‘હું કન્ફ્યૂઝ હતો કે...’, ટોસ હારતા જ એવું કેમ બોલ્યો કેપ્ટન ગિલ, નિવેદનની થઇ રહી છે ખૂબ ચર્ચા

લોર્ડ્સમાં આજથી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ શરૂ થઈ ગઈ છે. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતની પ્લેઇંગના એક બદલાવ થયો છે, ભારતીય ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ જસપ્રીત બૂમરાહની વાપસી થઈ છે. તો, ટોસ જીતીને ઇંગ્લેન્ડ દ્વારા પહેલા બેટિંગ કરવાના નિર્ણયને લઈને કેપ્ટન ગિલે એક મોટું નિવેદન આપ્યું છે, જે ફેન્સ વચ્ચે ખૂબ લાઇમલાઇટ મેળવી રહ્યું છે.

gill
bbc.com

શુભમન ગિલે ટોસ હાર્યા બાદ કહ્યું કે, આજે સવારથી તે આજે ખૂબ જ કંફ્યૂઝમાં હતો. ગિલે કહ્યું કે, આજે સવાર સુધી હું કંફ્યૂઝ હતો કે શું કરું. હું પહેલા બોલિંગ કરતો. પહેલા સેશનમાં બૉલરો માટે કંઇક ને કંઇક જરૂર હશે. બધાએ યોગદાન આપ્યું અને તેના પર ચર્ચા થઈ. બોલરો આત્મવિશ્વાસથી ભરેલા છે, એજબેસ્ટનની વિકેટ પર 20 વિકેટ લેવી સરળ નહોતી. મને ખૂબ સારું લાગી રહ્યું છે, એક બેટ્સમેન તરીકે તમે અપેક્ષા રાખો છો કે તમે પરિસ્થિતિ અનુસાર બેટિંગ કરશો. અમારી પાસે એક બદલાવ છે, પ્રસિદ્ધની જગ્યાએ બૂમરાહ.

ben
espncricinfo.com

ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાના નિર્ણય પર બેન સ્ટોક્સે કહ્યું કે, અમે બેટિંગ કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે આ પીચ પર પહેલા કલાકમાં બોલરોને થોડી મદદ મળે છે. માહોલ સારો છે, સારી સીરિઝ છે અને અમે આ મેચ માટે તૈયાર છીએ. શરીર સારું છે. અમે ફ્રેશ છીએ અને મેચ જીતવા માટે રમી રહ્યા છીએ. રમવા માટે તૈયાર છીએ. દરેકને લોર્ડ્સમાં રમવાનું પસંદ છે અને તમારે આ અવસર પર આનંદ લેવો જોઈએ. બસ એક બદલાવ ટંગની જગ્યાએ આર્ચર છે પ્લેઇંગ ઇલેવનમાં.

team india
espncricinfo.com

ભારતની પ્લેઇંગ XI:

યશસ્વી જાયસ્વાલ, કે.એલ. રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, જસપ્રીત બૂમરાહ, મોહમ્મદ સિરાજ.

ઇંગ્લેન્ડની પ્લેઇંગ XI:

જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.

Related Posts

Top News

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.