- Sports
- જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું-એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં હશે કે નહીં
જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું-એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં હશે કે નહીં

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ જય શાહે વર્શ 2023 અને વર્ષ 2024માં થનારા ટૂર્નામેન્ટની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ફેન્સની સૌથી પહેલી નજર આ વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023 પર પડી. જય શાહની ટ્વીટ મુજબ, સપ્ટેમ્બરમાં એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હશે. તો અન્ય ગ્રુપમાં ગત ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.
જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ થશે કે નહીં. આ ટૂર્નામેન્ટની મેજબાની સત્તાવાર રૂપે પાકિસ્તાન પાસે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ હોવાના કારણે જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહે ટ્વીટ કરતા લખ્યું કે, ‘વર્ષ 2023 અને વર્ષ 2024 માટે ACCનો પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર રજૂ કરી રહ્યો છું. તે આ રમતને નવી ઊંચાઇઓ પર લઇ જવાન અમારા અદ્વિતીય પ્રયાસો અને ઝનૂનને દર્શાવે છે.
Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn
— Jay Shah (@JayShah) January 5, 2023
શાનદાર પ્રદર્શન માટે તૈયાર દેશોના ક્રિકેટરો સાથે, આ ક્રિકેટ માટે એક સારો સમય હોવાનો વાયદો કરે છે. એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલ મળીને કુલ 13 મેચ રમાશે. જો કે, અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવ્યું નથી. T20 વર્લ્ડ કપ 2022 પહેલા જય શાહે એન્યૂઅલ જનરલ મીટિંગ (AGM)માં સ્પષ્ટ કરી દીધું હતું કે, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર શિફ્ટ કરવામાં આવશે. BCCI સચિવ જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની વાપસી થવા જઇ રહી છે અને ટૂર્નામેન્ટ પહેલા આ નિવેદન મેજબાનો માટે ખૂબ મોટો ઝટકો છે. જય શાહના નિવેદન બાદ પાકિસ્તાનથી એવું પણ નિવેદન વ્યય હતા કે, જો ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જાય. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2008 બાદ પાકિસ્તાન ગઇ નથી. વર્ષ 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લી વખત પાકિસ્તાન ગઇ હતી. બંને દેશો વચ્ચે ખરાબ રાજનૈતિક સંબંધોના કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમાઇ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ રમાય છે.