જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું-એશિયા કપમાં ભારત-પાકિસ્તાન એક ગ્રુપમાં હશે કે નહીં

On

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ જય શાહે વર્શ 2023 અને વર્ષ 2024માં થનારા ટૂર્નામેન્ટની લિસ્ટ જાહેર કરી દીધી છે. આ લિસ્ટમાં ફેન્સની સૌથી પહેલી નજર આ વર્ષે પાકિસ્તાનમાં આયોજિત એશિયા કપ 2023 પર પડી. જય શાહની ટ્વીટ મુજબ, સપ્ટેમ્બરમાં એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે, જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં હશે. તો અન્ય ગ્રુપમાં ગત ચેમ્પિયન શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે.

જો કે, અત્યાર સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં  જ થશે કે નહીં. આ ટૂર્નામેન્ટની મેજબાની સત્તાવાર રૂપે પાકિસ્તાન પાસે છે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ હોવાના કારણે જય શાહ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. જય શાહે ટ્વીટ કરતા લખ્યું કે, ‘વર્ષ 2023 અને વર્ષ 2024 માટે ACCનો પાથવે સ્ટ્રક્ચર અને ક્રિકેટ કેલેન્ડર રજૂ કરી રહ્યો છું. તે આ રમતને નવી ઊંચાઇઓ પર લઇ જવાન અમારા અદ્વિતીય પ્રયાસો અને ઝનૂનને દર્શાવે છે.

શાનદાર પ્રદર્શન માટે તૈયાર દેશોના ક્રિકેટરો સાથે, આ ક્રિકેટ માટે એક સારો સમય હોવાનો વાયદો કરે છે. એશિયા કપ 2023માં લીગ સ્ટેજ, સુપર-4 અને ફાઇનલ મળીને કુલ 13 મેચ રમાશે. જો કે, અત્યાર સુધી આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ સામે આવ્યું નથી. T20 વર્લ્ડ કપ 2022 પહેલા જય શાહે એન્યૂઅલ જનરલ મીટિંગ (AGM)માં સ્પષ્ટ કરી દીધું હતું કે, એશિયા કપ માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય અને આ ટૂર્નામેન્ટને ન્યૂટ્રલ વેન્યૂ પર શિફ્ટ કરવામાં આવશે. BCCI સચિવ જય શાહના આ નિવેદન બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

પાકિસ્તાનમાં લાંબા સમય બાદ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટની વાપસી થવા જઇ રહી છે અને ટૂર્નામેન્ટ પહેલા આ નિવેદન મેજબાનો માટે ખૂબ મોટો ઝટકો છે. જય શાહના નિવેદન બાદ પાકિસ્તાનથી એવું પણ નિવેદન વ્યય હતા કે, જો ભારત આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં આવે તો તેમની ટીમ પણ વર્લ્ડ કપ 2023 માટે ભારત નહીં જાય. ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2008 બાદ પાકિસ્તાન ગઇ નથી. વર્ષ 2008 એશિયા કપ માટે ભારતીય ટીમ છેલ્લી વખત પાકિસ્તાન ગઇ હતી. બંને દેશો વચ્ચે ખરાબ રાજનૈતિક સંબંધોના કારણે લાંબા સમયથી દ્વિપક્ષીય સીરિઝ રમાઇ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ICC ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન જ રમાય છે.

Related Posts

Top News

મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની...
National 
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા

શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

દેશમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગેરરીતિઓના આરોપોનો કાયમી અને વૈજ્ઞાનિક ઉકેલ શોધવાનો...
National 
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે

પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ હિન્દુઓ ખુબ મોટી સંખ્યામાં રહે છે. જેના કારણે હિન્દુ તહેવારો નિમિત્તે ત્યાંથી વીડિયો આવતા રહે...
World 
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!

હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

PM નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન વચ્ચેની વાતચીતના પોડકાસ્ટમાં PM મોદીએ ઘણા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી....
National 
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.