છેલ્લી ઓવરના રોમાંચ પર હાર્દિકે આપી પ્રતિક્રિયા, અક્ષરે નાખી હતી 20મી ઓવર

ટીમ ઈન્ડિયાએ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરી છે. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રમાયેલી પ્રથમ T20I મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 2 રનના અંતરથી હરાવ્યું હતું. શ્રીલંકાને જીતવા માટે 163 રનની જરૂર હતી, પરંતુ ટીમ માત્ર 160 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

જીતથી ઉત્સાહિત કેપ્ટન હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર અક્ષરને બોલિંગ કરાવવા વિશે કહ્યું, હું આ ટીમને કઠિન પરિસ્થિતિઓમાં પરીક્ષણ કરવા માંગુ છું જેનાથી અમને મોટી મેચોમાં મદદ મળશે. દ્વિપક્ષીય સીરિઝમાં અમે ખૂબ સારા છીએ અને અમારી જાતને ચેલેન્જ આપવા માંગીએ છીએ. સાચું કહું તો, બધા જ યુવાન ખેલાડીઓએ આજની પરિસ્થિતિમાં સરસ કામ કર્યું છે.

માવી સાથેની વાતચીત અંગે તેણે કહ્યું કે વાતચીત સરળ હતી. મેં શિવમ માવીને IPLમાં બોલિંગ કરતા જોયો હતો. હું જાણતો હતો તેની શક્તિઓને અને તેણે પણ એવું જ કર્યું. હું પણ તેની જગ્યાએ હોત તો મેં મારી સ્ટ્રેંથ પર કામ જ કર્યું હોત.

મેચની વાત કરીએ તો હાર્દિકે બેટ વડે 27 બોલમાં 29 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગમાં ભલે તે વિકેટલેસ રહ્યો, પરંતુ તેણે કેપ્ટન તરીકે આ મેચમાં પણ પોતાને સાબિત કરી બતાવ્યું. અક્ષરને છેલ્લી ઓવર કરાવવાની હોય કે મહત્વના સમયે માવીને બોલ સોંપવાનો હોય, તેણે દરેક નિર્ણયથી પ્રભાવિત કર્યા.

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે દીપક હુડાના 41 અને ઈશાન કિશનના 37 રનના આધારે 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી અને વારંવાર અંતરાલ પર વિકેટો ગુમાવી હતી. ભારત તરફથી ડેબ્યૂ કરનાર શિવમ માવીએ 4 વિકેટ ઝડપી હતી. સીરિઝની બીજી મેચ 5 જાન્યુઆરીએ એમસીએ ખાતે રમાશે.

About The Author

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.