PCBના પૂર્વ પ્રમુખ પર હરભજન ભડક્યો, બોલ્યો- ભારત ક્યારેય કોઇને પણ...

એશિયા કપ 2023નું આયોજન સ્થળ હજુ પણ વિવાદનો મુદ્દો બન્યું છે. શરૂમાં એશિયા કપનું આયોજન સંપૂર્ણ રીતે પાકિસ્તાનમાં થવાનું હતું. પણ પછી BCCI સચિવ જય શાહના નેજામાં એશિયન ક્રિકેટ કાઉન્સિલે હાઈબ્રિડ મોડલ પર તેનું આયોજન કરવાનો નિર્ણય લીધો. ચાર મેચોને છોડીને બાકીની બધી મેચો શ્રીલંકામાં રમાઇ રહી છે. જોકે શ્રીલંકામાં વરસાદને કારણે મેચો થઇ રહી નથી. પલ્લેકેલેમાં ભારત અને પાકિસ્તાનની પહેલી મેચ વરસાદમાં ધોવાઇ ગઇ હતી.

ત્યાર બાદ, PCBના પૂર્વ પ્રમુખ નજમ સેઠીએ ટ્વીટ કરી હતી કે, BCCI/ACCએ આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી કે તેમણે વરસાદના પૂર્વાનુમાનને કારણે ભારત-પાકિસ્તાનની બીજી મેચને કોલંબોથી હટાવીના હંબનટોટામાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. એક કલાકની અંદર તેમણે મન બદલી નાખ્યું અને કોલંબોને આયોજન સ્થળ જાહેર કરી દીધું. આ શું થઇ રહ્યું છે? શું ભારત પાકિસ્તાન સામે રમવા અને હારવાથી ડરી ગયું છે. વરસાદની ભવિષ્યવાણી જુઓ અહી...

BCCIએ પીસીબીને જાણ કરી કે તેમણે વરસાદના પૂર્વાનુમાનને કારણે આવનારી બીજી ભારત અને પાકિસ્તાનની મેચને કોલંબોથી હંબનટોટામાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. એક કલાકની અંદર તેમણે પોતાનું મન બદલી નાખ્યું.

ત્યાર બાદ હરભજન સિંહે સ્પોર્ટ્સ ટુડે પર આ મુદ્દાને લઇ કહ્યું કે, ખબર નહીં નજમ સેઠી આજકાલ શું ફૂંકી રહ્યા છે. મને નથી ખબર કે તે આવું શા માટે કહી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સાથે રમવા નથી માગતું. કૃપા કરી તેમને કોઇ આખો રેકોર્ડ દેખાડો, જ્યાં ભારતે જ્યારે પણ પાકિસ્તાન સામે મેચ રમી છે તેમને સૌથી વધારે વાર માત આપી છે. પાકિસ્તાન ક્રિકેટ માટે આ સમયે તેમનું જે કદ છે, તેને જોતા તેમના માટે આ આધારહીન વાત છે.

આગળ ભજ્જી કહે છે કે, પાકિસ્તાન કહે છે કે ભારત તેમની સાથે રમવા નથી માગતું કારણ કે ભારત ડરેલું છે. ભારત ક્યારેય પણ કોઇની સાથે રમવાથી ડરતું નથી. ખબર નહીં આ ક્યાંથી આવી રહ્યા છે. તેમણે એશિયન ક્રિકેટ કાઉન્સિલ સાથે બેસીને જોવું જોઇએ કે ટૂર્નામેન્ટ ક્યાં જઇ રહી છે. વરસાદનું પૂર્વાનુમાન સાચુ હતું કે નહીં. બોસ, આઓ અને જ્યાં ઈચ્છો ત્યાં અમારી સામે રમો. અમે તમને હરાવી દેશું.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.