ઝિમ્બાબ્વે સામે સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત, કોહલી, સૂર્યા, પંડ્યાને આરામ

T20 વર્લ્ડ કપના મહામુકાબલા વચ્ચે ઝિમ્બાબ્વે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે 5 મેચોની T20 સીરિઝ રમવાની છે, જેના માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે સામેની ભારતીય ટીમની કપ્તાની શુભમન ગીલને સોંપવામાં આવી છે. હાલના વર્લ્ડ કપ સ્ક્વોડના 15 ખેલાડીઓમાંથી 13 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, વર્લ્ડ કપ સ્ક્વોડમાંથી ફક્ત યશસ્વી જૈસવાલ અને સંજુ સેમસનને જ પસંદ કરવામાં આવ્યા છે.

ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની સીરિઝની ટીમની વાત કરીએ તો ટીમમાં શુભમન ગીલ કેપ્ટન છે અને વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને ધ્રૂવ જુરેલનો નંબર લાગ્યો છે.

આ સિવાય યશસ્વી જૈસવાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડેને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

પહેલા એવી ચર્ચા હતી કે સૂર્યકુમાર યાદવને આ સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ સૂર્યાને પણ આરામ આપવામાં આવ્યો છે.

ઝિમ્બાબ્વે T20 સીરિઝનો કાર્યક્રમ

6 જુલાઈ- પહેલી T20, હરારે

7 જુલાઈ- બીજી T20, હરારે

10 જુલાઈ- ત્રીજી T20, હરારે

13 જુલાઈ- ચોથી T20, હરારે

14 જુલાઈ- પાંચમી T20, હરારે

Related Posts

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.