કેપ્ટન્સી મળતા જ રોહિત શર્માને ભૂલ્યો હાર્દિક પંડ્યા? આપી દીધું આ નિવેદન

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 અને એટલી જ મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. તેની શરૂઆત 3 જાન્યુઆરી એટલે કે આજથી T20 મેચથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. T20 સીરિઝ માટે ભારતીય ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને કે.એલ. રાહુલને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળવાનો છે. આ અનુસંધાને હાર્દિક પંડ્યાએ વર્લ્ડ કપ 2023ને લઇને એક મોટી પ્રતિક્રિયા આપી દીધી છે.

આજથી શરૂ થનારી T20 સીરિઝમાં હાર્દિક પંડ્યા ભારતીય ટીમની કેપ્ટન્સી કરવા જઇ રહ્યો છે. આ હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં ત્રીજી સીરિઝ થવાની છે. આ સીરિઝ જીતવા માટે તે ભરપૂર પ્રયાસ કરવાનો છે. ભારતીય ટીમના સીનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓના ખભે તેની જવાબદારી રહેવાની છે. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરતા કહ્યું કે, વર્લ્ડ કપ જીતવો એ નવા વર્ષનો સૌથી મોટો સંકલ્પ છે.

તેની આ વાતે સ્પષ્ટ કરી દીધું છે કે, હાર્દિક પંડ્યા આ વર્ષે થનારા વન-ડે વર્લ્ડ કપ પર નજર જમાવીને બેઠો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની T20 સીરિઝની શરૂઆત આજથી થવાની છે. આ સીરિઝમાં ભારતીય ટીમની આગેવાની હાર્દિક પંડ્યા કરવાનો છે. આ દરમિયાન શ્રીલંકાની ટીમે મુંબઇમાં પહોંચીને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો ભારતીય ખેલાડી મેચ અગાઉ મેદાન પર ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. રોહિત શર્મા ન હોવાથી કેપ્ટન હાર્દિક પંડ્યા સામે ઓપનિંગની સમસ્યા રહેવાની છે. તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનનું રમવાનું પાક્કું છે. તો તેની સામે બોલર પસંદ કરવાની પણ સમસ્યા ઊભી થવાની છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકાના ભારત પ્રવાસ પર T20 સીરિઝનું શિડ્યૂલ:

પહેલી T20 મેચ: 3 જાન્યુઆરી, મુંબઇ.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.