પુત્ર અભિમન્યુ ઈશ્વરનની સતત અવગણનાથી તૂટ્યું પિતાનું દિલ, બોલ્યા- ‘ડેબ્યૂ માટે દિવસ નહીં..’

બીજો પ્રવાસ લગભગ પૂરો થઈ ગયો છે, પરંતુ અભિમન્યુ ઈશ્વરનનું ટેસ્ટ ડેબ્યૂનું સપનું સાકાર થઈ શક્યું નથી. ઓસ્ટ્રેલિયા બાદ, ઇંગ્લેન્ડમાં પણ અભિમન્યુ પાણી પીવાડીને જ દેશ પાછો ફરશે. ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હોવા છતા અભિમન્યુ છેલ્લા 3 વર્ષથી પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો છે. તે દરેક વિદેશી પ્રવાસ પર ટીમ સાથે જાય છે અને રમ્યા વિના જ પાછો ફરે છે. 15થી વધુ ખેલાડીઓ અભિમન્યુ સામે ડેબ્યૂ કરી ચૂક્યા છે, પરંતુ તેનો ઇંતજાર ખતમ થતો નથી. પુત્રની સતત અવગણનાથી પિતાનું દિલ પણ તૂટી ગયું છે. અભિમન્યુના પિતાનું કહેવું છે કે તે પોતાના પુત્રના ટેસ્ટ ડેબ્યૂ માટે દિવસો નહીં, પણ વર્ષ ગણી રહ્યા છે.

Abhimanyu-Easwaran1
livemint.com

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા અભિમન્યુ ઈશ્વરનના પિતાએ કહ્યું કે, ‘હું અભિમન્યુના ટેસ્ટ ડેબ્યૂ માટે દિવસો નહીં, પરંતુ વર્ષ ગણી રહ્યો છું. અત્યાર સુધી 3 વર્ષ થઈ ચૂક્યા છે. એક ખેલાડીની જોબ શું હોય છે? એ જ ને કે તેણે રન બનાવવાના હોય છે, ખરું ને? અભિમન્યુએ આ કામ કરીને પણ બતાવ્યું છે. લોકો કહે છે કે ઇન્ડિયા-A માટે રમતા તેણે ઓસ્ટ્રેલિયાના છેલ્લા પ્રવાસમાં સારું પ્રદર્શન કર્યું નહોતું અને આ કારણે તેને ટીમમાં જગ્યા મળી નથી. ચાલો હું તેને યોગ્ય માનું છું. જોકે, કરુણ નાયર ટીમમાં પણ નહોતો, જ્યારે  અભિમન્યુએ બોર્ડર-ગાવસ્કર સીરિઝ અગાઉ રન બનાવ્યા હતા. દુલીપ ટ્રોફી અને ઈરાની કપ માટે કરુણનું સિલેક્શન પણ થયું નહોતું.

Abhimanyu-Easwaran2
hindi.thesportstak.com

તેમણે વધુમાં કહ્યું કે, ‘અભિમન્યુએ ગયા વર્ષથી લઈને અત્યાર સુધી લગભગ 864 રન બનાવ્યા છે. એવામાં, તમે કેવી રીતે તુલના કરશો? મને સમજાતું નથી. તેમણે  કરુણ નાયરને તક આપી. એ ઠીક છે, કારણ કે તેણે 800થી વધુ રન બનાવ્યા છે. તેણે વધુ રન બનાવ્યા હતા. સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ દર્શાવ્યો. મારો દીકરો થોડો ડિપ્રેશનમાં નજરે પડે છે, પરંતુ આવું તો થવાનું જ હતું. કેટલાક ખેલાડીઓ તેમના IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી લે છે. IPL પ્રદર્શનના આધારે ટેસ્ટ ટીમમાં પસંદગી ન થવી જોઈએ. રણજી ટ્રોફી, ઈરાની ટ્રોફી અને દુલીપ ટ્રોફીના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ટેસ્ટ ટીમમાં પસંદગી થવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.