઇનિંગ રમી.

રાહુલ ત્રિપાઠીએ પોતાની બીજી મેચની આ નાનકડી ઇનિંગમાં પોતાની મંશા સ્પષ્ટ કરી દીધી હતી. એક વિકેટ પડ્યા બાદ બેટિંગ માટે આવેલા રાહુલ ત્રિપાઠીએ ગજબનું ઇન્ટેન્ટ દેખાડ્યું. પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે પણ તેની બેટિંગના ફેન થઇ ગયા. સીરિઝની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતીય ટીમના T20 કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં ઇશાન કિશનની વિકેટ ગુમાવી દીધી હતી.

એ સમયે એમ લાગ્યું કે, ક્યાંક પહેલા બેટિંગ કરવાનો નિર્ણય ટીમ માટે ખોટો તો નહીં સાબિત થાય, પરંતુ ત્યારબાદ બેટિંગ માટે આવેલા યુવા ખેલાડી રાહુલ ત્રિપાઠીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી પહેલી વિકેટના પતનની અસર બેઅસર કરી દીધી. આવતા જ પોતાના હાથ ખોલી દીધા અને ફોર અને સિક્સ લગાવવા લાગ્યો. 35 રનની પોતાની નાનકડી, પરંતુ ઇન્ટેન્ટ ભરેલી ઇનિંગમાં તેણે 32 રન બાઉન્ડ્રીથી બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સ લગાવીને ભારતીય ટીમને એક સારી શરૂઆત આપી હતી.

તેની બેટિંગ જોઇને ગૌતમ ગંભીર પણ તેના ફેન થઇ ગયા. તેમણે કહ્યું કે, રાહુલ ત્રિપાઠી એવો ખેલાડી છે, જેને પોતાની ફ્રેન્ચાઇઝી અને રાજ્ય માટે દરેક નંબર પર બેટિંગ કરી છે. તે ઓપનિંગ કરી શકે છે. નંબર 3 પર રમી શકે છે કે પછી તેને મધ્ય ક્રમમાં પણ મોકલી શકાય છે. તમે તેને કોઇ પણ નંબર પર રમવા મોકલો, તેની રમવાની રીત એજ રહે છે. પછી તે કોઇ પણ ટીમ વિરુદ્ધ કેમ ન રમે. તે નવા બૉલનો બેટ્સમેન એટલો જ સન્માન આપે છે, જેટલો જૂના બૉલને. તમે તેના જેવા ખેલાડીઓને જોવા ઇચ્છો છો. તો ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવને લઇને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે, એટ ધ રેટ સૂર્યકુમારને ટેસ્ટ ક્રિકેટમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.