શું શુભમન ગિલના ઝઘડાને કારણે હારી ગઈ ભારતીય ટીમ? મોહમ્મદ કૈફે આ શું કહી દીધું?

લોર્ડ્સમાં મળેલી કારમી હાર બાદ ભારતીય ટીમ સવાલોના ઘેરામાં છે. આ મેચમાં ભારતીય ટીમને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારે ન માત્ર સીરિઝમાં ભારતની સ્થિતિ નબળી કરી, પરંતુ કેપ્ટન શુભમન ગિલની કેપ્ટન્સી પર પણ સવાલ ઉઠાવ્યા છે. ભારતના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ગિલની કેપ્ટન્સી પર કહ્યું કે, તેના આક્રમક વલણે ઈંગ્લેન્ડ ઉશ્કેર્યું, જેના કારણે ભારતીય ટીમને નુકસાન ઉઠાવવું પડ્યું. મોહમ્મદ કૈફે કહ્યું કે ગિલે પોતાની ભૂલોમાંથી કડક પાઠ શીખવા પડશે.

Gill
nationalheraldindia.com

ઉલ્લેખનીય છે કે, આ મેચના ત્રીજા દિવસની રમતના અંતે ઈંગ્લેન્ડના બેટ્સમેન જેક ક્રાઉલી અને બેન ડકેટ સમય બગાડતા જોવા મળ્યા હતા, જેથી બંને ટીમો વચ્ચે તણાવ ઉત્પન્ન થઈ ગયો હતો. ક્રાઉલીએ ઈજાનું બહાનું બનાવીને દિવસની અંતિમ ઓવરોમાં બેટિંગને લાંબી ખેચવાનો પ્રયાસ કર્યો, જેથી તેને લાંબા સમય સુધી બેટિંગ ન કરવી પડે. ત્યારબાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલ મેદાનની વચ્ચે ક્રાઉલી સાથે બાખડી પડ્યો બંને ખેલાડીઓ વચ્ચે તીખી બહેસ જોવા મળી હતી. મોહમ્મદ કૈફે આ ઘટનાને હારના સૌથી મોટા કારણમાંથી કારણ ગણાવ્યું.

મોહમ્મદ કૈફનું માનવું છે કે આ બહેસે ઈંગ્લેન્ડની ટીમમાં જોશ ભરી દીધો, ત્યારબાદ તેમને ખૂબ જ સારી રમત બતાવી. કૈફે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘શુભમન ગિલ અને જેક ક્રાઉલી વચ્ચે થયેલી લડાઈએ ઈંગ્લેન્ડને હચમચાવી નાખ્યું. એજબેસ્ટન બાદ તેમની બેટિંગ, બોલિંગ અને કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા હતા. પરંતુ તે ઘટનાએ સ્ટોક્સને જોશથી ભરી દીધો અને તેણે શાનદાર બોલિંગ કરી. જે વલણ તમારા માટે અસરકારક હોય, તેના પર ટકી રહેવું સમજદારી છે. ગિલે આ મુશ્કેલ રીતથી શીખવું પડશે.

movie-tickets2
telegraphindia.com

આ ઘટના બાદ, ચોથા દિવસની શરૂઆતમાં મોહમ્મદ સિરાજે પણ ખૂબ ગુસ્સો બતાવ્યો હતો. બેન ડકેટને આઉટ કર્યા બાદ તેનું સેલિબ્રેશન વિવાદમાં રહ્યું અને તેને ICC તરફથી દંડનો સામનો પણ કરવો પડ્યો હતો. તો ચોથા દિવસના અંતમાં પણ બ્રાઇડન કાર્સ અને આકાશ દીપ વચ્ચે પણ ગરમાગરમીનો માહોલ જોવા મળ્યો હતો. તો, પાંચમા દિવસે રવીન્દ્ર જાડેજા અને ઇંગ્લિશ ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ વચ્ચે મેદાન પર તીખી બહેસ થઈ હતી.

About The Author

Top News

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

એશિયામાં પુરવઠાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાને કોઈ અસુવિધા ન થાય તે માટે કેટલાક ખાસ ફેરફારો લાગૂ કરવામાં આવ્યા છે. એવામાં...
Business 
એક ઘર, એક કનેક્શન... 1 જૂનથી LPGના નિયમો બદલાઈ રહ્યા છે; રદ થઈ શકે છે તમારું સિલિન્ડર કનેક્શન

અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
Opinion 
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.